SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ જિનસ્તુતયઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः બ્લેકાર્થ શ્રીનેમિનાથને પ્રણામ મનુષ્યના મદનની પુષ્ટિ કરનારી એવી વિષય-શ્રેણિને ત્યાગ કરીને જેણે ગિરિનાર નામના ગિરના શિખર ઉપર તપશ્ચર્યા કરી તેમજ જેના આભ્યન્તર શત્રુઓ નાશ થયા છે એવા જેણે રાજમતીના ત્યાગની રચના કરી (અર્થાત તેને ત્યાગ કર્યો, તે નેમિનાથ)ને હે મનુષ્ય! તમે વન્દન કરે.”–૮૫ સ્પષ્ટીકરણ ગિરિનાર ગિરિ– આ પર્વત કાઠિયાવાડમાં આવે છે. એની સાથે આ બાવીસમા તીર્થંકર નેમિનાથને ગાઢ સંબંધ છે, કેમકે આ પર્વતના શિખર ઉપર તે તેમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણુકેમાંનાં છેવટનાં ત્રણ કલ્યાણક થયાં છે. આ વાતનું નીચેની ગાથા સમર્થન કરે છે. “નારદ, વિદ્યા બાલં નિદગ કરતા तं धम्मचक्कवट्टी, अरिहममि नमसामि ॥” . – સિદ્ધાણં બુદાણું (સિદ્ધસ્તવ સૂત્ર), ગાજ અથાત–ઉજયંત (ગિરિનાર) પર્વતના શિખર ઉપર દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ જેનાં થયાં છે, તે ધર્મચક્રવતી (શ્રી)અરિષ્ટનેમિને હું નમન કરૂં છું. આ પર્વતનું વિશિષ્ટ વર્ણન ભક્તામરસમસ્યારૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગના પરિશિષ્ટમાંથી મળી શકશે. તપશ્ચર્યા– તીર્થકરો કે જેઓ તેજ ભવમાં જરૂરજ મોક્ષે જનાર છે, તેઓ પણ તપશ્ચર્યા કરે છે, એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે. એ કહેવું અસ્થાને નહિ ગણુય કે વિંશતિ-સ્થાનક ' આરાધના કરીને તે તીર્થકરે તીર્થંકર-નામ-કર્મ બાંધે છે અને ખુદ દીક્ષા લેતી વખતે પણ પ્રાયઃ સર્વે તીર્થંકરે કંઈને કંઈ તપશ્ચર્યા કરે છેજ. વિશેષમાં શ્રીગૌતમ બુદ્ધને તપશ્ચર્યાના સંબંધમાં ૧ છાયા उज्जयन्तशैलशिखरे दीक्षा ज्ञान नैषेधिकी यस्य । तं धर्मचक्रवर्तिनमरिष्टनेमि नमस्यामि॥ ૨ આ તપનું સ્વરૂપ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, ૩૦૧, લે૦ ૮૮૩-૮૦૨) ઉપરથી જોઈ શકાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy