SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. - હવે પાછા પ્રસ્તુત વિષય ઉપર વિચાર કરીશું તે માલુમ પડશે કે આ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાંનાં કેટલાંક પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણે સર્વથા સમાન નથી, પરંતુ તેમાં બે ચરણેમાંથી એકમાં વિસર્ગની અધિકતા છે. જેમકે ૧૬ મા, ૨૨ મા, ૫૮ મા, ૬૩ મા તથા ૭૧ મા પદ્યમાં આવી હકીકત દષ્ટિ–ગોચર થાય છે. પરંતુ આ કંઈ ક્ષતિ નથી, કેમકે કહ્યું પણ છે કે – વમન્નિg, વોથોર્ન મિત नानुस्वारविस! च, चित्रभङ्गाय सम्मतौ ॥" –વાભદાલંકાર - ૨૦ આ કથન અનુસાર ૭૪ મા પદ્યમાં ડકાર અને લકારની અને ૮૦ મા પદ્યમાં બકાર અને વકારની સવર્ણતા નજરે પડે એ સ્વભાવિક છે. પરંતુ ૬૩ મા પદ્યમાં તે શિકાર અને સકારનું પણ સાવર્ય સ્વીકારેલું જોવામાં આવે છે એ વિશેષતા છે, કિન્તુ તે પણ આવા યમકમય કાવ્યમાં વાંધારૂપ નથી (જુઓ પૃ૦ ૧૧૨). આ કાવ્યમાં ચોવીસ તીર્થંકર પૈકી કેટલાકના તે જનક અને જનનીનાં નામે પણ દષ્ટિગોચર થાય છે એ પણ એની વિશિષ્ટતામાં વધારો કરે છે, કેમકે સ્તુતિ-ચતુર્વિશતિકામાં તે ફક્ત પ્રથમ તીર્થંકર શ્રીષભદેવના જ પિતાશ્રીના નામને ઉલ્લેખ છે, બાકીના તીર્થકરોની સ્તુતિઓમાં તે તે તે તીર્થંકરનાજ નામને સાક્ષાત્ ઉલ્લેખ છે, જ્યારે નેમિનાથ-તુતિમાં તે રામતીને પણ ઉલ્લેખ છે. આ રામતીના ઉલ્લેખને ધ્યાનમાં ન લઈએ તો એમ કહી શકાય કે શનિ-સ્તુતિ એ એકજ જિનેશ્વરની સ્તુતિરૂપ છે, કેમકે પ્રત્યેક તીર્થકરના “નામના સામાન્ય અને વિશિષ્ટ એમ જે બે અર્થે થાય છે તે પૈકી સામાન્ય અર્થ અન્ય સ્થળે પણ ઘટી શકે છે. ચતુર્વિશતિકાના સંબંધમાં તે આ હકીકત સંપૂર્ણ રીતે ઘટાવી શકાય છે, કેમકે ત્યાં ફક્ત પ્રથમ પદ્યમાં “નાભેય” એ ઉલ્લેખ છે, જ્યારે અન્યત્ર તે તીર્થકરોનાં નામજ આપેલાં છે. આ પ્રમાણેની અત્રે વિશિષ્ટતા હોવા છતાં એ તે સુસ્પષ્ટ વાત છે કે ત્રણે કાવ્યમાં પ્રથમ પઘમાં તે પ્રથમ તીર્થંકરના પિતાશ્રીનાજ નામનો ઉલ્લેખ હોવાથી તદંશે સમાનતા છે. આ કાવ્યમાં વ્યાકરણના નિયમને કઈ રળેિ ભંગ થયેલો જોવામાં આવતું નથી એ કવિરાજની વ્યાકરણ-શાસ્ત્રની સિદ્ધહસ્તતા સૂચવે છે. વળી સંબોધનાર્થક રૂપના અન્ડમાં એકાર કે ઓકાર હોય અને તેની પછી અકારથી શરૂ થતે શબ્દ આવે તો તે અકારને લેપ કરી તેને સ્થાને ૧-પહેલા ચાર તીર્થકરના તેમજ ૧૨ મા, ૧૮ મા અને ૨૨ મા તીર્થંકરોના જનકનાં નામો તેમજ બીજા, નવમા અને દશમા એ ત્રણ તીર્થકરોની જનનીનાં નામોને સાક્ષાત્ ઉલ્લેખ છે. ૩ આ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાં ૧ લા, ૨ જા, ૪થા, ૧૦ મા અને ૧૨ મા તીર્થકરોનાં નામે આપવામાં આવ્યાં નથી. ૪ આ હકીકત ચતુર્વિશતિજિનાનન્દસ્કૃતિના સંબંધમાં પણ ષ્ટિગોચર થાય છે. જુઓ ૮૫ લેક (આવી રીતે ૮ મા લેકમાં પાર્શ્વનાથન પાથે યક્ષનું પણ નામ નજરે પડે છે.) ૫ જુઓ ચતુર્વિશતિકાને ઉપદ્રવાત (પ૦ ૪૭-૫૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy