SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયા] चतुर्विशतिका. છે. અર્થાત્ જે પદ્યનાં ચરણે “વર્ણના નિયમને અનુસરીને રચાયાં હોય, તેને “વૃત્ત કહેવામાં આવે છે, જ્યારે જેનાં ચરણે “માત્રાને ધ્યાનમાં લઈને રચવામાં આવ્યાં હોય, તેને “જાતિ” કહેવામાં આવે છે. આ વાતના ઉપર નીચેનો શ્લોક પ્રકાશ પાડે છે – “ જંતુ છો, ત૬ દ્વિધા પરિવર્તતમા માત્રથા નાથને કાંતિ તો વૃત્તાંશવમ્ ” -અનુષુમ્. વિશેષમાં વૃત્તના ત્રણ પ્રકારે છે–(૧) સમવૃત્ત, (૨) અર્ધસમવૃત્ત અને (૩) વિષમવૃત્ત. તેમાં “સમવૃત્તનું લક્ષણ એ છે કે– "अङ्कयो यस्य चत्वारस्तुल्यलक्षणलक्षिताः।। તદઃરાહ્મતરીતે, સમવૃત્ત' પ્રવક્ષતે ” -વૃત્તરવાકર, શ્લોકાંક ૧૪. અર્થાત્ જે વૃત્તનાં ચારે ચરણે સમાન લક્ષણવાળાં હોય (અર્થાત્ જેનાં ચારે ચરણેને એકજ નિયમ લાગુ પડતો હોય), તેને છન્દ શાસ્ત્રના જાણકારો “સમવૃત્ત' કહે છે. “અર્ધસમવૃત્તનું લક્ષણ નીચે મુજબ છે – "प्रथमाडिसमो यस्य, तृतीयश्चरणो भवेत्। द्वितीयस्तुर्यवद् वृत्तं, तदर्धसम'मुच्यते ॥" -વૃત્ત લો. ૧૫. એટલે કે જે વૃત્તનાં પ્રથમ અને તૃતીય ચરણે સમાન હોય તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણો પણ સમાન લક્ષણથી લક્ષિત હોય, તે વૃત્ત “અર્ધસમવૃત્ત” કહેવાય છે. વિષમવૃત્તના સંબંધમાં સમજવું કે– “यस्य पादचतुष्केऽपि, लक्ष्म भिन्नं परस्परम् । તવાદુપિમ વૃત્ત, છાશાસ્ત્રવિરાવા ” -વૃત્ત શ્લોક ૧૬. અર્થાત્ જેનાં ચારે ચરણોનાં લક્ષણે એક બીજાથી ભિન્ન હોય, તે વૃત્તને છન્દ શાસ્ત્રમાં પ્રવીણ પુરૂ વિષમવૃત્ત' કહે છે. હવે પ્રથમ તો આપણે આ કાવ્યનું પ્રાથમિક પદ્ય “વૃત્ત છે કે “જાતિ' છે તેને નિર્ણય કરવો જોઈએ અને તે માટે “વર્ણ” અને “માત્રા પર વિચાર કરવો જોઈએ. તેમાં વર્ણના હસ્વ અને દીર્ઘ એમ બે પ્રકાશે છે. ( હસ્વ વર્ણની એક માત્રા અને ગુરૂ વર્ણની બે માત્રા ગણવામાં આવે છે.) વિશેષમાં અ, ઈ, , ત્રણ અને લ એ હસ્વ અક્ષરો યાને વણે છે, જ્યારે બાકીના આ, ઈ ઊ, *, એ, એ, ઓ અને ઔ એ સ્વરોને દીર્ઘ વણે કહેવામાં આવે છે. આ ઉપરાંત હસ્વ સ્વર પછી જોડાક્ષર કે અનુસ્વાર કે વિસર્ગ હોય, તો તે દીર્ધ ગણાય છે. વળી પાદને અને જે હસ્વ સ્વર હોય તો તેને વિકલ્પ દીર્ધ ગણવામાં આવે છે. આ વાતની નિમ્નલિખિત શ્લોક પણ સાક્ષી પૂરે છે. "सानुस्वारो विसर्गान्तो, दी? युक्तपरश्च सः। वा पादान्ते त्वसौ ग्वको, शेयोऽन्यो मात्रिको लघुः॥" -વૃત્ત ૦ ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy