SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ભૂમિકા. શ્રાવકગુણ સઝાય (ગા. ૧૫) અને (૫) ગજસુકુમાલ સઝાય (ગા. ૧૪) ઈત્યાદિ કૃતિઓના રચનારનું નામ પણ ઉમેરૂવિજય છે. એઓ શ્રીદેવવિજયના પ્રશિષ્ય અને શ્રીજયવિજયના શિષ્ય થાય છે. નંદીષેણ સઝાયના કર્તાનું નામ પણ મેરવિજય છે અને તેઓ શ્રીહર્ષવિજયના શિષ્ય છે. આ ઉપરાંત (૧) પૃથ્વી સચિત્ત સઝાય, (૨) ધન્નાની સઝાય અને (૩) વસ્તુપાલ-તેજપાલને રાસ એ ગ્રન્થના કર્તાઓ પણ મેરૂવિજયના નામથી ઓળખાય છે. પરંતુ આ પૈકી પ્રથમ કૃતિ શ્રીલાલવિજયના શિષ્ય, બીજી શ્રી જિનવિજયના શિષ્ય અને ત્રીજી કૃતિ શ્રીરંગવિજયના શિષ્ય રચી છે. પરિશિષ્ટ-પરિચય (૧) સાધારણ જિનસ્તુતિ આ ગ્રન્થના અતિમ ભાગમાં શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ અવરિ, અનુવાદ ઈત્યાદિ સહિત આપવામાં આવી છે. આ ઉપજાતિ છંદમાં રચાયેલી પચતુરથી સ્તુતિને સાધારણજિનસ્તુતિ” કહેવાનું કારણ એ છે કે આમાં કે અમુક તીર્થંકરના નામનો ઉલ્લેખ નથી એટલું જ નહિ પણ તે અમુક તીર્થંકરની સ્તુતિ છે એમ સુચન કરનાર કેઈ શબ્દ કે પદ પણ નથી એટલે કે આ ગમે તે કઈ પણ તીર્થંકરની સ્તુતિરૂપ ગણી શકાય તેમ છે. આ સ્તુતિના કર્તા શ્રીમતિલકસૂરિએ રચેલા સર્વજ્ઞ–સ્તેત્રને ઉલ્લેખ (અનુવાદ સહિત) એ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૮–૧૭૦) માં કર્યો તે વખતે એમના સંબંધમાં મેં કંઈ ઊહાપોહ કર્યો નથી, એટલે આ વખતે પણ તેમ કરવું ઈષ્ટ નહિ ગણાય એથી કરીને તેમના વિષે બે શબ્દ લખવા પ્રવૃત્ત થાઉં છું. ૧–૩ આ ત્રણે મુનીશ્વરની સ્થલ રૂપરેખા માટે જુઓ સ્તુતિ–ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિક ૪ ઉપજાતિનું લક્ષણ એ છેકે– " स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः, उपेन्द्रवज्रा जतजास्ततो गौ। अनन्तरोदीरितलक्ष्मभाजी, पादौ यदीयावुपजातयस्ताः॥" ૫ એકના એક પધના ચાર અર્થે થતો હોવાથી આ સાર્થક છે. ૬ સાધારણ-સ્તોત્રે તેમજ સ્તવને પૈકી કેટલાંક તે જૈનસ્તોત્રસંયના પ્રથમ અને દ્વિતીય ભાગમાં દષ્ટિગોચર થાય છે. * ૭ આ દશ પદ્યનું સ્તોત્ર છે અને તેના અન્તિમ પધમાં તે કર્તાએ આડકતરી રીતે પિતાનું નામ પણ સૂચવ્યું છે. આ સ્તોત્ર અવસૂરિ સહિત જૈનસ્તોત્રસંગ્રહના દ્વિતીય વિભાગ (પૃ. ૩૩)માં પ્રસિદ્ધ થયેલું છે. જૈન ગ્રન્થાવલીના ૨૮૪ મા પૃષ્ઠમાં ૪૦ પદ્યનું સર્વજ્ઞ-સ્તોત્ર સંમતિલકે રચેલાનો ઉલ્લેખ છે, તેથી આ કઈ બીજું કાવ્ય છે અને તેના રચનારા પણ કોઈ અન્ય મુનિરાજ છે કે કેમ એ પ્રશ્ન ઉઠે છે. આ પ્રતિ જેસલમેરમાં હોવાનું ત્યાં સૂચવ્યું છે, પરંતુ ‘બેરાઢમેરીયમ ગ્વાયત્રજ્યાનાં સૂવીમાં તેનું નામ જણાતું નથી, કિન્તુ આથી કરીને તે જેસલમેરના ભંડારમાં નથી જ એમ કહી શકાય નહિ, કારણ કે જે. ભાં. સૂચી એ મહત્ત્વવાળા અને ઉપયોગી જણાયેલા ગ્રન્થનું જ વર્ણાત્મક સૂચીપત્ર છે, એ સમસ્ત ગ્રન્થનું સૂચી-પત્ર નથી એ વાતની એ ગ્રન્થની પ્રસ્તાવનાના ૧૪મા અને ૧૫ માં પૃથ્થા સાક્ષી પૂરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy