SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રીચર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૨ શ્રીનેમિ જેવા કડવા અનુભવ થયા હતા, તેવા અનુભવ કાઇ પણ તીર્થંકરને થતા નથી. આનું કારણ જૈન શાસ્ત્રમાં તપની જે નીચે મુજબની વ્યાખ્યા કરવામાં આવી છે, તે તરફ દૃષ્ટિપાત કરવાથી સમજી શકાશે. ', "सो हु तवो कायव्वो, जेण मणोऽमंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति ॥ અર્થાત્ જે તપશ્ચર્યા કરવાથી ચિત્ત અશુભ વિચાર ન કરે, તેમજ (કાયિક, વાચિક અને માનસિક ) વ્યાપારાને ખલેલ ન પહેાંચે, વિષય-વિચાર મૂળ લેાકમાં ‘મોગરાનાઁ ' અને શ્લાકાર્થમાં · વિષય-શ્રેણિ ' વિષે ઉલ્લેખ છે, તે વિષય એટલે શું અને કઇ ઈન્દ્રિયના કેટલા વિષયેા છે તેમજ તેનું સેવન કરવાથી શા શા ગેરલાભા થયા છે તેનું દિગ્-દર્શન કરી લઇએ. એ તા જાણીતી વાત છે કે એકંદર રીતે ઇન્દ્રિયા પાંચ છે—(૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), (૨) રસનેન્દ્રિય (જીભ ), (૩) ઘ્રાણેન્દ્રિય (નાક), (૪) નેત્રેન્દ્રિય ( આંખ ) અને (૫) કર્ણેન્દ્રિય (કાન). સામાન્યતઃ ઇન્દ્રિયાના વ્યાપારને અને વિશેષતઃ તેના અનિષ્ટ હાનિકારક વ્યાપારીને ‘વિષય ’ કહેવામાં આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયના (૧) શીત ( ઠંડા ), (૨) ઉષ્ણુ (ગરમ), (૩) લઘુ (હલકા), (૪) ગુરૂ (ભારે), (૫) સ્નિગ્ધ ( ચીકણા ), (૬) રૂક્ષ (લુખા), (૭) સુકેામલ (લીસા) અને (૮) કઠોર (ખડખચડા ) એમ આઠ વિષય છે. એવી રીતે રસનેન્દ્રિયના મધુર (મીઠા ), આમ્લ (ખાટા), તિક્ત ( કડવા ), કટુ (તીખા ) અને કષાય (તુરા) એમ પાંચ વિષયા છે. ધ્રાણેન્દ્રિયના તા સુગન્ધ અને દુર્ગન્ધ એમ એ વિષયા છે. નેત્રન્દ્રિયના શ્વેત (સફેદ), નીલ ( કાળા ), હરિત (લીલા), પીત ( પીળા ) અને રક્ત (રાતા) એમ પાંચ વિષયા છે, જ્યારે શ્રવણેન્દ્રિયના શબ્દ, અપશબ્દ અને મિશ્ર-શબ્દ એમ ત્રણ વિષયે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે ઇન્દ્રિયાના એક દર રીતે ૨૩ વિષયા છે. આથી ભાગરાજી યાને વિષયશ્રેણિ એવા શબ્દ-પ્રયોગ સયુક્તિક છે એમ જોઈ શકાય છે. વિષય–વિડંબના ઇન્દ્રિયની હાનિ ન થાય તેજ તપશ્ચર્યાં કરવી. સ્પર્શનેન્દ્રિયને વશ થયેલે પ્રાણી કેવી વિડંબના ભાગવે છે, તે સંબંધમાં હાથીનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. સ્વતંત્ર ફરનારા, પર્વતામાં નિવાસ કરનારા, વનમાં સુકામલ વૃક્ષાનાં સુંદર પત્રોના આહાર કરનારા એવા હાથી સ્પર્શનેન્દ્રિયના વિષયને વશ થવાથી તેને પડવાને સારૂ તૈયાર કરેલા ખાડાના ઉપર કૃત્રિમ હસ્તિનીની આકૃતિ દેખીને ખાડામાં પટકાઈ મરે છે. અરે, તેને પકડનારા તરફથી પાછળથી પણ તેને કેવી અસહ્ય વેદના ભાગવવી પડે છે તેનું આ લેખન કરવા આ લેખિની અસમર્થ છે. આ તા હાથીની દુદ શાના વિચાર કર્યાં, ૧ છાયા— Jain Education International तदेव तपः कर्तव्यं येन मनोऽशोभनं न चिन्तयति । येन नेन्द्रियहानियेन च योगा न हीयन्ते ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy