SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર (શ્રીધર્મનાતઈશ્વરની બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઇત્યાદિ ગમે તે નામ વડે સ્તુતિ કરે તે ખોટું નથી. પરંતુ હા, એટલું તો જરૂર જ કહેવું પડશે કે એ કામ ઉદાર વૃત્તિવાળાનું છે. વિશેષમાં આવી રીતે કોઈ જૈનેતરે જૈનના દેવોનાં નામપૂર્વક ઈશ્વરની સ્તુતિ કરી હોય એમ જોવામાં આવતું નથી, એ અત્ર વિશેષતા છે. સૌથી પહેલાં જેમાં પણ આ પ્રકારને મધ્યસ્થભાવે પ્રર્દશત કરવા કેણ તૈયાર થયું તેને નિર્ણય કરવો મુશ્કેલ છે, પરંતુ શ્રીમાનતુંગસૂરિથી શરૂઆત થઈ હશે એમ લાગે છે. શ્રીમાનું હરિભદ્રસુરિજીએ પણ તેમણે રચેલા લકતત્ત્વનિર્ણયમાં તથા અષ્ટક-પ્રકરણમાં એવી જ મતલબના ઉદ્ગારો કાઢ્યા છે, એ વાત નીચેનાં પધો ઉપરથી જોઈ શકાય છે. " यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्वेषु, शमेन्धनदवानलः ॥१॥ न च मोहोऽपि सज्शान-च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोफख्यातमहिमा, महादेवः स उच्यते ॥२॥-युग्मम् વો વીતા સર્વશો, વા શાશ્વતpણેશ્વરઃ क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ ३॥ यः पूज्या सर्वदेवानां, यो ध्येयः सर्पयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ ४ ॥-युग्मम् एवम्भूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग्मक्त्या नमो नमः ॥ ८॥" અર્થાતુ-ફ્લેશજનક રાગને, શાન્તિરૂપ ઇન્વનને વિષે સમસ્ત પ્રાણુઓ પ્રતિ (તેને નાશ કરવામાં) દાવાનલસમાન એવા દ્વેષને તથા યથાર્થ જ્ઞાનને આચ્છાદિત કરનારા તેમજ ચરિત્રને મલિન કરનાર એવા મેહને જેનામાં સર્વથા અભાવ છે તેમજ જેને મહિમા ત્રિલોક્યમાં વિખ્યાત છે, તે મહાદેવ કહેવાય છે. જે વીતરાગ છે, જે સર્વજ્ઞ છે, જે શાશ્વત સુખને સ્વામી છે, જે કિલષ્ટ કર્મની કલાથી મુક્ત છે, જે સર્વથા મૂર્ત આકારથી રહિત છે, જે સમસ્ત દેવને પૂજ્ય છે, જે સંકલ ગિજનેને ધ્યેય છે, જે નિઃશેષ નીતિઓને પ્રકાશક છે, તે પ્રભુને મહાદેવ કહેવામાં આવે છે. આ પ્રકારના શાન્ત, કૃતકૃત્ય અને સંપૂર્ણ જ્ઞાનશાલી એવા મહાદેવને ઉત્તમ ભક્તિપૂર્વક મારા નિરંતર નમસ્કાર હો. આવા મધ્યસ્થ ભાવનું પ્રતિબિમ્બ નિન લિખિત પદ્યમાં પણ દષ્ટિગોચર થાય છે. ૧ આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત તવાખ્યાન (ઉત્તરાર્ધમાં ઉપર મેં લખેલી પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy