SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत શ્લેકાર્થ નાથના નામનું ગૌરવ– (હે વીતરાગ ! ) જે કારણને લીધે (સર્ષના) દરના મુખ સમીપ ઊભા રહેલા એવા તારા વચનનું શ્રવણ કરીને ચડકૌશિક સર્વ શાંતિ પામે, તે કારણને લીધે હાલમાં પણ જે મનુષ્યના હૃદયમાં તારા નામરૂપી નાગદમની છે, તેને આ દુનિયામાં નાગ સ્પર્શ (પણ) કરતે નથી. ”—૩૭ સ્પષ્ટીકરણ ચણ્ડકૌશિકનું વૃત્તાન્ત પૂર્વ જન્મમાં જેણે ચારિત્ર અંગીકાર કર્યું હતું, પરંતુ ક્રોધને વશ થઈ જેણે તે મલિન કર્યું હતું અને તદનુસાર જે કનખલ' નામના સ્થાનમાં વસતા પાંચસે તાપસના કુલપતિના કૌશિક પુત્ર તરીકે ઉત્પન્ન થયે હતું અને ત્યાં પણ જે કોપાયમાન અવસ્થામાં મરણ પામે હતું, તે તાપસ મરીને ચડકૌશિક નામના દષ્ટિ-વિષ સર્ષ તરીકે ત્યાં જ ઉત્પન્ન થયે. આ સર્ષથી સમરત કે ભયભીત રહેતા હતા. એકદા વીર પ્રભુ વિહાર કરતા કરતા તે સ્થાનમાં આવી ચડ્યા, ત્યારે લોકોએ તેમને કહ્યું કે તમે “તંબી” નગરીએ જવા ઈચ્છો છો, તે સરળ માર્ગ મૂકીને વક્ર માર્ગે જાઓ, કેમકે મધ્યમાં અતિશય ભયંકર એવો દષ્ટિ-વિષ સર્પ રહે છે. પ્રભુએ તેમનું કહ્યું માન્યું નહિ, કેમકે તેઓ જાણતા હતા કે મારા દર્શન અને ઉપદેશથી ચડકૌશિક પ્રતિબોધ પામનાર છે. જે અરણ્યમાં આ સર્પ વસતો હતો, તે અરણ્યમાં આવીને યક્ષ-મણ્ડપમાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં આરૂઢ થયા એટલામાં તે ગર્વિષ્ટ સર્ષ પણ ફરતો ફરતો ત્યાં આવી ચડ્યા. પ્રભુને જોઈને તે ક્રોધથી લાળ થઈ ગયે અને તેના સામું વિષમય દૃષ્ટિથી જોવા લાગ્યા. આથી પણ જ્યારે તેનું કાર્ય સિદ્ધ થયું નહિ, ત્યારે સૂર્ય સામું જોઈ જોઈને તે વધારે ભયંકર દષ્ટિ વાલા છોડવા લાગે. પરંતુ એ જવાલાએ તો પ્રભુની ઉપર જલધારા જેવી થઈ પડી. આથી ખૂબ ચીડાઈ જઈને તે પ્રભુને ડસવા લાગે અને હસી હસીને પાછા હઠવા લાગે, કેમકે તે બીતે હતો કે મારા વિષથી આના પ્રાણ પરલોક પ્રયાણ કરી જશે અને તેમ થતાં કદાચ તે મારા ઉપર પડશે. તે પ્રભુને અનેક સ્થળે ડર, પરંતુ કોઈ પણ સ્થળે તેનું વિષ પ્રસર્યું નહિ; કિન્તુ ત્યાંથી ગાયના દૂધના જેવી લોહીની ધારા વહેવા લાગી. આથી તે વિલખ થઈ પ્રભુના કાન્ત અને સૌમ્ય રૂપને જોવા લાગ્યો. જ્યારે તે સર્પ કંઈક શાન્ત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે હે ચણ્ડકૌશિક! તું બુઝ, બુઝ. આ વાક્ય સાંભળી તેના ઉપર ઉહાપોહ કરતાં તે સર્પને તિ-મરણ જ્ઞાન થયું. પ્રભુને વન્દન કરી તેણે અનશન વ્રત અંગીકાર કર્યું. તે પોતાના બિલમાં પિતાનું મુખ રાખી સ્થિર થઈ ગયે. આ વાતની લેકેને ધીરે ધીરે ખબર પડતાં તેઓ ત્યાં ૧ જતિ-સ્મરણ જ્ઞાન એ મતિ-જ્ઞાનનો પેટા-વિભાગ છે. (જુઓ અચારાંગ અ૦ ૧, ઉ૦ ૧ ની ટીકા ). આ જ્ઞાન જે પ્રાણીને થાય, તે પ્રાણ પિતાના સંખેય પૂર્વ ભવ જાણી શકે. વિશેષમાં આ જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રાણી ટુંક સમયને માટે સુચ્છ પામી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy