SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિરભક્તામર જે જ અા હિતા, જે આ અવિરતtrmg #ા. સંદ વદમાળા, હવે તિવિદેખ વંલામ ”—આર્યા –ના ઉપર ધ્યાન આપીને ભરત રાજા પોતાના પુત્ર મરીચિને વન્દન કરવા ગયા અને તેમ કરવાનું તેમને આ કારણ પણ જણાવ્યું. આ સાંભળીને મરીચિએ વિચાર કર્યો કે ખરે. ખર મારા કુળને ધન્ય છે, કેમકે મારા પિતામહ પ્રથમ તીર્થંકર થયા, વળી મારા પિતા પ્રથમ ચક્રવર્તી થયા, હું પણ પ્રથમ વાસુદેવ થઈશ તેમજ અંતિમ તીર્થંકર પણ થઇશ. આ મદના કટુ વિપાક તરીકે એ મરીચિને જીવ પ્રાણુત દેવલોકમાંના પુષ્પોત્તર વિમાનથી ઍવીને અંતિમ ભાવમાં મગધ દેશમાંના ક્ષત્રિયકુડના નરપતિ સિદ્ધાર્થને રાજ્યમાં રહેતા ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનન્દા નામની પ્રિયાની કુક્ષિમાં અવતર્યો. આ એક અલૌકિક ઘટના છે (જુઓ ક૯પસૂત્ર, સૂ૦ ૧૭ ). ભિક્ષુક કુળમાં આ પ્રમાણે દેવાનન્દાની કુક્ષિમાં ૮૨ દિવસે વ્યતીત થયા બાદ શકેન્દ્રનું આસન કંપ્યું. ત્યારે તેણે અવધિજ્ઞાનથી પ્રભુને ત્યાં ગર્ભમાં રહેલા જોયા. આથી એકદમ હત થઈ જઈ પોતાના આસન ઉપરથી નીચે ઉતરી, તેમની તરફ સાત-આઠ પગલાં ચાલીઅંજલિ જોડી તેણે તેમની સ્તુતિ કરી આ સ્તુતિ શસ્તવના નામથી પ્રસિદ્ધ છે). પરંતુ પ્રભુને નીચ કુળમાં અવતરેલા જોઈને તે શોકાતુર થે, એથી કરીને તેણે તરતજ હરિણગમેલી દેવને ત્રિશલા રાણીના ગર્ભને અને આ દેવાનન્દાના ગર્ભને અદલબદલ કરવા ફરમાવ્યું. તે કાર્ય તે દેવે કર્યું. આમાં તાત્પર્ય એ રહેલું છે કે કદાચિત્ તીર્થંકરનું ચ્યવન નીચ કુળાદિકમાં થાય, પરંતુ જન્મ તો તેવા કુળમાં કદિ સંભવતો જ નથી. આ વાતની કલ્પસૂત્ર (સૂ૦ ૧૮ ) સાક્ષી પૂરે છે. ગર્ભાવાસને સમય પૂર્ણ થતાં પ્રભુનો જન્મ થયો. આ વાત ઈ. સ. પૂર્વે ૫૯માં બની. મહાવીર સ્વામીના સત્તાવીસ ભવા આ શ્લોકમાં મહાવીરસ્વામીના સત્તાવીસ ભ થયા વિષે ઉલ્લેખ છે. આથી કોઈને એમ શંકા ઉપસ્થિત થાય કે શું મહાવીર સ્વામીના એટલાજ ભા થયા છે ? પરંતુ આ શંકા “ભવ' ની ગણતરીના રિવાજની અજ્ઞાનતા સૂચવે છે. દરેક જીવે અત્યાર સુધીમાં અનેક ભ. ૧ સંત-છાયા "येच अतीताः सिद्धाः, ये च भविष्यन्ति अनागते काले । संप्रति च वर्तमानाः, सर्वान् त्रिविधेन वन्दे ॥" ૨ વાસુદેવ” એ ત્રણ ખંડના અધિપતિનું નામ છે. એનો નીલ વર્ણ હોય છે. એને “ અર્ધ-ચક્રવતીના નામથી પણ ઓળખવામાં આવે છે. એક કાલ-ચક્રમાં ૧૮ વાસુદેવ થાય છે, અર્થાત “ઉત્સર્પિણી ” તેમજ “અવસર્પિણી' કાલમાં નવ નવ વાસુદેવો થાય છે. વાસુદેવના વડીલ બંધુને “બલદેવ' કહેવામાં આવે છે, જ્યારે તેના પ્રખર શત્રુને “પ્રતિવાસુદેવ ' કહેવામાં આવે છે. એ ધ્યાનમાં રાખવું કે વાસુદેવો નિયાણું બાંધવાવાળા હોય છે જ્યારે બલદેવો તેવું કાર્ય કરતા નથી. વળી વાસુદેવ અધોગામી છે, જ્યારે બલદેવો ઊર્ધ્વગામી છે (સરખા આવશ્યક-નિયુકિત, ૪૧૫ મી ગાથા). આ “અવસર્પિણ' કાલમાં શ્રીકૃષ્ણ નવમા વાસુદેવ, તેમના ભાઈ બલરામ નવમા બલદેવ અને જરાસંધ એ નવમા પ્રતિવાસુદેવ થઇ ગયા છે. વિશેષમાં આ સર્વેને “શલાકા પુરૂષ' એવી સંજ્ઞા આપવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy