SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર રસમાન એવા જે શ્રીઇન્દ્રભૂતિની દેવેન્દ્રા, દાનવેન્દ્ર અને નરેન્દ્ર સ્તુતિ કરે છે, તે ગૌતમ (સ્વામી) મને વાંછિત અર્પો .”—૧. “શ્રીવદ્ધિમાન ( જિનેશ્વર )ની પાસેથી ( ઉત્પાદ, વ્યય અને દૈવ્યરૂપી) ત્રિપદી પ્રાપ્ત કરીને જેણે મુહુર્તમાત્રમાં (બાર) અંગે તેમજ ચૌદ પૂર્વે રચાં, તે ગૌતમ (પ્રભુ) મને અભીષ્ટ અર્પણ કરે.”-૨ “મેક્ષના સુખને માટે શ્રીવીર ભગવાને જે ગૌતમસ્વામી (ના નામવાળે) મંત્ર કર્યો હતો અને જે મંત્રનું ધ્યાન સમગ્ર સૂરીશ્વરો કરે છે, તે ગૌતમ (સ્વામી) મને વાંછિત સમર્પો.”—૩ “સર્વે મુનિએ પણ ભિક્ષા બ્રમણના સમયે જેનું નામ લે છે અને તેમ કરી મિષ્ટ અન્ન, પાન અને વસ્ત્રથી પૂર્ણ ઈચ્છાવાળા થાય છે, તે ગૌતમ ( પ્રભુ) મને અભીષ્ટ અર્પો.”–૪ “સુર પાસેથી (અષ્ટાપદ) તીર્થને અતિશય શ્રવણ કરીને જે ગગનમાં ચાલવાની પિતાની શકિત વડે અષ્ટાપદ પર્વત ઉપર (વીસ) જિનેન્દ્રોનાં ચરણના વન્દના ગયા, તે ૌતમ (મુનીશ્વર ) મને મનવાંછિત આપે.”—પ તપશ્ચર્યા કરવા વડે કૃશ બનેલા એવા પંદરસેં (૧૫૦૦) તાપસને મુક્તિને માટે જેએ અક્ષીણ લબ્ધિ વડે તેમને પરમાત્ર (ક્ષીર)ને દાતા બન્યા, તે ગૌતમ (ગણધર ) મને અભીષ્ટ સમપો.”-૬ સાધર્મિકોને દક્ષિણાની સાથેજ ભેજન દેવું ને સંઘની વાત્સલ્યતા પણ તેમજ થાય છે તેવી રીતે મુનિઓને જેણે સર્વશતારૂપી વસ્ત્ર પણ પરમાન્નની સાથે અર્પણ કર્યું, તે ગૌતમ (ગીર) માર મોરથ પૂરા પાડે.”—૭ પિતાના સ્વામી વીર પ્રભુ મે ગયા એટલે યુગ–પ્રધાનપણું શ્રીગૌતમ સ્વામીમાં છે એમ માનીને જેમને દેવેન્દ્રએ પટ્ટાભિષેક કર્યો, તે ગૌતમ (મુનિવર ) મને મનવાંછિત અપે.”—૮ જે મુનીશ્વરે જાગતાની સાથેજ આદરપૂર્વક (આ) શ્રીગૌતમાષ્ટકનું પઠન કરે છે, તેઓ સૂરિપદને અને તદનંતર (દેવગતિના) આનન્દને પણ ખચિત પ્રાપ્ત કરે છે. (કર્તા શ્રીમાન દેવાનન્દ સુરિજીએ પોતાનું નામ પણ આ અન્ય પદમાં સૂચવ્યું છે.)”— સાથે સાથે વિરોધાભાસ' નામના અલંકારથી વિભૂષિત આના પછીનું નવમું પદ્ય પણ જોઈ લઈએ. " यत्पाणिपद्मः सपुनर्भवोऽपि दत्ते नतानामपुनर्भवं यत् । शिष्यीकृता येन भवं विहाय शिवं श्रयन्ते च तदत्र चित्रम् ॥" –ઉપજાતિ. અર્થાત જેનું કર-કમલ પુનર્ભવ (નખ)થી યુક્ત હેઈ કરીને પણ પ્રણામ કરનારને અપુનર્ભવ (મોક્ષ) અર્પણ કરે છે તેમજ વળી જેણે શિષ્ય કરેલા છે ભાવ (મહાદેવ)ને છોડીને શિવ (મહાદેવ)નો આશ્રય લે છે, તે અત્ર આશ્ચર્યજનક છે. ( ‘ભવ'ને અર્થ સંસાર' કરવાથી અને “શિવ’નો અર્થ “મેક્ષ' કરવાથી વિરોધાભાસને પરિહાર થાય છે.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy