SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम्] વીરભક્તામર બ્લેકાર્થ જિનેશ્વરજ ખરેખર શંભુ છે હે નાથ ! આ જગતુમાં તું (સુખનું કારણ હોવાથી) શંભુ છે, તું (વાણુને સ્વામી હોવાથી) ગિરીશ છે, (વસ્ત્ર રહિત હોવાને લીધે તું દિગમ્બર છે, (સ્વયંબુદ્ધ હોવાને લીધે) તું સ્વયંભૂ છે, (મૃત્યુને પરાજય કરેલો હોવાથી) તું મૃત્યુંજય છે, અને તું (મહાપ્રમાણવાળી દ્વાદશાંગીની શરૂઆત કરનાર હેવાથી) મહાદેવ છે. (બાકી આ નામધારી મહાદેવે તે ) અંબિકાને સ્ત્રી તરીકે સ્વીકારી છે ( અંબિકા અર્થ માતા પણ થાય છે એ વ્યંગ્યાર્થ છે ). વાતે હૈ ગીશ્વર ! તારા સિવાય અન્ય કોઇ શિવ નથી તેમજ એક્ષપદને માર્ગ નથી.” – ૨૩ સ્પષ્ટીકરણ મધ્યસ્થ-ભાવ-- જિનેશ્વર મહાદેવ એવું નામ આપીને આ શ્લોક દ્વારા કવીશ્વરે પિતાને મધ્યરથ–ભાવ પ્રકટ કર્યો છે. આવોજ ભાવ મૂળ ભક્તામરના કર્તા માનતુંગસૂરિજીના સંબંધમાં પણ દષ્ટિગોચર થાય છે, કેમકે પ્રભુનું સંકીર્તન કરતાં તેઓએ નીચે મુજબના ઉદ્દગાર કાઢ્યા છે સ્વ રોડ મુવનરારા धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥" અર્થી–હે પ્રભુ ! તું બુદ્ધ છે, કેમકે વિબુધેએ તારા કેવલજ્ઞાનના વસ્તુ–સમૂહના પરિચ્છેદનું પૂજન કર્યું છે. વળી શકર પણ તું જ છે, કેમકે તે ત્રિભુવનને સુખ અર્પણ કર્યું છે. હું ધીર વાસ્તવિક રીતે તે બ્રહ્મા પણ તું જ છે, કેમકે મુક્તિ માર્ગની વિધિની પ્રરૂપણા હૈ કીધી છે અને તે નાથ ! એ વાત તે સ્પષ્ટ છે કે તું પુરૂષોત્તમ (નારાયણ) પણ છે. સાધારણ રીતે સામાન્ય પુરૂ નામને અંગે ઝગડા કરતા જોવામાં આવે છે. જેમકે કઈક કહે છે કે શંકરનેજ ઈશ્વર માનવા જોઈએ; જ્યારે બીજો કહે છે કે સાચા દેવ તે બ્રહ્માજ છે; ત્યારે વળી ત્રીજે વિષ્ણુ-ભકત હોવાથી એમ કહેવા તૈયાર થઈ જાય છે કે ખરૂં પૂછવો તે દેવ તો વિષ્ણુજ કહેવાય. કેમકે કહ્યું પણ છે કે "जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके। सर्वभूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥" આવી રીતની બેટી ખેંચતાણ કરવામાં આવે તે લાભકારી નથી. કેમકે એક વખત જે સર્વથા વીતરાગ હેાય તે ઈશ્વર કહેવાય એવું ઈશ્વરનું લક્ષણ જેણે ગળે ઉતરી ગયું હોય, તે મનુષ્ય १' विबुधार्चित ! ' इति पृथक् पदं सम्बोधनार्थेऽपि समीचीनम् । ૨ બુદ્ધ અસર્વત હોવાને લીધે, શંકર સૃષ્ટિના સંહાર કરનાર હોવાને લીધે, બ્રહ્મા હિંસાત્મક વેદની પ્રરૂપણું કરનાર હોવાને લીધે તેમજ કૃષ્ણ કપટ-ક્રિયામાં કુશલ હેવાને લીધે આનામાં રહેલા અપૂર્વ ગુણો તે આપનામાં જ છે, એવો આ લેકનો ભાવાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy