SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતચ: ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૪૯ એવીજ રીતે કૂતરાના પણ વિચાર થઈ શકે તેમ છે. તેમાં એ તે પ્રસિદ્ધ હકીકત છે કે ફક્ત એક મહિનાને સારૂ સ્પર્શનેન્દ્રિયના ગુલામ બનેલેા કૂતરા અનેક વિડંબનાના અનુભવ કરે છે, તેા પછી બારે માસને માટે આ ઇન્દ્રિયના પક્કા ગુલામ બનેલા મનુષ્યાને સારૂ તે કહેવુંજ શું ? મહાત્મા તુલસીદાસે જે એમ કહ્યું છે કે " कार्तिक मासके कूतरे, तजे अन्न ओर पास । तुलसी वहां की क्या गति, जीसके बारे मास ॥" તે ઠીક છે. રસનેન્દ્રિયના વિષયમાં લંપટ બનેલા જીવ કેવી અધમ સ્થિતિએ પહોંચે છે, સંબંધમાં ગહન તેમજ નિર્મળ જળમાં નિવાસ કરનારા પરંતુ માછીમારોને હાથે આટાની ગોળીએ કે એવા ખાદ્ય પદાર્થને ખાવાની લાલચથી ફસાઇ જતાં મત્સ્યની કેવી કમ્ભક્તી થાય છે, તેના ખ્યાલ આપવાની કંઈ જરૂર રહેતી નથી. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત અનેલા ભ્રમર તદ્વિષયમાં લીન અનેલા પ્રાણીની દુર્દશાના ચિતાર આપવા પૂરતૅ છે. તેવીજ રીતે નેત્રેન્દ્રિયના વિષય પરત્વે પતંગિયાનું અને કર્ણેન્દ્રિયના વિષય સંબંધમાં મૃગનું દૃષ્ટાન્ત વિચારી લેવું. ગમે તે એકજ ઇન્દ્રિયના વિષયરૂપી કેદખાનામાં સપડાયેલા જીવને પણ જ્યારે આ પ્રમાણે અનેક કષ્ટો વેઠવાં પડે છે, તો પછી જે પાંચે ઇન્દ્રિયાના ચૈન્નડા ’જેલ કરતાં પણ વધારે ત્રાસજનક બંદીખાનામાં રહેલા જીવને સારૂ તે કહેવુંજ શું ? આ ઉપર્યુક્ત હકીકતને સમસ્ત સાર ચિદાનંદજીકૃત વિષય-વાસના-ત્યાગ એ નામના પદમાં સુંદર રીતે સમાયેલેા હૈાવાથી તે પદની ઘેાડી ઘણી કડીઓનું અત્ર ટાંચણુ કરવું અસ્થાને નહિ ગણાય. તે મનોરંજક-ચિત્તાકર્ષક કડીઓ નીચે મુજબ છેઃ— “ મન્મથ વશ માતંગ જગતમૈ, બહુત મહુત દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ‘જખ મૂરખ, જાલ પડ્યો પછતાવે રે, વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગેા રે—માંકણી ઘ્રાણુ-સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે, તે સાજ સંપુટ સંયુત પુન કરટીકે મુખ જાવે રે—વિષય૦ રૂપ મનાતુર દેખ પતંગા, પડત દ્વીપમાં જાઈ રે, દેખા યાકુ દુખ કારનમેં, નયન ભયે હૈ સહાઈ ફૈ--વિષય૦ શ્રોત્રેન્દ્રિય આસક્ત ઉમિરગલા, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાના વિધ દુઃખ પાવે રે—વિષય૰ પંચ પ્રખલ વર્તે નિત્ય જાકું, તાકું કહેા કયા કહીયે રે, ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીયે ૨-વિષય૦ ૧ માલું, ર્ હાથી. ૩ મૃગ, હરણું. Jain Education International For Private & Personal Use Only ,, www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy