SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૨ શ્રીનેમિએ તે ઘણાએ જાણે છે કે ઈન્દ્રિયની લુપતા તે અધઃપતનનું મુખ્ય કારણ છે અને તેના ઉપર વિજય મેળવતાં સર્વ સુખ આવી મળે છે, પરંતુ તથાવિધ આચરણ કરનારા બહુજ થોડા છે. આ સંબંધમાં શૃંગારરસમાં એક વખત પૂરેપૂરા રંગાયેલા અને ત્યાર બાદ વિષયરસ તે વિષ-રસ છે એવી સચેટ વૈરાગ્ય-ભાવનાથી ભાવિત અંતકરણવાળા બનેલા મહર્ષિ ભર્તુહરિ પણ શું કહે છે? એજ કે “ગાનન રાખ્યું પરંતુ રામરહને स मीनोऽप्यज्ञानाद् बडिशयुतमभातु पिशितम् । बिजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिलान् ન મુસાનઃ સામાનદ ! જાન મોદણમા ” -વૈરાગ્યશતક, ૦ ૧૮ અર્થાત–દાહ (બળતરા)ના સ્વભાવને નહિ જાણનારે પતંગીઓ તીવ્ર અગ્નિમાં પડે અને તે માંછલું પણ અજ્ઞાનને લીધે બડિશ સાથે જોડાયેલા માંસને ખાવા જાય (એ બનવા જોગ છે), પરંતુ કામવાસનાઓ (વિષયે) વિપત્તિની જાળથી વીંટળાયેલી છે, એમ વિશેષતઃ જાણવા છતાં આ અમે તેને છેડતા નથી. અહા, મેહને મહિમા કે ગહન છે ! આ સંબંધમાં શાસ્ત્રકારે પણ કથે છે કે २सु च्चिय सूरो सो चेव पंडिओ तं पसंसिमो निचं । इंदियचोरेहिं सया न लंटिअं जस्स चरणधणं ॥" અર્થાત સાચે શૂરવીર તે તેજ છે કે જે કામિનીના કટાક્ષરૂપી બાણેથી વધારે નથી; ખરેખર પંડિત તે તેજ છે કે જે સ્ત્રીઓનાં ગહન ચરિત્રોથી ખંડિત થતું નથી; અને વસ્તુતઃ પ્રશંસાપાત્ર તે તેજ છે કે જે સંસારમાં રહીને પણ ઇન્દ્રિયની વિષય જાળમાં સપડાતે નથી એટલું જ નહિ, પરંતુ ઈન્દ્રિયરૂપી પ્રસિદ્ધ લુંટારાઓથી પિતાના ચારિત્ર-રત્નને જરા પણ આંચ આવવા દેતા નથી. આપણામાં તેમજ મહાત્મામાં કંઈ સામાન્યતઃ ફેર નથી, પરંતુ જે છે તે એ જ છે કે તેઓ વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખ્યા બાદ પિતાનું વર્તન પણ તદનુકૂળ બનાવે છે જ્યારે આપણે તે– કહેવું છે કાંઈ અને કરવું છે કાંઈ, એમ ભવ-જલ તરે છે ભાઈ.” અન્ય શબ્દોમાં કહીએ તે “જ્ઞાના જ વિપતિઃ ” એ મુદ્રાલેખને મહાત્માઓજ ચરિતાર્થ કરી બતાવે છે. ૧ “કાં મત્સ્યવેધનમ્ ” ચમક; માછલાને પકડવાનું યંત્ર, ૨ સંસ્કૃત છાયા " स एव शूरः स एव पण्डितः तं प्रशंसामो नित्यम् । इन्द्रिय चोरैः सदा न लुण्टितं यस्य चरणधनम् ॥ ૩ વિચારે શ્રીસ્થલિભદ્રનું ચરિત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy