SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનાધીરે ધીરે બારમું અંગ નષ્ટ થતાં ચૌદ પૂર્વનું જ્ઞાન પણ નષ્ટ થયું અને અત્યારે તે એવો સમય આવી લાગે છે કે આ ભરતક્ષેત્રમાં તે કઈને પણ એક પૂર્વ જેટલું પણ જ્ઞાન નથી. વીર-નિર્વાણ પછી ૯૮૦ વર્ષ સુધી એક પૂર્વના જેટલું તો જ્ઞાન ધરાવનાર મહાત્મા વિદ્યમાન હતા. કહેવામાં આવે છે કે વી. સં. ૯૮૦ માં શ્રીમાન્ દેવર્ફિંગણિએ ધીરે ધીરે પૂર્વને ઉચ્છેદ થતે જોઈને જે કંઈ જ્ઞાન તેમના સમયમાં વિધમાન હતું, તે ટકી રહે તેટલા માટે તેમણે તે પુરતકાર્ય કર્યું. પર્વ શબ્દમાં રહેલી પ્રધાનતા એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે સૌથી પ્રથમ તે ગણધર (અક્ષર-રચનાની અપેક્ષાએ) પૂર્વની રચના કરે છે અને ત્યાર બાદ બીજાં અંગાદિક રચે છે. આથી “પૂર્વ” શબ્દને વ્યુત્પત્તિ અર્થે ચરિતાર્થ થાય છે. વિશેષમાં સર્વ આગમોમાં “પૂર્વ' ને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. અર્થાત્ જેમ સામાન્યતઃ મનુષ્યમાં પુરૂષ પ્રધાન પદ ભોગવે છે, તેમ સમગ્ર આગમાં “પૂર્વનું પ્રાધાન્ય છે. આથી કરીને તે સાધ્વીઓને પૂર્વનું અધ્યયન કરવાનો અધિકાર નથી, એમ કહેવામાં આવે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે અગ્યાર અંગ સુધીનું અધ્યયન કરવામાં તેને કેઇ રેકતું નથી. વિશેષમાં આ પૂર્વે પ્રાયઃ સંસ્કૃત ભાષામાં રચવામાં આવે છે અને એ સંસ્કૃત સાહિત્ય કેટલું વિશાળ હોય છે તેને ખ્યાલ નીચે લખવામાં આવતી હકીકત ઉપરથી આવી શકશે. પહેલું “પૂર્વ ” લખવાને માટે એક હરિત (હાથી) પ્રમાણ મસી (શાહી) જોઈએ. બીજું પૂર્વ લખવાને સારુ બે હસ્તિ-પ્રમાણ, ત્રીજું ‘પૂર્વ' લખવાને માટે ચાર હતિ પ્રમાણ અને ચોથું પૂર્વ' લખવાને સારૂ આઠ હસ્તિપ્રમાણ મસી જોઈએ. એ પ્રમાણે પાંચમાં પૂર્વના લખાણને માટે ૧૬ હસ્તિ-પ્રમાણ, છઠ્ઠાને સારૂ ઉર, સાતમાને સારૂ ૬૪, આઠમાને માટે ૧૨૮, નવમાને માટે ૨પ૬, દશમાને માટે પ૧૨, અગ્યારમાને સારૂ ૧૦૨૪, બારમાને સારૂ ૨૦૪૮, તેરમાને માટે ૩૦૯૬ અને ચૌદમાને માટે ૮૧૯૨ હરિત-પ્રમાણ મસી જોઈએ. અર્થાત્ કોઈ એક “પૂર્વ' લખવાને માટે તેની પૂર્વેના “પૂર્વી કરતાં બમણું શાહી જોઇએ. એકંદર રીતે સમસ્ત પૂર્વે લખવાને માટે ૧૬૧૮૩ હસ્તિ-પ્રમાણ શાહી જોઈએ. કલ્પસૂત્ર ઉપર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ રચેલી સુબાધિકા નામની ટીકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે. ચૌદ પૂર્વેના વિષયો તેમજ તેની પદ-સંખ્યા ૧) ઉત્પાદ પૂર્વમાં સર્વ દ્રવ્યો અને સર્વ પદાર્થોના ઉત્પાદન અધિકાર છે. તેમાં એક કરોડ પદે છે. (૨) અગ્રાયણીય પૂર્વમાં સર્વ દ્રવ્ય અને સર્વ પદાર્થોના પરિમાણનું વર્ણન છે. તેમાં ૯૬ લાખ પદો છે. ૧ આ સંબંધમાં મતાન્તર છે. તે એ છે કે પ્રથમ તે ગણધર-શ્રુતની રચના કરતાં આચારાદિ અંગો રચે છે. પરંતુ આ સ્થાપના આશ્રીને છે એમ નદી–સૂત્ર તેમજ પ્રવચન-સારોદ્ધારની ટીકા ઉપરથી જોઈ શકાય છે. ૨ નન્દીસત્રની શ્રીમલયગિરિત ટીકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે, જયારે પ્રવચનસારધાર (ગા. ૭૧૧) માં ૧૧ કરોડ પદે હોવાનો ઉલ્લેખ છે. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy