SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ભૂમિકા. અવગ્રહ રાખવામાં આવે છે એવાં જે દષ્ટાને ભાગ્યે નજરે પડે છે તે પણ આ કાવ્યમાં દગ્ગોચર થાય છે. એ વાતની ૪૮ મા, ૫૭ મા, ૮૧ મા અને ૯૬ મા પધો સાક્ષી પૂરે છે. . વિશેષમાં એમણે અત્ર એકાક્ષરી કેશને પણ ઉપયોગ કર્યો છે એ એમના કેશ સંબંધીના પાહિત્યને પણ પ્રકટ કરે છે. આ યમકમય કાવ્યમાંનાં અનેક પઘો અનુપ્રાસથી પણ અલંકૃત છે એ તરફ ધ્યાન આપતાં એ પણ ઉમેરવું ઉચિત સમજાય છે કે કવિરાજ પાસે શબ્દને અસાધારણ ભંડાર હો જોઈએ. આ પ્રમાણે મેં યથામતિ વ્યાકરણ, કોશ, અલંકાર, વિષય ઈત્યાદિની અપેક્ષાએ આ કાવ્યની સ્થળ સમીક્ષા પાઠક–વર્ગ સમક્ષ ઉપસ્થિત કરી છે, કેમકે તેની સૂક્ષ્મ (આન્તરિક) સમીક્ષાનું કાર્ય કરવા જેટલું મારામાં બુદ્ધિ-બળ નથી. આથી કરીને તે બદલ હું સાક્ષરવર્ગની ક્ષમા યાચું અને સાથે સાથે એ ત્રુટિ દૂર થવાની તેમની તરફથી આશા રાખું તે વધારે પડતું નહિ ગણાય. કવીશ્વર-વિચાર ઘણી વાર એમ કહેવામાં આવે છે કે કાવ્યની ખરી ખૂબી તે તેના ઉત્પાદક કવિરાજનાં જનક, જનની, જન્મ-ભૂમિ, સત્તા-સમય વિગેરેથી વાકેફગાર થતાં ધ્યાનમાં આવે છે. આ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં વસન્તતિલકા નામના છંદમાં ઉપર્યુક્ત પ્રકારના યમકમય કાવ્ય રચનારા તરીકે અદ્વિતીય એવા કવીશ્વર શ્રીમેરૂવિજયગણિ પરત્વે યથાસાધન વિચાર કરવામાં આવે છે. શ્રીમેરૂવિજયગણિ સંબંધી વિશેષ માહિતી મને મળી શકી નથી. પરંતુ તેઓ તપાગચ્છના છે, વળી તેમણે પડિત તેમજ ગણિ પદવી પ્રાપ્ત કરી હતી તેમજ તેઓ શ્રી આનન્દવિજયગણિના શિષ્ય થાય છે એ વાત તેમજ તેઓ શ્રીવિજયસેનસૂરીશ્વરના સમયમાં થઈ ગયા છે એ હકીકત પણ તેમણે રચેલ આ કાવ્યની અવચરિના અંતિમ ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે. ત્યાં કહ્યું છે કે – " इति श्रीतपागच्छाधिपतिश्रीविजयसेनसूरीश्वरराज्ये सकलपण्डितोत्तमपण्डितश्रीआनन्दविजयगणिचरणकमलचश्चरीकायमाणेन पण्डितमेरुविजयगणिना विरचिता स्वोपज्ञचतुर्विंशतिजिनानन्दनामस्तुत्यवचूरिका सम्पूर्णा." શ્રીવિજયસેનસૂરીશ્વરને સમય વિકમની સત્તરમી શતાબ્દી હોવાનું સુપ્રસિદ્ધ છે. આથી કરીને આ કવિરાજ વિકમની સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં એટલે કે ઈ. સ. ની ૧૭ મી શતાબ્દીના પૂર્વાદ્ધમાં થઈ ગયા હોવા જોઈએ. ૧ અનુપ્રાસનું લક્ષણ એ છે કે "तुल्यश्रुत्यक्षरावृत्ति-रनुप्रासः स्फुरद्गुणः । अतत्पदः स्याच्छेकानां, लाटानां तत्पदश्च सः॥" –વાભદાલંકાર લે ૧૭ ૨ અદ્વિતીય કહેવાનું કારણ એ છે કે અન્ય કોઈ વેતાંબર કવિરાજે આ છંદમાં ચરણ-સમાનતારૂપે યમક બદ્ધ ૮૬ લોકની સ્તુતિ રચી હોય એમ જાણવામાં આવ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy