SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ सरस्वती-भक्तामरम् [સરસ્વતી અર્થાત “રઘુવંશ અને કૌરવવંશની વર્ણનાને વિષે પ્રથમ પુરૂષારૂપ વાલ્મીકિ અને કાનીન (વ્યાસ)ને પ્રારંભ (પ્રવૃત્તિ)ને વિષે આદિપુરૂષરૂપ સૂર્ય અને ચન્દ્રની જેમ હું વંદુ છું પાણિનિ– પાણિનિએ અષ્ટાધ્યાયી વ્યાકરણ રચ્યું છે. આ વ્યાકરણ વિદ્રવર્ગમાં અતિશય માનનીય છે. વળી એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે શ્રીવિજયરત્ન-શિષ્ય પાણિનીય દયાશ્રય નામનું ૧૮૦ લોકનું કાવ્ય રચ્યું છે. કાલિદાસાદિક કવિઓનું જૈન સમાજમાં સ્થાન– એ તે દેખીતી વાત છે કે કાલિદાસ પ્રમુખ મહાકવિઓને અજૈન હિંદુ સમાજમાં ઘણે સત્કાર થયેલ છે. પરંતુ ખુશી થવા જેવી હકીકત તો એ છે કે જૈન સમાજે પણ તેમને સત્કાર કરવામાં પાછી પાની કરી નથી ( આ જૈનેની ઉદારતા-ગુણગ્રાહકતા સૂચવે છે, કેમકે જૈન કવિએને અજૈન સમાજમાં યથાયોગ્ય સ્થાન અપાયું હોય એમ જોવામાં આવ્યું નથી). પ્રથમ તો આ કાવ્યથી જોઈ શકાય છે તેમ શ્રીભાવપ્રભસૂરિ પણ કાલિદાસાદિકની પ્રશંસા કરે છે. આ ઉપરાંત તેમના કરતાં સાત શતાબ્દી પૂર્વે થઈ ગયેલા કવીશ્વર ધનપાલે પણ આ મહાકવિઓની સ્તુતિ કરી છે. આ વાતને સમર્થનમાં નીચે મુજબનાં તિલકમંજરીનાં ૨૫ મા અને ૨૮ માં પડ્યો રજુ કરવામાં આવે છે. "म्लायन्ति सफलाः फालि-दासेनासन्नवर्तिना । મિક કાલીનાં ઢીન, મોતી િવ –ગનું माघेन विनितोत्साहा, नोत्सहन्ते पदक्रमे । રમત મારવા , વાવ પથ થા !''—ગ7૦ અર્થાતુ જેમ પાસે રહેલા દીપથી માલતી-કલિકા ન થઈ જાય છે, તેમ સમીપમાં રહેલા કાલિદાસથી (અન્ય) સર્વે કવિઓની વાણુઓ પ્લાન બની જાય છે. જેમ વાંદરાઓ માઘ (માસની ઠંડી)થી ભગ્ન ઉત્સાહવાળા થઈ ચરણ-ન્યાસને વિષે ઉત્સાહ ધારણ કરતા નથી પરંતુ સૂર્યની કાન્તિનુજ રેમરણ કરે છે, તેમ કવિઓ માઘથી નિરૂત્સાહી બની કાવ્ય રચવામાં ઉત્સાહ ધરતા નથી, કિન્તુ ભારવિને જ યાદ કરે છે. આ ઉપરાંત આ કવીશ્વરમાંથી કેટલાકને લગતી હકીકત પણ જૈન ગ્રન્થમાં નજરે પડે છે. જેમકે શ્રીમેરૂતુંગસૂરિએ રચેલા પ્રબંધચિન્તામણિ નામના ગ્રન્થમાં પ્રથમ સર્ગમાં કાલિદાસ સંબંધી અને દ્વિતીય સર્ગમાં માઘ સંબધી હકીકત મળી આવે છે, જ્યારે શ્રી રાજશેખરસુરિપ્રણીત ચતુર્વિશતિ-પ્રબન્ધમાં તે શ્રીહર્ષ કવિને લગતો એક આખે પ્રબન્ધ છે. ૧ કવીશ્વર કાલિદાસને લગતા ઉલ્લેખ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનમાં કાવ્યફળમાં જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy