SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम्] વીરભક્તામર શ્લોકાઈ પ્રભુનું અલૌકિક રૂપ– “હે નાથ ! જે પ્રાણીઓ કામદેવના સમાન રૂપવાળા હોય છે, તેઓ પણ સમસ્ત ઈન્દ્રિય વડે મનોહર, (સમ7) ચતુર (સંસ્થાન) વડે શોભતા, સજજનેને પ્રશંસા કરવા લાયક તેમજ વળી આ લોકને વિષે અતિશય દર્શનીય એવા તને જોઈને પિતાના રૂપને અભિમાન ત્યજી દે છે. (અથવ તારું રૂપ અનુપમ છે).”—૪૧ સ્પષ્ટીકરણ સંસ્થાન-વિચાર “સંસ્થાન” એટલે અવયવોની રચના પૂર્વકની શરીરની આકૃતિ. આ સંસ્થાનના જૈન શાસ્ત્રમાં છ ભેદ પાડવામાં આવ્યા છે –(૧) સમચતુરસ્ત્ર, (૨) ન્યધપરિમણ્ડલ, (૩) સાદિ, (૪) કુન્જ, (૫) વામન અને (૬) હુડ. (૧) સમચતુરન્સ સંસ્થાન એ સર્વોત્તમ છે. “સમ” એટલે જેનું જેટલું માપ હોવું જોઈએ તેટલું; “અસ” એટલે ચાર દિશાઓથી ઉપલક્ષિત શરીરનાં અવયવ. આ સંસ્થાનમાં સર્વ અવલેવાનું માપ જેટલું જોઈએ એટલુંજ હોય છે. (૨) ન્યધ-પરિમડલ સંસ્થાન એ એના નામ પ્રમાણે વડન જેવા પરિમણ્ડલવાળું છે. અર્થાત્ જેમ વડનું ઝાડ ઉપરના ભાગમાં પરિપૂર્ણ અવયવવાળું હોય છે, પરંતુ તેને નીચલો ભાગ તેવો નથી, તેવી રીતે આ સંસ્થાનવાળાને નાભિથી ઉપરને ભાગ બહુ વિસ્તારવાળે યાને સુંદર હોય છે જ્યારે નીચલો ભાગ ઓછાવત્તા પ્રમાણવાળ હૈય છે. (3) સાદિ શબ્દમાંના આદિ શબ્દથી નાભિની નીચે ઉભેંધના નામથી ઓળખાતા દેહને એક ભાગ સમજવો. જેમ ઉપર્યુંકત સંસ્થાનને ઉપરને ભાગ શુભ છે, તેમ આ સંસ્થાનને નીચેને ભાગ શુભ છે. (૪) મુજે સરથાનવાળાનાં મસ્તક, ડેક, હાથ અને પગનું પ્રમાણ યથોચિત હોતું નથી, પરંતુ તેનાં બાકી બધાં અવયવોનું પ્રમાણ બરાબર હોય છે. (૫) વામન સંથાન આનાથી ઉલટું છે. અર્થાત્ એ સંસ્થાનવાળા પ્રાણીના મસ્તક ઇત્યાદિ બરાબર પ્રમાણવાળા હોય છે, જ્યારે બાકીનાં અવયવોનું પ્રમાણ યથાચિત હેતું નથી. ૧ સરખા–“વિ હંકાળે વળજો, તંગ—(૧) માણે, (૨) હરિમરૂં, () સતી, (૪) તુ, (૫) વાળ, (૬) હું –રાનાં, ફૂ૦ ૪૫. ૨ પંચસંગ્રહની તમાં સૂચવ્યા મુજબ કેટલાકે આને “સાચિના નામથી ઓળખાવે છે અને ‘સાચિને અર્થ શામેલી વૃક્ષ કરે છે. આ વૃક્ષ મૂળમાં ગોળ અને પુષ્ટ હોય છે, જ્યારે તેને ઉપરનો ભાગ તેમજ તેની શાખાપ્રશાખા તેમ નથી. ૩ કેટલાક વામન સંસ્થાનને અકુજઅને કુમ્ભ સંસ્થાનને વામન ' કહે છે, કેમકે તે તેના વિપરીત લક્ષણ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy