SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ वीरमक्तामरम् ] વીરભક્તામર (3) વીર્ય–પ્રવાદ પૂર્વમાં જીવાદિકની શક્તિને ઉલ્લેખ છે. તેમાં ૭૦ લાખ પદે છે. (૪) અસ્તિ-નાસ્તિ-પ્રવાદ પૂર્વમાં કયા પદાર્થ છે અને ક્યા પદાર્થો નથી એ વાત તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જીવાદિકની સત્તા તેમજ અસત્તા પણ વિચારવામાં આવી છે. આમાં સપ્તભંગીની પણ પ્રરૂપણ છે. તેમાં ૬૦ લાખ પદે છે. (૫) જ્ઞાન-પ્રવાદ પૂર્વમાં મતિ, ભુત ઈત્યાદિ પાંચ પ્રકારના જ્ઞાનનું સવિરતર વર્ણન છે. તેમાં ૯૯, ૯૯૯૯ પદો છે. ( ૬ ) સત્ય-પ્રવાદ પૂર્વમાં સંયમ, સત્ય વચન, અસત્ય વચન ઈત્યાદિને ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને છ પદો છે. ( ૭) આત્મ-પ્રવાદ પૂર્વમાં આત્માનું અનેક નયપૂર્વક અને વિશેષમાં નિશ્ચય અને વ્યવહાર નયાનુસાર વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના સ્વરૂપ ઉપર આ પૂર્વ વિશેષતઃ પ્રકાશ પાડે છે. એમાં ૨૬ કરોડ પદે છે. (૮) કર્મ-પ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણાદિક આઠે કર્મોનું પ્રકૃતિ, રિથતિ અનુભાગ અને પ્રદેશ એ ચારે અપેક્ષાપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક કરોડ અને એંસી હજાર પદે છે.' (૯) પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વમાંથી પ્રત્યાખ્યાન સંબંધી માહિતી મળે છે. એમાં ૮૪ લાખ પદે છે. ( ૧૦ ) વિધાનપ્રવાદ પૂર્વમાં અનેક પ્રકારની વિદ્યાઓ સંબંધી ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને દશ લાખ પદ છે. (૧૧) અવશ્ય પૂર્વમાં જ્ઞાન, તપ, સંયમ ઈત્યાદિ શુભ ફળરૂપે સફળ અને પ્રમાદ ઇત્યાદિ અશુભ ફળરૂપે અફળ છે એ સંબંધી માહિતી આપવામાં આવી છે. એમાં ૨૬ કરોડ પદે છે. (૧૨) પ્રાણાયુઃ પૂર્વમાં પાંચ ઇન્દ્રિય, ત્રણ પ્રકારનાં બલ, ઉચ્છવાસ-નિઃશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ તેમજ અનેક પ્રકારનાં આયુષ્ય સંબંધી ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને પ૬ લાખ પદે છે. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વમાં સંયમાદિક ક્રિયાઓ સંબંધી ઉલ્લેખ છે. એમાં નવ કરોડ પદે છે. (૧૪) કબિન્દુસાર પૂર્વ જગતુમાં તેમજ કૃત-લકમાં અક્ષરની ઉપર બિન્દુની જેમ સર્વોત્તમ છે. એમાં સાડા બાર કરોડ પદે છે. આ પૂર્વમીમાંસાનું પ્રકરણ પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે આ લોકાર્થ ઉપરથી એમ જોઈ શકાય છે કે દશ પૂર્વથી કંઈક ન્યૂન જ્ઞાન ધરાવનારી વ્યક્તિ સમ્યકત્વથી વંચિત હોઈ શકે અને ઓછામાં ઓછા દશ પૂર્વના જ્ઞાતા સમ્યત્વથી અલકૃત હોય છે. ૧-૩ પ્રવચન-સારોદ્વાર પ્રમાણે સાતમા, આઠમા અને દશમાં પૂર્વમાં અનુક્રમે ૩૬ કરોડ, એક કરોડ અને એસી લાખ અને ૧૧ કરોડ અને ૧૫ હજાર પદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy