SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. જિનસ્તુતઃ ] चतुर्विशतिका. શ્લોકાર્થ શ્રી શીતલનાથની સ્તુતિ– જે જિનપતિ પૃથ્વી ઉપર વિહરતા હતા ત્યારે મનુષ્ય-લોક વર્ગ–લોકની ઉપમાને પ્રાપ્ત કરતો હતો, તે, ક્રોધ અને અભિમાનથી મુક્ત તેમજ સરલતારૂપી જલની ધારા વડે માયારૂપી ધૂળનું પ્રક્ષાલન કરનારા એવા તેમજ રાગ-રહિત એવા (દશમાં તીર્થકર ) 'શીતલ(નાથ) (હે ભવ્ય ! તમારા) ભવ–ભયના વિનાશને માટે થાઓ.”-૩૭ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પદ્ય-ચમત્કારના વિષયમાં દ્વિતીય પદ્યને મળતું આવતું આ પદ્ય “માલિની” છંદમાં રચવામાં આવ્યું છે અને આ વાત ત્યાર પછીનાં ત્રણ પદ્યને પણ લાગુ પડે છે. “માલિનીનું લક્ષણ એ છે કે “થમમગુરૂ, વિરે યત્ર વાતે! ___ तदनु च दशमं चेद् , अक्षरं द्वादशान्त्यम् । करिभिरथ तुरङ्गैर्यत्र कान्ते ! विरामः સુવિઝનમનો, મહિના સા પ્રતિ | -શ્રત લો. ૩૭. અંર્થી–હે કાન્તા! જે વૃત્તના પહેલા છ અક્ષરો તેમજ ત્યાર પછી દશમા અને તેરમા અક્ષરો હસ્વ હોય અને જે તે વૃત્તમાં હે કાના! આઠમા અને ત્યાર પછીના સાતમા અક્ષરો ઉપર વિશ્રામ લેવાતો હોય, તો તે વૃત્ત સુકવિઓના ચિત્તને મનોહર “માલિની' તરીકે પ્રસિદ્ધ છે. આ માલિની છંદનું લક્ષણ “નનમયગુને માટિના મોનિટોઃ ” એમ પણ આપવામાં આવે છે. એ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરીએ. वि ह र । ति भु वि । यस् मिन् दे। व लो को। मा नः । न न म य य રાગ-રહિતી શું રામજવું?— આ પદ્યમાં શીતલનાથને કોધ, માન અને માયાથી મુક્ત વર્ણવ્યા બાદ તેઓ રાગ-રહિત છે એમ જે કહ્યું છે તેમાં “રાગ” શબ્દથી શું સમજવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સાધારણ રીતે વિચારતાં ક્રોધ અને માનનો “ઢેષમાં અંતર્ભાવ થાય છે, જ્યારે માયા અને લોભન “રાગ માં સમાવેશ થાય છે. આથી કરીને “રાગ-રહિત” એટલે “લોભ-રહિત” એવો અર્થ કુરે છે. પરંતુ “રાગ” શબ્દથી માયા અને લોભ ઉપરાંત (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એ નવ નોકષાય પૈકી પ્રથમના બે અને છેવટના ત્રણ નોષાય પણ સમજી શકાય. ૧ આ દશમા તીર્થંકર શ્રી શીતલનાથનું સ્થલ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૩૩)માં આલેખવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy