SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. areerang (૧૩૮૭) શિહિનિ સોમરિયgs. अब्भत्थणाए हेमस्स संघवहरयणतणयस्स ॥" આ ઉપરથી સુસ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સત્તરિસયઠાણના કર્તા (શ્રીસેમપ્રભસૂરિના શિષ્યવર્ય) શ્રીમતિલકસૂરિજ છે અને વળી એ ગ્રન્થ રત્ન નામના સંઘપતિના પુત્ર હેમના અભ્યાસાર્થે તેમણે રચે હતે. કદાચ એ નામના બીજા સૂરિએ એ વર્ષમાં આ ગ્રન્થ રચ્યો હોય એમ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય, પરંતુ તે વાત સંભવતી નથી, કેમકે શ્રી મુનિસુન્દરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮૪મા કના પ્રારંભમાં “વૃદ્ધક્ષેત્રમાનસન્નતિરાથાનાવિરાજૈનવે” એ દીવા જેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. - શીલતરંગિણીના કતાં વૃદ્ધક્ષેત્રસમાસાદિના કતથી બીજા હોય એમ લાગે છે, કારણકે જૈન ગ્રન્થાવલીના ૧૮૯મા પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે કે આ ગ્રન્થ સં. ૧૩૯૪માં નહિ પરંતુ સં. ૧૨૯૪ માં રચાયેલો છે. વળી તેના કર્તા તે રૂદ્રપલીય ગછીય મલિકજી છે એ વાત તેમજ તે શીલપદેશમાલાની વૃત્તિ છે એ હકીકત પણ હત-ટિપ્પનિકા ઉપરથી જોઈ શકાય છે. વિશેષમાં પુસ્તકાકારે ભાષાંતર સહિત શ્રાવક ભીમસી માણેકે પ્રસિદ્ધ કરેલ શીલપદેશમાલાની પ્રશસ્તિના નિમ્નલિખિત નવથી અગિયાર પદ્ય ઉપરથી જોઈ શકાય છે કે નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિની પરંપરામાં થએલા શ્રીસંઘતિલકસૂરિના શિષ્ય શ્રીમતિલકસૂરિએ પ્રથમ શીલતરંગિણી નામની વૃત્તિ રચી, ત્યાર પછી તેનું અધ્યયન કરી અર્થ સ્ફટ કરવા માટે એ૮ સાધુના આદેશથી અને લાલા સાધુ (શાહ)ના પુત્ર છાભુ સાધુએ કરેલી પ્રેરણાથી મુનિરાજ શ્રીવિદ્યાતિલકે વિ. સં. ૧૨૯૪ માં નવી વૃત્તિ રચી. આ રહ્યાં છે પદ્ય – ૧ આ સંબંધમાં સાક્ષરવર્ય લાલચંદ્ર ભગવાનદાસ સૂચવે છે કે – હી. હું તરફથી શીલતરંગિણી પ્રકાશિત થયેલી છે, પરંતુ તેમાં પ્રશસ્તિ જોવામાં આવતી નથી. આ પ્રફમાં તમે ભી, મ, ના પુસ્તક પરથી પ્રશસ્તિનાં પડ્યો ટાંક્યાં છે; અંહિતા સંગ્રહની હસ્તલિખિત પ્રતિમાં થોડા ફેરફાર સાથે તે પળે છે. પરંતુ વિ. સં. ૧૨૯૪ કે ૧૭૮૪ એ બરાબર બંધબેસતું જતું નથી, કારણ કે આ સામતિલકસૂરિના ગુરૂ તથા સતીર્થ્ય ગુરૂબંધુની કૃતિ વિ. સં. ૧૪૨૨ તથા ૧૪૨૮ માં રચાયેલી છે. તે બંને કવિ દે, લા૫, કંડ તથા હી તરફથી પ્રકાશિત જોવાય છે. ઉપરની શીલતરંગિણીની પ્રશસ્તિમાં સૂચવેલ વિદ્યાતિલકસરિ એ સંઘતિલકસૂરિના ભક્ત ( શિષ્ય ) જણાય છે કે જેણે જિનપ્રભસૂરિના બ્રાય વીરકાને પરિશેષ ભાગ ર છે; જેમાં વિ. સં. ૧૩૮૮ ને ઈતિહાસ પણ આપેલ છે. દ્વારા અનુમાન પ્રમાણે શીલતરગિણીને જ શીલપદેશમાલાની નવી વૃત્તિ તરીકે ત્યાં એાળખાવી છે. શીયાપદશમાલાસત્રાર્થના અભ્યાસી છાભ (જી) શાહે વિદ્યાતિલકસૂરિ (સંઘતિલકસૂરિશિષ્ય) દ્વારા–અર્થાત તેમને પ્રાર્થના કરી તેમના પરિવારમાંથી–તેમની આજ્ઞામાં રહેલા સામતિલકસૂરિ પાસે એ પૂર્વોક્ત વૃત્તિ કરાવી. રચના સમયમાં જ્યાં વિક્રમાંકે છે, ત્યાં કદાચ ભૂલ થઈ હશે. શાકે લેવાથી સંબંધ મળે છે. ૧૨૧૪+૧૩=૧૪૨ વિ. સં. ૧૪ર બરાબર આવે છે. યુગને અર્થ બે લેવામાં આવે તે વિ. સં. ૧૪ર૭ આવે. એમાં પણ વાંધો નથી વિ. સં. ૧૪ર૮ માં રચાયેલી પ્રશ્નોત્તર–રત્નમાલાવૃત્તિમાં પણ આ શીલા૫દેશમલાવૃત્તિને ઉલેખ છે, તેને પણ વાંધો આવતો નથી. » Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy