SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ सरस्वती-भक्तामरम् [ સરસ્વતીઆ પ્રમાણે સુખેથી દિવસે પસાર થતા હતા, તેવામાં એક દિવસે રાજાએ પિતાને નગરે જવા માટે માઘ ની રજા માંગી. તે વખતે માધે પોતે રચવાને ઇચ્છતા એવા ભેજસ્વામિપ્રસાદ” નામના ગ્રન્થનું પુણ્ય તેને અર્પણ કર્યું. ત્યાર પછી રાજા પિતાને નગરે ગયે. માધનો જન્મ થયે, ત્યારે તેના પિતાએ નૈમિત્તિક દ્વારા તેનું શુભાશુભ ફળ પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે તમારા પુત્રને પૂર્વ અવસ્થામાં ઘણી જ સમૃદ્ધિ મળવાથી તેને માટે ઉદય થશે, પરંતુ ઉત્તર અવસ્થામાં તેની સમૃદ્ધિ ક્ષીણ થઈ જશે અને પગે સેજા આવતાં તે મરી જશે. આ પ્રમાણેની પિતાના પુત્રની દુઃખદ સ્થિતિથી વાકેફગાર બનેલા માધના પિતાએ મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય કલ્પીને તેણે સેનામાં જડાવેલા હીરાના ૩૬૦૦૦ હાર કરાવી ભંડારમાં મેલ્યા હતા. આ ઉપરાંત અન્ય પ્રકારની પણ સમૃદ્ધિ માઘને અર્પણ કરીને તેમજ તેને યોગ્ય શિક્ષા આપીને તેના પિતા મરણ પામ્યા હતા. પિતાના અવસાન પછી કુબેરના જેવી અદ્ધિવાળા માધે પણ્ડિતેને તેમજ યાચકને મેં માં દાન દેવા માંડયું. એમ કરતાં કરતાં તેની સમગ્ર સમૃદ્ધિ ક્ષીણ થઈ ગઈ. શિશુપાલવધ નામના મહાકાવ્યને રચી પડિતોને આશ્ચર્યકિત કરનાર માઘ પડિત એ દરિદ્ર બની ગયો કે તે પિતાના દેશમાં રહેવાને પણ અસમર્થ થયે. આથી તેણે ભેજ રાજા પાસે જવા વિચાર કર્યો. તેને નગરની બહાર તે આવી પહોંચે એટલે તેણે પોતાની પત્નીને પિતે રચેલું કાવ્ય આપીને રાજા પાસે મોકલી. ભોજ રાજા માધની પત્નીની આવી દુર્દશા જોઈને અતિશય અચંબે પામ્યો. તેણે માધે મેકલેલું પુસ્તક શલાકા મૂકીને જોયું. તેમ કરતાં તેણે તેમાં નીચે મુજબને શક છે – “कुमुदवनमपनि श्रीमदम्भोजखण्ड त्यजति मदमुल तिमांश्चक्रवाकः । उदयमहिमरश्मिर्याति शीतांशुरस्तं વિઝિબ્રુિતાનાં શી વિચિત્ર વિકાસ – ચિની –શશુપાલવધ સ. ૧૧, ૫૪ આને અર્થ એ છે કે જયારે સૂર્ય ઊગે છે, ત્યારે ચન્દ્ર અસ્ત પામે છે. કુમુદનું વન (સંકેચાઈ જવાથી) શોભારહિત બને છે, જ્યારે પાવન (ખીલી નીકળવાથી) શોભી રહે છે. ઘુવડ (અંધ થવાથી) પોતાનો ગર્વ ત્યજી દે છે, જ્યારે ચક્રવાક (તેના વિરહનો અંત આવવાથી) આનંદ પામે છે. આથી કરીને જ્યારે દેવ રૂઠે છે, ત્યારે તેને વિચિત્ર વિપાક અનુભવ પડે છે. આ કાવ્યને વાંચ્યા બાદ તેનો અર્થ વિચારતાં ભોજ રાજાએ માઘની પત્નીને કહ્યું કે આ કાવ્યના બદલામાં આખી પૃથ્વી આપી દઉં તો તે પણ ઓછી છે, તેથી સમયાનુસાર અર્યની પુષ્ટિ કરનારા આ “ફ્રી' શબ્દનું મૂલ્ય હું એક લાખ રૂપિયા આપું છું. એમ કહી તેણે તે સ્ત્રીને તેટલું મૂલ્ય આપી વિદાય કરી. १मालिनीलक्षणम् નનમાં મારિની મોનિજો” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy