SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જિનરતુતઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः આવતી આ સ્તુતિમાં તે પ્રત્યેક શ્લોકનાં દ્વિતીય અને ચતુર્થ ચરણે મળતાં આવે છે, એ એની શોભામાં ચમકની દૃષ્ટિએ વધારો કરે છે. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ કવિરાજે તે પ્રથમ જ લેકમાં અને તે પણ વળી આદિમાં પોતાના ગુરૂના આનન્દવિજયગણિ એ નામને નિર્દેશ કરવાપૂર્વક તેમનું સ્મરણ કર્યું છે, આ એની વિશિષ્ટતા સૂચવે છે. હવે જ્યારે આ કાવ્ય વસંતતિલકા લેકમાં રચાયેલું છે, તે પછી “વસંતતિલકાના લક્ષણ પરત્વે કંઈક વિચાર કરવો એ અપ્રાસંગિક નહિ ગણાય. - દરેક પદ્ય કયાં તે અક્ષરના કે કયાં તે માત્રાના નિયમને અનુસરતું રચવામાં આવે છે. જે પદ્ય અક્ષરોના નિયમાનુસાર રચાયેલું હોય તેને વૃત્ત કહેવામાં આવે છે. આ વૃત્તના સમય અર્ધ-સમ અને વિષમ એવા ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. જે વૃત્તનાં ચારે ચરણે (પાદ) એક એકની સાથે અક્ષર પરત્વે મળતાં આવતાં હોય, તે વૃત્ત “સમવૃત્ત” કહેવાય છે, જ્યારે જેનાં પ્રથમ અને તતીય ચરણો તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણે અરસ્પરસ મળતાં આવતાં હોય. તે વૃત્તને અર્ધસમવૃત્ત' કહેવામાં આવે છે અને જે વૃત્તનાં કઈ પણ બે ચરણે અક્ષરના નિયમથી એકમેક સાથે મળતાં આવતાં ન હોય, તે વૃત્ત “વિષમવૃત્ત' ના નામથી ઓળખાય છે. વળી સાધારણ રીતે વૃત્તમાં એકથી માંડીને તે વધારેમાં વધારે છવ્વીસ (૨૬) અક્ષરો હોય છે. આ અક્ષરોમાંના કેટલાક હસ્વ અને કેટલાક દીર્ધ ગણાય છે. જેમકે એ, ઈ, ઉ, ત્રહ અને લ એ હસ્વ અક્ષરે છે, જ્યારે બાકીના આ, ઈ, ઊ, , એ, એ, એ અને ઔ એ દીર્ઘ અક્ષરે છે. આ ઉપરાંત એ ધ્યાનમાં રાખવું કે હસ્વ અક્ષરની પછી અનુસ્વાર, વિસર્ગ કે જેડાક્ષર આવે, તે તે અક્ષર દીર્ધ ગણાય છે, તેમજ પદના અન્તને હસ્વ કવર પણ કવચિત્ ગુરૂ ગણાય છે. અમુક અક્ષર હસ્વ છે કે દીર્ઘ છે અર્થાત્ તે “લઘુ છે કે “ગુરૂ' છે, તે દર્શાવવા લ અને ગ એવા અક્ષરે તેમજ “- ” અને “-” અથવા “” અને “ડ' ચિહ્નો વપરાય છે. આ હસ્વ-દીર્ઘ અક્ષરોમાંના ત્રણ ત્રણ અક્ષરના સમૂહને “ગણુ” કહેવામાં આવે છે. છન્દઃશાસ્ત્રમાં બતાવ્યા મુજબ એકંદર આઠ ગણે છે. આ સંબંધમાં નીચે લેક વિચાર ઉપયોગી થઈ પડશે – "'म' स्त्रिगुरुस्त्रिलघुश्च 'न' कारो મારિનુ પુનરાત્રિપુરા 'जो' गुरुमध्यगतो 'र' लमध्यः અથાત્ મગણમાં ત્રણે અક્ષર (વ) ગુરૂ હોય છે, જ્યારે નગણમાં તે ત્રણે લઘુ હેય છે; આદિ વર્ણ ગુરૂ હોય અને બાકીના બે લઘુ હોય, તે તે ભગણ છે; એવી રીતે પ્રથમ વર્ણ લઘુ હોય અને બાકીના બે ગુરૂ હોય, તે તે યગણ છે. એકલે મધ્ય વર્ણ ગુરૂ હોય તે જગણું છે અને એકલે મધ્ય વર્ણ લઘુ હોય તે રગણ છે. એક અન્ય વર્ણ ગુરૂ હોય તે સગણુ અને એવી જ રીતે એકલો અન્ય વર્ણ લઘુ હોય તે તગણુ છે. આઠ ગણેની સમજ– = (---), ૨ ( --), ૨ (- --), ૪ (૨૦-), ૪ (-- ૨, ૪ ( - ), = (-૦ -૦, (-). ૧ સરખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ-૧૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy