SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ गेमिमक्तामरम्] નેમિભક્તામર ૧૩૩ વિચારવા લાગ્યા કે શું શરીરના બીજા ભાગે પણ અલંકાર વિના આમ નિરતેજ દેખાતા હશે ? એની પ્રતીતિ કરવા તેઓ અંગ ઉપરથી એક પછી એક આભૂષણ ઉતારવા લાગ્યા. આનું વર્ણન કરતાં શ્રી હેમચન્દ્રસૂરિ કહે છે કે પ્રથમ તે તેમણે મસ્તક ઉપરથી માણિથને મુકુટ ઉતાર્યો; એથી તે મરતક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. ત્યાર બાદ તેમણે કાનમાંનાં કુડળ કાઢી નાંખ્યાં, એટલે તે કાન સૂર્ય અને ચન્દ્ર વિનાની પૂર્વ અને પશ્ચિમ દિશા જેવા ભાસવા લાગ્યા. ગ્રીવા (ડાક) ઉપરથી ગળચે દૂર કરવાથી તેમની ગ્રીવા નીર (જળ) વિનાની નદી જેવી જણાવા લાગી. પછીથી તેમણે વક્ષારથલ (છાતી) ઉપરથી હાર ઉતાર્યો, એથી તે તે તારા વિનાના આકાશની જેમ શુન્ય દેખાવા લાગ્યું. બાજુબંધ ઉતારતાં તેમના બંને હાથ જાણે અર્ધલતા પાશથી રહિત બે સાલ વૃક્ષ હોય તેમ ભાસવા લાગ્યા. હાથના મૂળમાંથી તેમણે કડાં ઉતાય, એટલે તે આમલસાર વગરની ઇમારત જેવા જણાવા લાગ્યા. તેમણે ત્યાર પછી બીજી બધી આંગળીઓમાંથી મુદ્રિકા કાઢી નાંખી, એટલે તે આંગળીઓ સર્પ વિનાની ફેણ જેવી દેખાવા લાગી. ત્યાર બાદ તેમણે પાદમાંથી પાદ-કટક દૂર કર્યા, એથી તે રાજકુંજરના સુવર્ણ કંકણથી રહિત દાંતના જેવા જણાવા લાગ્યા. આ પ્રમાણે સર્વ આભૂષણને તેમણે અનુક્રમે ત્યાગ કર્યો એટલે તેમનું શરીર પત્ર વિનાના વૃક્ષ જેવું શૈભારહિત દેખાવા લાગ્યું. આ પ્રમાણેનું પિતાનું શરીર જોઈને તેમણે એ વિચાર આવે કે શરીરની અલંકારથી કૃત્રિમ શોભા છે. બાકી આ શરીર તે અંદરથી વિશદિક મળથી અને બહારથી મૂત્રાદિકના પ્રવાહથી એમ ઉભય રીતે મલિન છે. આ પ્રમાણે તેમણે શરીર ઉપરની મમતા ઓછી કરવા માંડી એટલું જ નહિ, પરંતુ શુદ્ધ વિચારમાં આગળ વધતા જતા એવા તે રાજેપર અપૂર્વકરણના અનુક્રમથી ક્ષેપક શ્રેણિ ઉપર આરૂઢ થયા. શુક્લ ધ્યાનમાં તલ્લીન બનેલા એવા તેમને વિચારના પ્રભાવથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધન્ય છે આવા રાજર્ષિને કે જેમણે “ મન gવ મનુષ્યનાં જાળું વીમાક્ષ: ” એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું તેમજ ગૃહરાવાસમાં રહીને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. पूर्ण व्रतेन भवतु क्रियया गतैः किं ? । कप्टैः कृतं च तपसाऽस्त्वलमन्यकृत्यैः। चेत् केवलं शिवसुखाब्जविकाशहेतुं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ टीका છે ને ! તેના પ્રત શિયા મg-wત કૉમન વિ. જિં? તYI –ોવામિ શાં-સૂત૬ ત૫સાડતુ-કૃત -શધર્મોમાસા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy