SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ચતુર્વિશતિકા [૧૭ શ્રીકુન્દુસ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– આપણે જોઈ ગયા તેમ ૬૫મું પદ્ય ઈન્દ્રવજ વૃત્તમાં અને ત્યાર પછીનાં બે પદ્ય ઉપજાતિ' વૃત્તમાં રચવામાં આવ્યાં છે, પરંતુ તેમાં કંઈક ફરક છે. એવી જ રીતે આ પદ્યના સંબંધમાં પણ સમજવું. અર્થાત આ પદ્યનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણે ઈન્દ્રવામાં અને તૃતીય ચરણ “ઉપેન્દ્રવજમાં રચાયેલ છે. આથી કરીને આ પદ્ય પણ ‘ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે એમ કહેવું ખોટું નહિ ગણાય. અત્રે એ ધ્યાનમાં રાખવું કે એકંદર રીતે “ઉપજાતિના ચૌદ પ્રકારો છે. આ પ્રકારો ઈન્દ્રવજ કે ઉપેન્દ્રવજીના એકજ વૃત્તમાં કેટલાં ચરણે છે અને તે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ચરણરૂપ છે તેને લક્ષ્યમાં રાખી પાડવામાં આવ્યા છે. આ ચૌદ પ્રકારોમાંના ત્રણ પ્રકારો તો આ તેમજ તેની પૂર્વેનાં બે પળે ઉપરથી જોઈ શકાય છે. પા-ચમકાર આ પદ્યના પદ્ય-ચમત્કારના સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ છે કે છઠ્ઠા પદ્યમાં જે પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ નામનો યમક પ્રથમતઃ દષ્ટિ-ગોચર થયો હતો, તેના અત્ર અન્તિમ દર્શન થાય છે. ૧ ત્રણ ચરણ ઈન્દ્રવજાનાં હોય અને એક ચરણ ઉપેન્દ્રવજાનું હોય એવા ઉપજાતિ છંદના તેમજ ત્રણ ચરણો ઉપેન્દ્રવજાનાં શ્રેય અને બાકીનું એક ચરણ ઈન્દ્રવજાનું હોય એવા પણ ઉપજાતિ છંદના ચાર પ્રકારો પડે છે. બે ચરણો ઇન્દ્રવજાનાં અને બે ચરણો ઉપેન્દ્રવજાનાં હોય એવા ઉપજાતિ છંદના છ પ્રકારો પડે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપજાતિના બધા મળીને ૪+૪+=૧૪ પ્રકારો પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy