SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. ૮૩ હંસના જેવી ચાલ છે જેની એવા, પંચમ ગતિ ( મુક્તિ )માં નિવાસ કર્યાં છે જેણે એવા, ઇન્દ્રોએ કરી છે પ્રશંસા જેની એવા, પાપ-રહિત એવા નયનાં વચનોનું કથન કરનારા, નવ મંગલોને અર્પણ કરનારા, મનોહર છે સ્વર જેનો એવા, પાપરૂપી વાદળને વિખેરી નાંખવામાં પવનસમાન તેમજ અભિમાનરૂપી સુભટને જીતનારા એવા પ્રથમ તીર્થંકર (ઋષભદેવ)ને હું વન્દુ છું.”—-૧-૫ આ પ્રમાણે શ્રીમાન્ વાચકવર્ય યોવિજયજી દ્વારા હર્ષપૂર્વક સ્તુતિ કરાયેલા તથા શ્રીપુણ્ડરીક ગિરિરાજ ઉપર વિરાજતા એવા પ્રથમ જિનેશ્વર સંતોને માનસહિત સુખો સમર્પો. ”—૬. ઃઃ મહોપાધ્યાય યશવિજયજીના સમકાલીન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ આ કાવ્યગત શબ્દાલંકારને મળતું આવતું તેની પ્રતિકૃતિરૂપ એક છ પવનું કાવ્ય રચ્યું છે તે હવે આપવામાં આવે છે. આ બંને કાવ્યોની પ્રત્યેક કડીના અન્તમાં રે' લગાડી આ કાવ્યો ગાયનરૂપે ગાઇ શકાય છે. આવાં ગેય પો શ્રીમવિનયવિજયવિરચિત શાન્ત-સુધારસના પ્રત્યેક પ્રકાશમાં દૃષ્ટિગોચર થાય છે અને ખાસ કરીને આના અન્તિમ (સોળમા ) પ્રકાશમાં તો આ છંદમાંજ રચાયેલું ગેય પદ્યાક નજરે પડે છે. श्रीवृषभस्तवनम् “ શ્રીમહેવાતનુજ્ઞન્માન, માનવતમુદ્દામ્ | ટ્રા; સદ રિમિઃ ધૃતસેવ, સેવનનસુલજારમ્ ॥ ? ॥ कारणगन्धमृतेऽपि जनानां, नानासुखदातारम् । तारस्वररसजितपरपुष्टं, पुष्शमाकूपारम् ॥ २ ॥ पारं गतमिह जन्मपयोधे-र्योधेहितगुणधीरम् । धीरसमूहैः संस्तुतचरणं, चरणमहीरुहकीरम् ॥ ३ ॥ कीरनसं यशसा जितचन्द्र, चन्द्रामलगुणवासम् । वासवहृदय कजा हिमपादं, पादपमिव सच्छायम् ॥ ४ ॥ સન્દ્રાય= (૫ ?) વરપુરધરળી-ધા[ધવમિવ ામમ્ । कामं नमत सुलक्षणनाभि, नाभितनुजमुद्दामम् ॥ ५ ॥ पञ्चभिः कुलकम् इत्थं तीर्थपतिः स्तुतः शतमखश्रेणीश्रितः श्रीनदी जीमूतोऽद्भुत भाग्यसेवधिरधिक्षिप्तः समत्रैर्गुणैः । Jain Education International श्रीमन्नाभिनरेन्द्रवंशकमलाकेतुर्भवाम्भोनिधौ સેતુઃ શ્રદ્યુલમો વાતુ વિનય સ્વયં સર્ા વાસ્તૃતમ્ ' || ૬ || -શાર્દૂલ "" અર્થાત્— શ્રીમરૂદેવાના પુત્ર, મનુષ્યોમાં રણસમાન, ઉદાર, ઇન્દ્રો તેમજ તેમની પત્નીઓ ( ઇન્દ્રાણીઓ) દ્વારા સેવિત, સેવકજનને સુખકારી, કારણની ગન્ધ વિના પણ માનવોને વિવિધ સુખ અર્પણ કરનારા, મનોહર સ્વરના રસે કરીને વિજય મેળવ્યો છે કોકિલાના ઉપર જેણે એવા ( અર્થાત્ દિવ્ય ધ્વનિવાળા ), પુષ્ટ ઉપશમના સમુદ્રસમાન એવા, આ સંસારમાં જન્મસમુદ્રનો પાર પામેલા, સુભટોએ વાંછેલા ગુણો વડે ધીર, બુદ્ધિશાળીઓના સમુદાય વડે પૂજાચેલાં છે. ચરણો જેનાં એવા, ચારિત્રરૂપી વૃક્ષ પ્રતિ પોપટસમાન, પોપટના જેવી ૧ જુઓ સ્તુતિ-ચતુર્વિંતિકા (૪૦ ૯૦). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy