SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચતુર્વિશતિકા [ ૨૨ શ્રીનેમિ___ एवं अन्नेऽवि अंबादेवीमंता अप्पपररक्खाविसया सुमरणाजुग्गा मग्गखेमाइगोअरा य बहवो चिट्ठति । ते अ तहा मंडलाणि अ इत्थ न भणिआणि गंथवित्थरभएणंति गुरुमुहाओ नायब्वाणि । एअं अंबियदेवी-कप्पं अविअप्पचित्तवित्तीणं । वायंतसुणताणं, पुजंति समीहिआ अत्था ॥ १ ॥ | તિ વિકાવી: . અમ્બિકાદેવીકલ્પનો અનુવાદ, શ્રીજિયન્ત (ગિરનાર) ગિરિના શિખર ઉપર મુકુટસમાન નેમિનાથ તીર્થંકરને પ્રણામ કરીને વૃદ્ધના ઉપદેશથી કેહરિડ (અંબા) દેવીને કહ૫ લખું છું. સૌરાષ્ટ્ર દેશમાં ધન, સુ વર્ણ ઈત્યાદિ સંપત્તિ તેમજ જનો વડે સમૃદ્ધ એવું કોડીનાર નામનું નગર છે. ત્યાં ઋદ્ધિશાળી, છ કર્મમાં તત્પર અને વેદ-શાસ્ત્રનો જાણકાર એવો સોમ નામનો બ્રાહ્મણ રહેતો હતો. મહામૂલ્યવાળા શીલરૂપી અલંકારથી અલંકૃત એવા દેહવાળી તેને અંબિકા નામની પત્રી હતી. આ દંપતીને વિષયસુખ ભોગવતાં અનુક્રમે સિદ્ધ અને બુદ્ધ એ નામના બે પુત્રો થયા. અન્યદા 'પિતૃ-પક્ષ આવ્યું એટલે શ્રાદ્ધને દિને સમભટ્ટે બ્રાહ્મણોને આમન્ત્રણ આપ્યું. કોઈક સ્થલે તેઓ વેદનું ઉચ્ચારણ કરતા હતા, તો કોઈક સ્થલે તેઓ પિડ આપવાનો આરંભ કરતા હતા, તો કોઈક સ્થલે હોમ તેમજ અગ્નિ કરતા હતા. શાલિ (ભાત), દાળ, શાક, અનેક જાતનાં પકવા, ખીર, ખાંડ વિગેરે જમણે તૈયાર કરવામાં આવ્યાં હતાં. રસોઈ તૈયાર થઈ એટલે અંબિકાની સાસુ આન કરવા ગઈ. એ સમયે એક સાધુ એક મહિનાના ઉપવાસના પારણ માટે ભિક્ષાર્થે ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈને હર્ષના સમૂહ વડે રોમાંચિત થયેલા દેહવાળી અંબિકા ઊભી થઈ અને તેણે ભક્તિ અને બહુમાનપૂર્વક શુદ્ધ ભોજન અને પાન વડે તે મુનિવરને પ્રતિલાભિત કર્યા. ભિક્ષા ગ્રહણ કરીને તે સાધુ ચાલ્યા ગયા, એટલે આ અંબિકાની સાસુ બ્રાન કરીને રસોડામાં આવી પહોંચી, પરંતુ ત્યાં (ભજનના ઉપરની તરી૩૫) અગ્રશિખા તેના જોવામાં આવી નહિ. તેથી તે ગુસ્સે થઈને પોતાની વહુને તેનું કારણ પૂછવા લાગી. ખરી હકીકત તેણે તેને કહી એટલે તેની સાસુએ તેનો તિરસ્કાર કરતાં કહ્યું કે–“અરે પાપિણ! આ તેં શું કર્યું? હજી દેવોની પૂજા તો થઈ નથી, બ્રાહ્મણને ભોજન પણ કરાવ્યું નથી, પિડો પણ ભર્યા નથી, તો પછી તે અગ્રશિખા સાધુને કેમ આપી?” ત્યાર બાદ તેણે આ સર્વ વૃત્તાન્ત પોતાના પુત્ર સમભટ્ટને નવેદન કર્યો. તે કોપાયમાન થયો અને પોતાની પત્નીને સ્વર છંદી માનીને તેને ઘરમાંથી કાઢી મૂકી. આ સ્ત્રી પરાભવથી પીડિત થતાં તે પોતાના સિદ્ધ પુત્રને આંગળીએ લઈને અને બીજા પુત્ર બુદ્ધને કેડે બેસાડીને નગરની બહાર ચાલી નીકળી. માર્ગમાં તેના બે પુત્રો તૃષાતુર થયા એટલે તેમણે જલ માંગ્યું. આ સાંભળીને તે સ્ત્રીની આંખમાં પાણી ભરાઈ આવ્યા. પરંતુ તત્કાલ તેની સામે રહેલું સુકું સરોવર તેના અમૂલ્ય શીલના પ્રભાવથી જલપૂર્ણ બની ગયું. एवं अन्येऽपि अम्बिकादेवीमघ्रा आत्मपररक्षाविषयाः स्मरणयोग्याः मार्गक्षेमादिगोचराश्च बहवः तिष्ठन्ति (सन्ति) ते च तथा मण्डलानि च अन्न न भणितानि ग्रन्थविस्तारभयेनेति गुरुमुखाद् ज्ञातव्यानि । एतं अम्बिकादेवीकरूपं भविकल्पचित्तवृत्तीनां । થાવત્તt () અવત ર્યને મહિતા અe . 1 w ॥ इति अम्बिकादेवीकल्पः॥ ૧ “પિતૃપક્ષ' એટલે ભાદ્રપદ (ભાદરવા) માસનો કૃષ્ણ પક્ષ, લોકોમાં આને સરાધિયા' કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy