SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર પ્રશંસા કરે છે? હું હમણાજ જાઉં છું અને એને ચલાયમાન કરીને પાછો વળું છું.” આ સમયે ઇન્દ્ર વિચાર કર્યો કે જો હું આને રોકીશ, તે આના મનમાં પ્રભુના સામર્થ્ય વિષે શંકા ઉદ્ભવશે. આથી તેણે તેને જવા દીધે. એક શિલાતલ ઉપર જાનુ પર્યત હસ્તને લંબાવીને, શરીરને જર નમાવીને તથા નિનિમેષ નેત્રે એક રૂક્ષ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને અષ્ટમ તપપૂર્વક એક રાત્રિને માટે મહાપ્રતિમાને ધારણ કરીને ઊભા રહેલા મહાવીર સ્વામીને જોતાં તો સંગમના કેપને પાર રહ્યા નહિ; કેમકે સજજનને જોતાં દુર્જન ક્રોધ કરે, તે તેમાં શી નવાઈ તે તે એક પછી એક ઉપસર્ગ કરવા તૈયાર થઈ ગયા (૧) ધૂળની વૃષ્ટિ–પ્રથમ તે સંગમે ધૂળની એવી વૃષ્ટિ કરી કે પ્રભુનાં સર્વ નાસિકાદિ છિદ્રા તેથી પુરાઈ ગયાં અને શ્વાસોચ્છાસ લેવાનું કાર્ય પણ અશક્ય થઈ પડયું. પરંતુ જ્યારે એથી પણ યોગીશ્વર મહાવીર તલમાત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે સંગમે બીજે ઉપાય શેધી કા. (૨) વજમુખી કીડીઓ–પ્રથમ ઉપસર્ગથી જ્યારે કંઈ વળ્યું નહિ, ત્યારે સંગમે ધૂળને દૂર કરીને પ્રભુના શરીરના ઉપર કીડીઓ વિદુર્થી. આ કીડીઓ પ્રભુના શરીરરૂપી વામાં એક તરફથી પેસી બીજી તરફથી સોયની જેમ બહાર નીકળતી હતી. કીડીઓના તીર્ણ મુખારો વડે પ્રભુનું આખું શરીર વીંધાઈ ગયું. પરંતુ નિભંગીની આશા જેમ નિષ્ફળ જાય છે, તેમ આવો ઉપસર્ગ કરવાથી પણ સંગમને શુક્રવાર ન વળે. ત્યારે તેણે નવીન યોજના ઘડી કાઢી. (3) પ્રચંડ સે–દુર્જનતાની કંઈ હદ હોતી નથી, એ નિયમાનુસાર સંગમે પ્રચંડ ડાંસે વિદુર્થી. તેના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર વહેવા લાગ્યું. આથી પણ પ્રભુ તે ક્ષોભ નહિ પામ્યા, ત્યારે સંગમ વધારે ઘેર ઉપસર્ગ કરવા તૈયાર થયે. (૪) ધીમેલે–ચેથી ઉપસર્ગ તરીકે ચટકા ભરવામાં પાછી ન પડે તેવી સંગમે ધીમેલ વિદુર્થી. આ ધીમેલો તે ચટકા મારવાને માટે પ્રભુને શરીર ઉપર એવી ચૂંટી જતી હતી કે જાણે તે દેહની રેમપંક્તિ જ હોય એમ દેખાવા લાગી. આથી પણ જગશુરૂ ધ્યાનથી ચલિત થયા નહિ, ત્યારે સંગમ વિચારવા લાગ્યો કે હવે શું કરવું? વીલે મેટે સુરસભામાં જવું તે તે ઠીક નહિ, વાતે હીંમત ન હારતાં મારે ફરી ઉદ્યમ કરો. (૫) વીંછીઓ–આ વખતે તેણે અતિશય ઝેરી વીંછીઓ વિકુવ્યું. તેના આંકડાએના પ્રહારથી પ્રભુનું શરીર છિન્નભિન્ન થઈ ગયું. પરંતુ પ્રભુ તે ધ્યાનારૂઢજ રહ્યા, ત્યારે તેણે નીચે મુજબને છઠ્ઠો ઉપસર્ગ .. (૬) નકુલ–તેણે વિકલા નકુલો (નળીઆઓ) પોતાના ઉગ્ર દાંત વડે પ્રભુના શરીરમાંથી તેડી તેડીને તેનું માંસ બહાર કાઢવા લાગ્યા. આથી પણ જ્યારે સંગમને બેડે પાર પડ્યો નહિ, ત્યારે તેણે નૂતન ઉપાય શોધી કાઢ્યું. ૧ આની માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્ઘશતિકા (પૃ૨૧૩). ૨ તીર્થકરના રૂધિરને વર્ણ ગાયના દૂધ જેવો સફેત છે. આ તેમના ત્રીસ અતિશયોમાંનો એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy