SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ર૩ પિતે એક પૌરૂષી પર્યત દેશના આપ્યા બાદ તરતજ તરતના જૈનેતર દીક્ષિત ઇન્દ્રભૂતિને એજ સમવસરણમાં પાદ-પીઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપવાને પણ અધિકાર આપ્યો. આ તેમની સજજનતા સૂચવે છે. આમાં પણ હજી જાણે કંઈ ન્યૂનતા રહી નહિ ગઈ હેમંકે શું કે જેથી કરીને ગૌતમસ્વામીને પિતાના નિર્વાણ-સમયે પિતાનાથી દૂર કાલ્યા. પોતાનામાં ઇન્દ્રભૂતિને “મારાજ વીર’ એવી જે મમતા હતી તે દૂર કરવાને અને તેમ થતાં તેમને સર્વજ્ઞ-પદથી અલંકૃત કરવાને માટે તેમણે આમ કર્યું. આમ બાબત હોવાને લીધે, પિતાના સેવકને પિતાની તુલ્ય બનાવવાની–નહિ કે પોતે વામી તરીકે રહેવાની અને સેવકને સેવક રાખી મૂકવાની–એવી અનુપમ ભાવનાની વીર ભગવાન કરતાં વધારે આબેહુબ મૂર્તિ અન્યત્ર મળે ખરી ? ખરેખર મહાપુરૂષને ઉપકાર પણ મહાન જ હોય છે. સર્વજ્ઞ-પદથી ખરેખરા શોભતા એવા ઇન્દ્રભૂતિ વીર નિર્વાણ બાદ ૧૨ વર્ષે મેલે સિધાવ્યા. આ દ્વિતીયે મંગલરૂપ ઇન્દ્રભૂતિને મારા વારંવાર પ્રણામ હો એટલુંજ કહી અત્ર વિરમવામાં આવે તે પૂર્વે નિલિખિત “ગૌતમાષ્ટક તરફ દષ્ટિપાત કરે અનાવશ્યક નહિ ગણાય.” श्रीदेवानन्दसूरिकृतं गौतमाष्टकम् " श्रीइन्द्रभूतिं वसुभूतिपुत्र पृथ्वीभवं गौतमगोत्ररत्नम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥१॥-उपजातिः श्रीवर्द्धमानात् त्रिपदीमवाप्य मुहूर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वाञ्छितं मे ॥२॥-उप० श्रीवीरनाथेन पुरा प्रणीतं मन्त्रं महानन्दसुखाय यस्य । ध्यायन्त्यमी मूरिवराः समग्राः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ३ ॥-उप० ૧ “પરૂથી” એટલે પ્રહર અર્થાત્ ત્રણ કલાક ૨ કેટલાક દર્શનકારએ ઈશ્વરને નિત્ય-મુક્ત માન્યો છે, તેમજ તેને સમાન તે તેના સેવકે નજ થઈ શકે એવું જે ઈશ્વરનું સ્વરૂપ આલેખ્યું છે, તે વિચારણીય છે. ૩ બધાં મળીને મંગલો ચારે છે–(૧) વીર ભગવાન, (૨) ગૌતમ સ્વામી, (૩) સ્થૂલિભદ્ર આદિ મુનિરાજ અને (૪) જૈન ધર્મ યાને આÁાદ દર્શન. કહ્યું પણ છે કે inષ્ઠ માવ7 “વો, મંઢ તન'મુ. iારું ‘ભૂમિ'ઘા, નપડતુ મંગણમ્ " * તમસ્વામીને લગતી હકીકત શ્રીજિનપ્રભસૂરિકૃતિ ગોતમસ્તોત્રમાંથી તેમજ આવશ્યક, વિશેષાવશ્યક, ઉત્તરાધ્યયન, ભગવતી ઇત્યાદિ આગમોમાંથી પણ મળી શકે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy