SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत( ૭ ) સર્પો–આ ઉપાય તે બીજો કઈ નહિ, પરંતુ તેણે યમરાજના દંડ જેવા ભયંકર અને મેટી ફેણવાળા સર્પો (સાપ) વિદુર્થી. જેમ વૃક્ષને લતા વીંટી લે છે, તેમ આ સપનાખથી તે મસ્તક સુધી પ્રભુના શરીરને વીંટી લીધું અને તેના શરીરમાં પોતાનાથી બને તેટલી વેદના ઉત્પન્ન કરવામાં કચાસ ન રાખી. કિન્તુ આથી પણ સંગમનું કાર્ય સર્યું નહિ, એટલે તેણે “હાર્યો જુગારી બમણું રમે તેમ આઠમા ઉપસર્ગને પ્રારંભ કર્યો. (૮) ઉંદર–આઠમા ઉપસર્ગ તરીકે તેણે વજા જેવા દાંતવાળા ઉંદરે વિમુલ્યાં. તેઓએ પ્રભુને કરડવામાં પિતાનું સમસ્ત બળ વાપર્યું. પરંતુ પ્રભુ તે નિશ્ચલ રહ્યા એટલે ક્રોધથી ભૂત જે બનેલો એવો સંગમ વધારે વધારે ઉપદ્રવ કરવા તૈયાર થશે. (૯) કુંજર –જેનાં ચરણના ધબકારાથી આખી પૃથ્વી ધ્રુજી ઊઠે એવો અને જેની સૂંઢ આકાશને પણ અડકી શકે તેવો એકમદેન્મત્ત કુંજર (હાથી) વિદુર્યો. આ કુંજર એકદમ દોડતો પ્રભુની પાસે આવ્યો અને તેણે તેમને પિતાની સૂંઢ વડે અદ્ધર ઉપાડીને આકાશમાં ઉછાળ્યા. આથી પણ જાણે તે ધરાયે ન હોય તેમ તે પોતાના દંતશૂળ ઊંચા રાખીને ઊભે રહ્યા. આમ કરવામાં તેની એ ઇચ્છા હતી કે પ્રભુ નીચે પડે ત્યારે તેને દંતશળ વડે ઝીલવા કે જેથી તેની છાતી ચીરાઈ જાય અને તેના દેહને અંત આવે. આ પ્રમાણે કરવા છતાં પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં મગ્ન જ રહ્યા એટલે સંગમે વળી કોઈ અન્ય ઉપદ્રવ કરવા માંડ્યા. ( ૧૦ ) હાથિણી–આ વખતે તેણે હાથિી વિમુર્તી. આ હાથિણી પ્રભુને દાંત વડે ભેદવા લાગી અને વિષની જેમ પોતાના મદ-જલનું તે તે ભાગ ઉપર સિંચન કરવા લાગી. પરંતુ તેથી પણ પ્રભુ તો શેભ નહિજ પામ્યા. એટલે સંગમ અન્ય ઉપસર્ગ કરવા કટિબદ્ધ થયે. (૧૧) પિશાચ–પ્રજવલિત અગ્નિકુંડને પણ લજજારપદ કરનારા એવા અનેક જ્વાલાએથી વ્યાપ્ત મુખવાળે, યમરાજના હસ્તંભ જેવી ભુજાવાળો, તાડ વૃક્ષ જેવી જંધાવાળ, ચર્મવસ્ત્રને ધારણ કરનારે, અદાદહાસ્ય કરતે અને “કિલ’ ‘કિલ' શબ્દ કરી સુકારા કરે એવો એક પિશાચ તેણે વિકુવ્યો. આ પિશાચ કાતી લઈને પ્રભુની સમીપ દેડી આવ્યા. પરંતુ તે પણ આખરે હારી ગયે, એટલે સંગમે એક ભયંકર વ્યાઘ (વાઘ) વિકવ્ય. (૧૨) વ્યાઘ–પુચ્છ(પુંછડા)ની છટાના આછાટનથી જાણે પૃથ્વીને ફાડી નાખતા હોય તેવો તે વ્યાઘવજ જેવી પિતાની દાઢથી અને ત્રિશૂળના જેવા નાગાથી પ્રભુને દુઃખ દેવા લાગે. પરંતુ આખરે તે પણ નિસ્તેજ થઈ ગયો એટલે વળી કઈક નવીન ઉપસર્ગ કરવા સંગમ તૈયાર થયા. (૧૩) સિદ્ધાર્થ અને ત્રિશલા--સંગમ મહાવીર પ્રભુ પાસે તેમના પિતા સિદ્ધાર્થ રાજનું રૂપ લઈ આવ્યો અને કહેવા લાગ્યું કે મારી વૃદ્ધાવસ્થામાં તારા વડીલ બંધુ નંદિવર્ધન મારી ઉપેક્ષા કરે છે તેથી તું આ દીક્ષા-વ્રત મૂકી દઈ મારી સેવા કર. આ પ્રમાણે તેણે ઘણા કાલાવાલા કર્યા, પરંતુ તે મગશિળીઆ પત્થર ઉપર થતી જલની વૃષ્ટિની જેમ નિષ્ફળ ગયા. આથી સંગમ પ્રભુની માતા ત્રિશલા દેવીનું રૂપ ધારણ કરી વારંવાર વિલાપ કરવા લાગે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy