SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિરભક્તામર ૪૧ वीरभक्तामरम्] અરણ્યમાં રૂદન કરે તે તેની પણ દરકાર કરે તેમ તે આ કાર્યમાં પણ ફાવે નહિ. ત્યારે તે બહુજ કે પાયમાન થયે અને તેણે મનુષ્યની એક છાવણી વિતુર્વી. (૧૪) રસોઇ—આ છાવણીમાં એક રસોઈએ ભાત રાંધવા તૈયાર છે. તેને ચેલે નહિ મળવાથી તેણે પ્રભુનાં ચરણોને ચૂલો કલ્પીને તેના ઉપર ભાતનું ભાજન ચડાવ્યું અને તેમનાં ચરણેની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો. પ્રભુએ આવું અધાર દુઃખ પણ ધૈર્યપૂર્વક સહન કર્યું અને તેઓ પોતાના ધ્યાનમાં એકતાન રહ્યા. આથી સંગમ ઉલટે ચીડાય અને તેણે ચંડાળનું રૂપ વિકુછ્યું. (૧૫) ચંડાળ –આ ચંડાળે પ્રભુના કંઠમાં, કાનમાં અને ભુજામાં શુદ્ધ પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. આ પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારથી પ્રભુની કાયાને ચાળણીની જેમ અનેક છિદ્રવાળી બનાવી દીધી. પરંતુ તેથી આ યોગીશ્વરને શું ? તેઓ તે પિતાના ધ્યાનમાં નિચળજ રહ્યા. આથી સંગમે નવી યુક્તિ શોધી કાઢી. (૧૬) પ્રચંડ પવન–સંગમે પ્રૌઢ વૃક્ષને પણ તૃણની માફક આકાશમાં ઉછાળ, ચારે દિશાઓમાં પથરા અને કાંકરાઓને વરસાદ વરસાવતો અને ચેતરફ ધૂળ ઉડાડતે એવો પવન વિકુવ્યું. આ પવન પ્રભુને ઊંચકી ઉચકીને પટકવા લાગે. પરંતુ ધ્યાનમાં આરૂઢ બનેલા આ ગીશ્વરને તેની ક્યાં પરવી હતી. આથી સંગમ નૂતન ઉપદ્રવ કરવા લાગે. (૧૭) વળી–પર્વને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળે વળીઓ વિફર્થીને સંગમ પ્રભુને કુંભારના ચક્રની જેમ ભમાડવા લાગ્યા. પરંતુ પ્રભુનું ચિત્ત ધ્યાનથી ચલિત થયું નહિ. એટલે તેણે નવીન ઉપાય શોધી કાઢયે. (૧૮) કાલચક–સંગમે હજાર ભાર લોઢાથી ઘડેલું, પૃથ્વીને સંપુટ કરવામાં સહાયક બને તેટલા પ્રમાણવાળું, ઉછળતી જવાલાએથી દશે દિશાઓને વિકરાળ બનાવતું અને કુલપવન પણ ચચરા કરવામાં સમર્થ એવું એક કાલચક વિકવ્યું. ત્યાર પછી રાવણે જેમ કૈલાસ પર્વત ઉપાડ્યો હતો તેમ તેને ઉપાડીને પ્રભુને પ્રાણ લેવાના ઈરાદાથી તેણે તે તેના ઉપર ફેંક્યું. આથી પ્રભુ જાનુ પર્યત જમીનમાં દટાઈ ગયા, પરંતુ તેમણે પિતાનું ધ્યાન તે ચાલુ જ રાખ્યું. આથી સંગમે વિચાર્યું કે અનુકૂળ ઉપસર્ગો કર્યા વિના પ્રભુને ક્ષેભ પમાડવા તે અશક્ય છે. (૧૯) પ્રભાત–તે દુષ્ટ દેવે અકાલે પ્રભાતની રચના કરી. પરંતુ આ માયાવીના કપટથી પ્રભુ અજ્ઞાત નહિ હોવાને લીધે તેઓ લગારે ચલાયમાન થયા નહિ. આથી તે દેવે એક નવીન યુક્તિ શોધી કાઢી. આ યુકિત અનુસાર સંગમે એક વિમાન વિકુવ્યું અને તેમાં તે દેવનું રૂપ લઈને પ્રભુ પાસે આવે. જાણે પ્રભુને પૈર્યથી, પરાક્રમથી, તપથી અને તેને ટેકથી પોતે પ્રસન્ન થઈ વરદાન નહિ આપતા હોય તેમ તેણે આચરણ કર્યું. મધુર વચન વડે અનેક વસ્તુઓ અર્પણ કરવાને તે તૈયાર છે એમ કહી તેણે પ્રભુને લોભાવવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં પણ તેને પાસે સવળો પડ્યો નહિ. આથી તેણે નવીન યુક્તિ અજમાવવા વિચાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy