SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ वरिभक्तामरम् ] વીરભક્તામર શ્લેકાર્થ પ્રભુની અપૂર્વ દીપકતા–– “હે પ્રભુ ! હે રાગ (અને ટ્રેષ)થી રહિત (વીસમાં જિનેશ્વર ) ! અવિદ્યમાન છે દશા જેને વિષે એવા હે (નદિવર્ધનના બાંધવ) ! હે (કર્મરૂપી) લેપથી રહિત (મહાવીર) ! હે નિષ્કાંચન (વર્ધમાન) ! હે મલિન માર્ગથી બહાર નીકળી ગયેલા એવા (સિદ્ધાર્થ-સુત)! હે પાત્ર-રહિત ( અર્થાતુ હતરૂપી પાત્ર વડે ભજન કરનારા મહેશ્વર ) ! (હે પરત—તારૂપી) અંકુશથી મુક્ત (યશોદા-પતિ ) ! (હે કૈલોક્યના ) હવામી ! થાય છે (કેવલજ્ઞાનરૂપી) પ્રકાશ જેને એવા હે (ગાતમાદિક ગણધરના ગુરૂ) ! જતું રહ્યું છે (ક્રોધાદિ રૂપ) પવન વડે કમ્પન જેનું એવા છે (ગીશ્વર) ! તું આ દુનિયામાં (સમતિ) જગતુને વિષે પ્રકાશ (પડે છે જેને એવો અપૂર્વ દીપક છે.'-૧૬ સ્પષ્ટીકરણ જોક–સમીક્ષા– આ લોક ભક્તામરની પાદપૂર્તિનું જ કામ કરે છે તેમ નથી, પરંતુ સાથે સાથે તેના તે લોકગત ભાવાર્થના પ્રઘાતનનું પણ કામ કરે છે. આ લોકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે પ્રભુને (લૌકિક) દીપકની ઉપમા ઘટતી નથી. કેમકે લૌકિક દીપક તે ધૂમ (ધૂમાડે), દશા (વાટ) અને સ્નેહ (તેલ)થી યુક્ત હોય છે, જ્યારે પ્રભુરૂપ દીપકમાં તે ટ્રેષરૂપી ધૂમ્ર, કામરૂપી દશાને અને રાગરૂપી સ્નેહને અભાવ છે. વળી લૌકિક દીપક કાજલસહિત હોય છે, જ્યારે પ્રભુ તે કર્મરૂપી અંજન (કાજલ)થી સર્વથા મુક્ત છે. વિશેષમાં લૌકિક દીપક તે પવનથી બૂઝાઈ જાય છે, જ્યારે પ્રભુને જ્ઞાન દીપક ગમે તેવા પ્રચંડ (વાદીરૂપ) પવનથી પણ પરાભૂત થતો નથી. તેમજ વળી લૈકિક દીપકને પ્રકાશ પણ અનિત્ય તેમજ થોડા તેલમાં વ્યાપીને રહે છે, જ્યારે પ્રભુને જ્ઞાન-દીપકનો પ્રકાશ તે સદાને માટે તેમજ સર્વત્ર વ્યાપી રહે છે. વિશેષમાં આ શ્લોકમાં નિર્દશ, નિઃસ્વભાવ અને નિમિત્ર એ વિશેષણે પ્રભુને ઉદ્દેશીને વાપરવામાં આવ્યાં છે તે પણ સાર્થક છે. કેમકે હર્ષ, શેક વિગેરેનાં અનેક કારણે પ્રાપ્ત થયાં છતાં પણ જેની અવસ્થા એકજ સરખી રહે અર્થાત્ જે આત્મ-સ્વભાવમાંજ રમણ ક્ય કરે તે નિર્દેશ કહેવાય છે અને ધન્યવાદ પણ તેવાજ પુરૂષને ઘટે છે. કહ્યું પણ છે કે __ "सम्पदि यस्य न हों, विपदि विषादो रणे च धीरत्वम् । સં મુવનથતિ, જાતિ ની કુર્ત વિમ્ II –આર્યા વળી પ્રભુ નિઃસ્વભાવ અર્થાતુ અકિંચન છે એ તો દેખીતું છે, કેમકે રાજ્યનલમીને પણ તૃણવતુ ત્યાગ કરીને તે તેઓએ દીક્ષા ગ્રહણ કરી છે. વળી તેઓ નિરમત્ર છે અર્થાતું પાત્ર-રહિત છે તે વાત પણ સત્ય છે, કારણ કે આહાર યોગ્ય વસ્તુઓ તેઓ હતરૂપ પાત્રમાં ગ્રહણ કરે છે, નહિ. કે કાષ્ઠાદિક પાત્રમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy