SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चातुर्विशतिका. અર્થ-અત્યંત ઘોર તપશ્ચર્યા કરીને જેણે સુરને પણ વશ કર્યા હતા તેવા કરટ અને ઉત્કરટ નામના બે મુનિઓ કોપને વશ થવાથી નરકે સિધાવ્યા. હિંદુ શાસ્ત્રમાં પણ કોપને વશ થવાથી મુનિવરોથી પણ અનર્થકારી કાર્યો થઈ ગયાનાં અનેક દષ્ટાન્તો મળી આવે છે, તેમાંનાં અત્ર બે ચાર વિચારી લઈએ. (૧) નારદ સાષિએ કોપને વશ થઈ વિષ્ણુને નારી બનાવી; (૨) ગૌતમ ઋષિએ કોષાતુર બની પોતાની પલ્લી અહલ્યાને શિલા બનાવી; (૩) દુર્વાસા ઋષિએ સરસ્વતીને શાપ આપી તેને માનુષ બનાવી અને (૪) વસિષ્ઠ મહર્ષિએ ફોધી બની ત્રિશંકુ નૃપતિને ચાહડાળ કરી નાખ્યો. આ પ્રમાણે ક્રોધાતુર થવાથી જ્યારે મુનિવરો પણ અનર્થના ભાજન થઈ પડ્યા, તો પછી ઈતર મનુષ્યની તો વાત જ શી? આ ઉપરથી સાર એ નીકળે છે કે ક્રોધ લાભદાયક નથી અને એથી કરીને જેમ બને તેમ કોપના આકમણથી બચવાને માટે "ક્ષમારૂપી બખ્તરથી સજજ રહેવું ઈષ્ટ છે. મદ-વિડંબના– જેમ કોપ અનર્થકારી છે, તેમ તેનો ભાઈ મદ પણ તેવો જ છે. મદથી પણ અનેક જનોની ખુવારી થયેલી છે એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. વળી એ પણ નિવેદન કરવું વધારે પડતું નહિ ગણાય કે મદરૂપી વાલામુખીમાંથી ક્રોધરૂપી ભભકતો અગ્નિ બહાર પડે છે અને એથી કરીને આ મહીધરથી દશ હજાર ગાઉ દૂર રહેવું શ્રેયસ્કર છે. આ મદના શાસ્ત્રમાં આઠ પ્રકારો પાડવામાં આવ્યા છે. તેનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-ચતવિંશતિકા (પૃ. ૫૩-૫૪) માં આલેખેલું હોવાથી તે સંબંધમાં અત્ર ફરી ઉલ્લેખ કરવામાં આવતો નથી. जिनवराणामुपासना यमभिनवितुमुच्चैर्दिव्यराजीववार स्थितचरणसरोजं भव्यराजी ववार । जिनवरविसरं तं पापविध्वंसदक्षं शरणमित विदन्तो मा म विद्ध्वं सदक्षम् ॥ ३८॥ -मालिनी ૧ ક્ષમાના સંબંધમાં થોડુંક વિવેચન સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ ૧૬૧-૧૬૩) માં કરવામાં આવ્યું છે. ૨ સરખાવે - "यस्मादाविर्भवति विततिर्दुस्खरापनदीनां यस्मिन्शिष्टामिरुचितगुणग्रामनामाऽपि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावं સં નાનાÉ પર સુરારિ ”—મન્દાક્રાન્તા. –ચિજૂર-મકર, પડ્યાંક ૪૯. ૩ કવાય-મીમાંસાનું સ્થલ સ્વરૂપ વીર-ભક્તામરના ૧૪મા પદ્યના સ્પષ્ટીકરણમાં આલેખેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy