SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. આ રાજસાગર ઉપાધ્યાય તે પ્રસ્તુત કવીશ્વરના ગુરૂ હશે કે કેમ એ પ્રશ્ન છે કેમકે તેઓ તે પિપ્પલ ગચ્છના છે, જ્યારે આ કવિરાજ તે તપાગચ્છીય હોય એમ ભાસે છે. તપાગચ્છીય રાજસાગરજીના ઐતિહાસિક વૃત્તાન્ત પરત્વે ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિચાર ન કરતાં જૈન ગૂર્જર કાવ્યસંચય પુસ્તકને રાસસાર (પૃ. ૨૧) જેવા હું ભલામણ કરું છું. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત રવિસાગરજીએ “જિરાઝીરાની” થી શરૂ થતી ચાર લેકની વીર-સ્તુતિ પણ રચી છે. આ સ્તુતિ ચાર સંસ્કૃત ટીકાઓ સહિત છપાયેલી સ્તુતિચતુર્વિશતિકામાં ખ–પરિશિષ્ટ તરીકે આપેલી છે. વળી “શ્રીમતિ મૃત્મળમૂહુમાન થી શરૂ થતી ચાર શ્લેકની શ્રીગૌતમ-સ્તુતિ પણ તેમની કૃતિ છે (આ રસ્તુતિ સ્તુતિચતુર્વિશતિકાની સંસ્કૃત ભૂમિકાના ૧૨મા પૃષ્ટમાં આપવામાં આવી છે). વિશેષમાં તેમણે શ્રીવર્ધમાનમાવાર માવાન ઘચ એવા પ્રારંભિક પદવાળું ૧૧ પદ્યનું શ્રીવીરતેત્ર પણ રહ્યું છે. જૈન ગ્રન્થાવલી તરફ દષ્ટિ-પાત કરતાં સં. ૧૯૩૬ માં ૨૬૭૦ કપ્રમાણુક રૂપસેનચરિત્ર અને સં. ૧૬૫૪ માં ૨૦૦ ક જેવડું મૌન એકાદશી કથામાહાસ્ય રચનારા તરીકે જે રવિસાગરનું નામ જોવામાં આવે છે તેજ આ પ્રસ્તુત કવિરાજ હશે એમ લાગે છે. વિશેષમાં ૭૦૦૨ લેકના પ્રમાણુવાળા પ્રદ્યુમન-ચરિત્ર રચનારા તરીકે પણ રવિસાગરનું નામ નજરે પડે છે. પરંતુ આ ચરિત્ર સં. ૧૨૦૭ માં રચાયાને ત્યાં (૨૨૭ મા પૃષ્ઠમાં) ઉલ્લેખ હેવાથી આ રવિસાગરજી તે પ્રસ્તુત મુનીશ્વરથી ભિન્ન હોવા જોઈએ એમ સહેલાઈથી અનુમાન થાય છે. (કદાચ સંવતનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈ હોય તે તે જુદી વાત છે). અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે પડિત હીરાલાલ હંસરાજ તરફથી દશેક વર્ષ ઉપર પ્રસિદ્ધ થયેલ પ્રદ્યુમ્ન ચરિત્ર ૭ર૦૦ + ૦૦ શ્લોક પ્રમાણુક છે અને તે ૧૬૪૫ માં શ્રીહીરવિજયસૂરિના સામ્રાજ્યમાં અને શ્રીવિજયસેનસૂરિના યૌવરાજ્યમાં રચાયેલું છે. વળી તેના કર્તાનું નામ પણ રવિસાગર છે. આ શ્રીરવિસાગરગણિ તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના ૧ શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલા તરફથી પ્રસિદ્ધ થયેલા પર્વકથાસંગ્રહમાં આ કૃતિ પ્રકાશિત થયેલી છે. આ કૃતિના પ્રાન્ત ભાગમાં એ ઉલ્લેખ છે કે " श्रीश्रीहीरविजयगुरुपट्टे श्रीविजयसेनसूरीन्द्रः । तेषां स्वच्छे गच्छे विबुधश्रीराजसागरकाः ॥ २०३ ॥ तेषां शिष्यभुजिष्यो निजमत्यनुसारतश्च माहात्म्यम् । मौनस्यैकादश्याश्चकार रविसागरो विबुधः॥ २०४॥ यत्राज्ञाहरपावो यत्र स्तूपश्च हीरविजयगुरोः। यस्योपान्ते द्वीपाभिधबन्दिरमस्ति शस्तिकरम् ॥ २०५ ॥ उन्नतनगरे तस्मिन्नेतत् पूर्णीवभूव विद्वद्भिः। संशोध्य वाच्यमब्दे सागरशररसशशि( १६५७ )प्रमिते ॥ २०६॥ અત્ર રચના-સમય સં. ૧૬૫૭ હેવાનો ઉલ્લેખ છે તે વિચારણીય છે એમ શ્રીયુત લાલચન્દ્ર સુચવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy