SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ परिभक्तामरम् વીરભક્તામર શ્લોકાર્થ હે નાથ ! જોકે (જે મનુષ્ય) ચોદ વિધાઓ સારી જાણે છે તેમજ કંઈક અપૂર્ણ એવાં દશ પૂર્વોનું અર્થ-સહિત પઠન (પણ) કરે છે, છતાં પણ જે તેમણે તારું સમ્યકત્વ (યથાર્થ દર્શન) ધારણ કર્યું નથી, તે તેને જ્ઞાન-સ્વરૂપને સજજને નિર્મલ કહેતા નથી જ.”—૨૪ સ્પષ્ટીકરણ ચૌદ વિદ્યાઓ આપણે જોઈ ગયા તેમ ચૌદ વિદ્યાઓ તે બીજી કઈ નહિ પણ ચાર વેદ, વેદનાં છ અંગે, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એ ચૌદ છે. તેમાં ચાર વેદથી ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ મૂળ વેદે ઉપરાંત પાછળથી ઉદ્ધાર થઇને ઉમેરાયેલે (એમ કહેવાતે ) અથર્વવેદ સમજવામાં આવે છે. વેદના કરતાં ઉતરતા દરજજાના પરંતુ તેને સહાયક ને “અંગ” કહેવામાં આવે છે. એકંદર અંગ છ છે –(૧) શિક્ષા, (૨) છંદશાસ્ત્ર, (૩) વ્યાકરણ, (૪) નિરૂક્ત, (૫) જ્યોતિર્ષે અને (૬) કલ્પ. પૂર્વમીમાંસા તીર્થંકરના ઉપદેશનું શ્રવણ કર્યા બાદ તેના મુખ્ય શિષ્યો કે જેઓ વિશિષ્ટ જ્ઞાનવાનું હોય છે અને જેમને ગણધર' એવા નામથી સંબોધવામાં આવે છે, તેઓ જૈન શાસ્ત્રની રચના કરે છે અને તે શાને બાર વિભાગમાં વિભક્ત કરે છે. આ દરેક વિભાગને “અંગ” કહેવામાં આવે છે જ્યારે આ બારે વિભાગોના સમરત સૂત્રને દ્વાદશાંગી' કહેવામાં આવે છે). આચારાદિક બાર અંગોમાંના “દષ્ટિવાદ' નામના બારમા અંગના (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વાનુ ગ, (૪) પૂર્વગત અને (૫) ચૂલિકા એમ પાંચ ભેદે છે. આ ભેદોમાંના “પૂર્વગત” નામના ભેદમાં “ચૌદ પૂર્વ ને સમાવેશ થાય છે, અર્થાત્ પૂર્વગતના ચૌદ વિભાગ પૈકી દરેક વિભાગને પૂર્વ” કહેવામાં આવે છે. ચૌદ પૂર્વોનાં નામ (૧) ઉત્પાદ (૨) અગ્રાયણીય (૩) વીર્ય-પ્રવાદ, (૪) અરિત-નાસ્તિકવાદ, (૫) જ્ઞાન-પ્રવાદ, (૬) સત્ય-પ્રવાદ, (૭) આત્મ-પ્રવાદ, (૮) કર્મ-પ્રવાદ, (૯) પ્રત્યાખ્યાન-પ્રવાદ, (૧૦) વિદ્યાનુવાદ, (૧૧) અવશ્ય, (૧૨) પ્રાણાયુ, (૧૩) ક્રિયા-વિશાલ-પ્રવાદ અને (૧૪) લોકબિન્દુસાર. ૧ એ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવું કે જૈનએ પણ પિતાના શાસ્ત્રના વિભાગ-વિશેષને અંગ' એવી સંજ્ઞા આપી છે. ૨ સરખાવે– સામાથવો, વેઢા સાનિ પુનઃ | शिक्षा कल्पो व्याकरणं, छन्दो ज्योतिरिक्तयः॥" ૩ વર્ણ સ્વરાદિકના ઉચ્ચારણના ભેદોને જણાવનારૂં શાસ્ત્ર. ૪ વેદમાંના સ્વરાદિકના ઉપર પ્રકાશ પાડનારું શાસ્ત્ર. ૫ ખગોળ-વિધા. ૬ વૈદિક-વિધાન-સાપક શાસ્ત્ર. ૭ આને સમય–પ્રવાદ પણ કહેવામાં આવે છે. જુઓ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચન-સારોદ્વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy