SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः મહાવીર-જીવન (અંગ્રેજીમાં) તથા અ લાયમેનકૃત “બુદ્ધ અને મહાવીર' (કેન્ચ ભાષામાં), શ્રીયુત મશરૂવાળાકૃત બુદ્ધ અને મહાવીર નામનું પુસ્તક, શ્રીયુત બાબુ કામતાપ્રસાદજી જૈનકૃત ભગવાન મહાવીર, શ્રીયુત નંદલાલ વકીલે રચેલ મહાવીરચરિત્ર, ડૉ. યાકોબીની આચારાંગાદિક ઉપરની અંગ્રેજી પ્રસ્તાવના તેમજ ડૉ. હર્નલની ઉપાસકદશાંગ ઉપરની અંગ્રેજી પ્રસ્તાવના, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડના ઈ. સ. ૧૯૧૪ ના બે ખાસ અંકે વિગેરેમાંથી પણ મહાવીર સ્વામીને લગતી કેટલીક હકીકત મળી આવે છે. આ પુસ્તકે પૈકી કેટલાંકમાં શ્વેતામ્બર માન્યતાથી વિરૂદ્ધ પણ લખાણ છે, એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. ઉપર્યુક્ત સાધને ઉપરાંત મહાવીર જિનેશ્વરના ચરિત્ર ઉપર આગમ પણ પ્રકાશ પાડે છે. જેમકે આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું ઉપધાન–શત નામનું નવમું અધ્યયન તથા દ્વિતીય શ્રુતસ્કંધની તૃતીય ચૂલિકાનું ૨૪મું અધ્યયન, સ્થાનાંગના દશમા સ્થાનકમાં આપેલાં દશ સ્વને, સૂત્રકતાંગમાંથી વીર-સ્તુતિ-અધ્યયન તેમજ આÁક-અધ્યયન, ભગવતીમાંથી ગર્ભ–સંક્રમણ, ગશાલકને અધિકાર, એમિલ વિપ્રને વૃત્તાન્ત, દેવાનંદા અને ત્રીષભદત્ત, જયન્તીમૃગાવતી, ગાંગેય, કાલેદાયી શ્રાવક, જમાલિ, હલ્લ અને વિહલ વિગેરેને લગતા પ્રસંગે, રાયપાણીમાંથી દેવાગમન અને નાટ્ય, મહાનિશીથનું તૃતીય અધ્યયન, દશાશ્રુતસ્કંધમાંથી શ્રેણિક અને ચેલનું આગમન, વિપાકસૂત્રમાંથી મૃગપુત્રાદિકને અને અંતગડ અને અનુત્તરમાંથી ધન્નાજી વિગેરેના અધિકાર, નિરયાવલીમાંથી કેણિકના યુદ્ધ વિગેરેની હકીકત, ઉવવામાંથી વિહાર, પર્ષદા, દેશના વિગેરે, જ્ઞાતાધર્મકથાગમાંથી મેઘ, દર્દર અને કાત્યાદિ સંબંધી વિવેચન, સમવાયાંગમાંથી નન્દન-પર્યાય, સમવસરણ વિગેરે, ઉપાસક. દશાંગના દ્વિતીય અધ્યયનમાંની કામદેવ–પ્રશંસા, સદાલપુત્ર સંબંધી સાતમું અધ્યયન, તથા અષ્ટમ અધ્યયનમાંથી મિથ્યા–દુષ્કૃત, ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશી-ગૌતમ-સંવાદ, શ્રીભદ્રબાહસ્વામીકૃત ક૫ત્ર તેમજ તેમની આવશયક ઉપર રચેલી નિર્યુકિત, તથા તેના ઉપરનું શ્રીજિનભદ્રક્ષમાશ્રમણનું ભાષ્ય તેમજ તેના ઉપરની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા. ૧ આ અધ્યયનમાં મહાવીર પ્રભુનાં પરીષહે તેમજ તેમની તપશ્ચર્યા સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૨ પાંચ મહાવ્રતની ભાવના ઉપર પણ આ અધ્યયન પ્રકાશ પાડે છે. ૩ જુઓ સમવાયાંગનું દશ લાખમું સ્થાનક. ૪ આ નિયુકિતની ૧૪૫ થી ૧૪ સુધીની ગાથામાં મહાવીરસ્વામીને સમ્યક્ત્વની પ્રાપ્તિ તેમજ તેને મરીચિ તરીકેના ભાવને ઉલ્લેખ છે. ૧૮૨ મી અને ૧૮૩ મી ગાથામાં વિંશતિ-સ્થાનક–તપની તેમણે સર્વથા આરાધના કરી છે એ વાત જોઈ શકાય છે. ૨૦ થી ૩૧૩ સુધીની ગાથામાંથી તેમને લગતી બીજી થોડીક હકીકત મળી આવે છે. ૩૨૩ થી ૩૩૦ સુધીની ગાથા પારણાને સંબંધમાં પ્રકાશ પાડે છે. ૩૪૭ થી ૩૭૧ સુધીની ગાથામાં મરીચિના ભવને વિશેષતઃ વિચાર કરવામાં આવ્યું છે. ૩૭૬ થી ૩૮૦ સુધીની ગાથા ઉપરથી તીર્થકરોનાં નામ તથા વર્ણ સંબંધી માહિતી મળે છે. ૫૦૧૨ થી ૫૧૧ મી ગાથામાં સંગમે વીર પ્રભુને દુઃખ દેવાને જેલા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy