SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. કે જેમણે કુતરૂપ અગ્નિ વડે ભવ–શ્રેણિ રૂપ વનને બાળીને ભસ્મીભૂત કર્યા છે તથા જેઓ જગતમાં વિસ્તાર પામેલા એવા મહાપાતકરૂપ કૂપને તરી જાય છે, તે જિનો અલૌકિક સૌન્દર્યથી શોભતા દેહ વડે અત્ર જય પામે છે.”—૫૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પઘનાં ચારે ચરણમાં છેવટના પાંચ અક્ષરોની સમાનતા દૃષ્ટિગોચર થાય છે, એથી કરીને આ પદ્ય “પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિ” નામના શબ્દાલંકારથી શોભી રહ્યું છે. શ્રુત-જ્ઞાન જૈન શાસ્ત્રમાં જ્ઞાનના પાંચ પ્રકારો પાડ્યા છે (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મને પર્યય અને (૫) કેવલ. આ પાંચ પ્રકારો પૈકી પરોક્ષ પ્રમાણરૂપ, મતિપૂર્વક, શાસ્ત્રશ્રવણ અથવા તેના પઠન ઉપર આધાર રાખનારું, ત્રિકાલવિષયક તેમજ અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે મુખ્ય ભેદોવાળું જ્ઞાન શ્રુત-જ્ઞાન છે. શબ્દ-શ્રવણથી ઉપજતો બોધ યાને શબ્દ-બોધ તે શ્રુતજ્ઞાન છે, જ્યારે શબ્દજનિત અર્થ-બોધથી અતિરિક્ત, ઈન્દ્રિયાર્થસંબંધજન્ય બોધ તે મતિજ્ઞાન છે. ઉપર્યુક્ત પાંચ જ્ઞાનોની સ્થળ માહિતી અધ્યાત્મતવાલેકમાંથી મળી શકશે, જ્યારે તેનું વિશિષ્ટ સ્વરૂપ તો વિશેષાવશ્યક, નંદીસર વિગેરે પ્રૌઢ ગ્રન્થોમાંથી મળશે. શ્રુત-જ્ઞાન ને મહિમા આ પદ્યમાં જે એમ સૂચન કરવામાં આવ્યું છે કે શ્રુતજ્ઞાન દ્વારા ભવરૂપી વન ભસ્મીભૂત બને છે (અને તેમ થતાં મુક્તિ મળે છેતે કંઈ અતિશયોક્તિ નથી. કેમકે એ વાત ધ્યાનમાં રાખવી કે ચૌદપૂર્વધર યાને શ્રુતકેવલી જે આહાર લાવે તે આહાર લેવલજ્ઞાનીને પણ કપે છે. વળી જે કે મૃત-જ્ઞાન સ્વપર્યાયથી કે પરપયાર્થથી કેવલજ્ઞાનના સમાન નથી, પરંતુ સ્વ–પર ઉભય પર્યાય વડે તો તે તેના સમાન છે. કહ્યું પણ છે કે ___ "संयपजापहि उ केवलेण तुलं न होज न परेहिं । सयपरपजापहि तु तुलं तं केवलेणेव ॥ –વિશેષાવશ્યક, ગાથાંક ૨૯૩. વિશેષમાં જેણે પૂરેપૂરા દશ પૂર્વનું અધ્યયન કર્યું હોય, તે જીવ પણ કદી પણ અભવ્યરૂપી અસભ્ય સભાને સભ્ય બનતો નથી. અર્થાત્ તે જીવને નિર્વાણ-નગરે જવાનો પરવાનો મળી જાય છે. આ ઉપરથી શ્રુત-જ્ઞાનનો મહિમા સમજી શકાય છે. જિનેશ્વરના દેહનું વર્ણન જેકે જિનેશ્વરના દેહનું યથોચિત વર્ણન કરવું તે અશક્ય છે, છતાં પણ કપ-સૂત્રની શ્રીવિનયવિજયજીએ રચેલી સુબોધિકા નામની (સૂ૦ ૧૦૮ ની) વૃત્તિમાં આપેલાં નિસલિખિત પદ્ય તરફ દષ્ટિપાત કરવો અસ્થાને નહિ ગણાય. ૧ આ સંબંધમાં જુઓ વીર-ભક્તામરના ૨૪મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ સંસ્કૃત-છાયા स्वकपर्यायैस्तु केवलेन तुल्यं न भवति न परैः। स्वकपरपर्यायैस्तु तुल्यमेव तत् केवलेन ॥ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy