SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः ૮૩ અર્થાત્ ‘ભગ ’ શબ્દના (૧) સૂર્ય, (૨) જ્ઞાન, (૩) માહાત્મ્ય, (૪) કીતૅ, (૫) વૈરાગ્ય, (૬) મુક્તિ, (૭) રૂપ, (૮) વીર્ય, (૯) પ્રયત્ન, (૧૦) ઈચ્છા, (૧૧) શ્રી, (૧૨) ધર્મ, (૧૩) ઐશ્વર્ય અને (૧૪) યાનિ એમ ચૌદ અથ થાય છે, પરંતુ અત્ર સૂર્ય અને ચેાનિસિવાયના અથાં ઘટી શકે છે, માહ— જૈન શાસ્ત્ર પ્રમાણે કર્યું એ એક પ્રકારનું આત્માના અસલ સ્વરૂપને આચ્છાદિત કરનારૂં પુદ્દગલ ( અજીવ પદાર્થ ) છે. કર્મના પ્રકૃતિની ( સ્વભાવની ) અપેક્ષાએ પાડવામાં આવેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અન્તરાય એમ આઠ વિભાગા પૈકી માહનીય ક` એક વિભાગ છે. સામાન્યતઃ માહનીય શબ્દના અર્થ માઢુ ઉપજાવનાર થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ કલત્ર, પુત્ર, મિત્ર વિગેરે ઉપર માહ ઉત્પન્ન કરાવનાર આ કમ છે. આ કર્મને વશ થયેલેા પ્રાણી કાર્યાંકાર્યના કે હિતાહિતના વિચાર કરી શકતા નથી. મદિરાનું પાન કરવાથી જેવી ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે, તેથી પણ અતિશય ભયંકર દશા પ્રાપ્ત કરાવનાર કાઇ પણ કર્મ હોય તે તે આ છે. આ તેમના ‘દર્શન–માહનીય અને ‘ ચારિત્ર-મેાહનીય ’ એમ એ મુખ્ય પ્રકારો છે. તત્ત્વ-દૃષ્ટિને અર્થાત્ યથાર્થ શ્રદ્ધાનને અટકાવનારૂં એટલે કે ખરા દેવ, ગુરૂ અને ધર્મોમાં યથાવિધ શ્રદ્ધા થવામાં વિન્નરૂપ ક દર્શન-માહનીય ’ કહેવાય છે, જ્યારે યથાર્થ ચારિત્ર યાને સંયમમાં બાધા ઉત્પન્ન કરનારૂં અર્થાત્ યથાચિત વર્તન નહિ થવા દેવામાં કારણભૂત કમ ‘ચારિત્ર-માહનીય' કહેવાય છે. આત્માને અધોગતિરૂપ ખાડામાં ઉતારનાર તરીકે આ કમ અગ્ર ભાગ ભજવે છે. આઠે કાંમાં આ કર્મનું જોર અસાધારણ છે. તેની સ્થિતિ પણ સૌથી વધારે અર્થાત્ સીત્તેર કાડાકોડી સાગરોપમ (કાલ-વિશેષ )ની છે. છેક સર્વજ્ઞ મનવાની ડુઇ સુધી આવી પહોંચેલાને પણુ અર્થાત્ અગ્યારમા ગુણ-સ્થાનક સુધી જઇ પહેાંચેલાને નીચે ઉતારી મૂકનાર તરીકે આ કર્મે સુપ્રસિદ્ધ છે, એમાંજ એની બહાદુરી સમાયેલી છે. પણ વિશેષમાં આઠે ક્રમના નાશ આ માહનીય કર્મના નાશ થયા બાદજ થાય છે. અર્થાત માહનીય કર્મના વિનાશ થયા બાદ અંતર્મુહૂર્ત કાળ વીત્યા પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય કર્મના સમકાલે નાશ થાય છે અને તેમ થતાં આત્મા સર્વજ્ઞ ખને છે. ( અંતમાં ખાકીનાં ચાર કર્માંના પણુ ક્ષય થાય છે અને ત્યાર બાદ આત્મા મુક્તિનગરે જઇ પહોંચે છે.) એ કહેવું વધારે પડતું નહિ ગણાય કે દશન-મેહનીયનો નાશ થવાથી નિર્મળ સમ્યક્ત્વ અને ચારિત્ર–માડુનીયનો નાશ થવાથી સંપૂર્ણ આદશમય ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે કોધ, માન, માયા અને લેાલ એ ચાર કષાયાના ચારિત્ર-માહનીયમાં અંતર્ભાવ થાય છે અર્થાત્ આ ચાર ચ‘ડાળાની ચાકડીના ચારિત્ર-માહનીય · ચારા ’ છે. ઉપર્યુક્ત માહના સ્વરૂપ ઉપરથી સમજી શકાય છે કે આવા મેહ મનુષ્યને મરણાન્ત સ્થિતિએ પહોંચાડે તેમાં આશ્ચર્ય જેવું નથી. ૧ મેાહને વશ થયેલા પ્રાણીને કેવી કેવી વિડંબનાઓ ભોગવવી પડે છે, તેને ખ્યાલ ઉપમિતિ-ભવપ્રપંચકથા, વૈરાગ્ય-પ-લતા, માઢુ-પરાજય-નાટક ઈત્યાદિ ગ્રન્થે જોવાથી સહેજ અને સચેટ આવી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy