SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ચતુર્વિશતિકા, [ ૧૨ શ્રીવાસુપૂજ્યઆવેલા બે અક્ષરોથી ત્રીજાનો પ્રારંભ થાય છે અને એના અન્તમાં આવેલા બે અક્ષરોથી ચોથું ચરણ શરૂ થાય છે. આ યમક–વિશેષના આ કાવ્યમાં અત્રજ પ્રથમ દર્શન થાય છે એ ભૂલવા જેવું નથી. આની પછીનાં ત્રણ પદ્ય પણ આવા યમક–વિશેષથી ઝળકી રહેલાં છે. આ પદ્યના યમક-વિશેષને “પ્રતિપાદાન્તાક્ષરપુનરાવૃત્તિ” યમકના નામથી ઓળખી શકાય. આવા યમક-વિશેષથી વિશેષતઃ શોભતું એક છે પદ્યનું કાવ્ય ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ રચેલું છે. તેમાં પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. તે સંપૂર્ણ કાવ્ય નીચે મુજબ છેઃ—– श्रीआदिनाथस्तवनम् आदिजिनं वन्दे गुणसदनं, सदनन्तामलबोधम् । वोधकतागुणविस्तृतकीर्ति, कीर्तितपथमविरोधम् ॥ १॥ रोधरहितविस्फुरदुपयोगं, योगं दधतमभङ्गम् । भङ्गनयत्रजपेशलवाचं, वाचंयमसुखसङ्गम् ॥ २ ॥ सङ्गतपदशुचिवचनतरङ्गं, रङ्गं जगति ददानम् । दानसुरद्रुममञ्जुल हृदयं, हृदयंगमगुणभानम् ॥ ३॥ भानन्दितसुरवरपुन्नागं, नागरमानसहंसम् । हंसगतिं पञ्चमगतिवासं, वासवविहिताशंसम् ॥ ४॥ शंसन्तं नयवचनमनवम, नवमङ्गलदातारम् । तारस्वरमघघनपवमानं, मानसुभटजेतारम् ॥५॥ पञ्चभिः कुलकम् इत्थं स्तुतः प्रथमतीर्थपतिः प्रमोदात् श्रीमद 'यशोविजय वाचकपुङ्गवेन । श्रीपुण्डरीकगिरिराजविराजमानो मानोन्मुखानि वितनोतु सतां सुखानि ॥ ६॥ -वसन्ततिलका આ શબ્દ-લાલિત્ય તેમજ અર્થ ગૌરવથી વિભૂષિત કાવ્યને અત્ર અનુવાદ આપવો અનુચિત નહિ ગણાય એમ માનીને તે નીચે મુજબ આપવામાં આવે છે – ગુણેના મહેલરૂપ, વળી શોભનીય, અનન્ત તેમજ નિર્મલ છે જ્ઞાન જેનું એવા, બોધકતા. (અર્થાત્ અદ્વિતીય ઉપદેશૌલી) રૂપી ગુણથી વિસ્તાર પામી છે કીર્તિ જેની એવા, કહ્યો છે (અર્થાત્ બતાવ્યો છે) (વિરોધરહિત મોક્ષનો) મા જેણે એવા, જેમાં વિરોધ નથી એવા, ખલનારહિત ( અર્થાત્ નિરંતર) અને ફરાયમાન છે ઉપયોગ જેને એવા, ભંગાણ-રહિત એવા યોગને ધારણ કરનારા, (સણ ભંગીને) ભંગો તેમજ (નગમાદિ) નયના સમૂહે કરીને સુંદર છે વાણી જેની એવા, મુનિઓને સુખકારી છે સંગમ જેનો એવા, બંધબેસતાં પદો વડે પવિત્ર છે વચનના કલ્લોલો જેના એવા, જગમાં રંગને એટલે આનંદને અર્પણ કરનારા, દાનરૂપી કલ્પવૃક્ષથી સુંદર છે હૃદય જેનું એવા, મનોરંજક ગુણોએ કરીને શોભતા, પ્રભા વડે આનન્દ પમાડ્યો છે ધોને અને ઉત્તમ મનુષ્યોને જેણે એવા, વળી નગરના મનુષ્યોના માનસ (સરોવર)ને વિષે હંસસમાન એવા, १ कुलकस्य लक्षणम् “grખ્યાં સુમમિતિ , ત્રિમિઃ ઋવિરોધમ્ | વસ્ત્રાવ રામઃ રજૂ, તટૂર્વ “કુ' હમૃતમ્ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy