SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [ 2ષાનાજેને શ્રી ઋષભ(દેવ)ના પુત્ર (ભરત ચક્રવર્તી) ત્રીજા ભવમાં પ્રણામ કરતા હવા અને (ત્યાર પછી) ગર્ભવાસમાં રહેલા એવા જેને સત્તાવીસમા (અંતિમ ) ભવમાં (સૌધર્મ દેવલોકને શક) ઇન્દ્ર સ્તવતા હવા, તેમજ જેની શ્રેણિક પ્રમુખ પૃથ્વીપતિઓએ પણ સ્તુતિ કરી, તે (પિતાના પિતાશ્રીની રાજ્ય સંપત્તિની વૃદ્ધિના કારણભૂત હોવાને લીધે તેમજ અત્યારે પણ તેનુંજ શાસન ચાલતું હોવાને લીધે) વિસ્તીર્ણ છે લકમી [ અથવા શોભા ] જેની એવા (વર્ધમાન, વીર, મહાવીર, દેવાર્ય ઇત્યાદિ નામથી પ્રસિદ્ધ ) જિનેશ્વરની હું (ધર્મવર્ધનગણિ) પણ ખચિત રસ્તુતિ કરીશ.”—૧-૨ સ્પષ્ટીકરણ વર્ધમાનસ્વામી આ કાવ્ય દ્વારા કવિવર વર્ધમાનવામીને જીવન-ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પ્રથમ શ્લોકમાં તે તેમના પૂર્વ ભવ વિષે ઉલેખ કરવામાં આવે છે અને સાથે સાથે તેમનું નામ ચરિતાર્થ છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાવ્યના નાયક જેવીસમા તીર્થંકર વર્ધમાનસ્વામીને ગર્ભવાસના સંબંધમાં જે આશ્ચર્યજનક ઘટના બની હતી, તેનું અવ દિગદર્શન કરાવવામાં આવે છે, પરંતુ તે પૂર્વે એટલું કહેવું નિરર્થક નહિ ગણાય કે આ નીચે લખેલી ગર્ભ બદલવા સંબંધિની વાત દિગમ્બરને માન્ય નથી, કેમકે તેમની માન્યતા પ્રમાણે ભૂલ અંગાીિ રહ્યાંજ નથી અને તેમના ઉદ્ધાર કરેલા ગ્રન્થમાં આ વાત મળતી નથી. એમ કહેવામાં આવે છે કે વર્ધમાનસ્વામીએ યાને મહાવીર પ્રભુએ પિતાના બીજા ભવમાં નિજ કુળ વિષે ઘણો ગર્વ કર્યો હતો. પ્રસંગ એમ બન્યો હતો કે ભારત રાજેશ્વર પિતાના પિતાશ્રી પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કરવા ગયા હતા અને ત્યાં તેમણે તે જિનેશ્વરને એવો પ્રશ્ન પૂછે કે હે સ્વામિન્ ! આપની આ સભામાંથી કોઈ પણ જીવ આપ જેવી ઋદ્ધિ પામશે કે કેમ ? આના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે તારે પુત્ર અને મારો પત્ર મરીચિ વીસ (અંતિમ ) તીર્થંકર થશે. ત્યાર બાદ નમુત્થણું યાને શાસ્તવની અંતિમ ગાથા– ૧ ભરત કે ઐરાવતના છ ખંડના અધિપતિને અથવા મહાવિદેહના બત્રીસ વિજયો પછી ગમે તે એક વિજયના સ્વામીને “ચવતી' કહેવામાં આવે છે. આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રીશોભનમુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાના ૬૫માં પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ જૈન શાસ્ત્રમાં બાર દેવલોક બતાવ્યા છે, તેમાંના પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવામાં આવે છે. અત્ર દેવલેકશબ્દથી કલ્પપપન્ન દેવનું નિવાસસ્થાન સમજવું. જૈન શાસ્ત્રમાં દેવના (૧) ભુવનપતિ, (૨) વ્યતર, (૩) તિક અને (૪) વૈમાનિક એમ જે ચાર ભેદ પાડ્યા છે, તેમાં વળી વૈમાનિકના ક૯પપન્ન અને કલ્પાતીત એમ બે અવાંતર ભેદો છે. તેમાંના ક૫૫ત્ર દેવોના બાર નિવાસસ્થાન છે. તેનાં નામો નીચે મુજબ છેઃ (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહાલેક, (૬) લાના, (૭) મહાશુક, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) માણત, (૧૧) આરણ અને (૨) અચુત ૩ “પ્રમુખ' શબ્દથી કણિક, ઉદાયન, જિતશત્રુ, અદીનશત્રુ, ચણ્ડપ્રઘાત, દશાર્ણભદ્ર વિગેરે સમજવા. ૪ આ શબ્દના અર્થ સાર જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૨૦૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy