SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાતમહોદધિની જીવનઝલક - આ.વિ. હેમચંદ્રસૂરિજી મહારાજા સૂર્ય પોતાના દૈનિક ક્રમ મુજબ દરરોજ સવારે ઉગે છે અને સાંજે અસ્ત થાય છે. પણ પોતાના આ દૈનિક ભ્રમણ દ્વારા એ જગતના જીવો ઉપર નિઃસ્વાર્થ ઉપકાર કરે છે. નદી અવિરતપણે ખળખળ વહ્યા કરે છે અને સમુદ્રમાં ભળી જાય છે. પણ પોતાના આ પ્રવાહ દ્વારા એ દુનિયાના જીવો પર ઘણો ઉપકાર કરે છે. પૃથ્વી પર વૃક્ષો ઉગે છે. પણ પોતાના અસ્તિત્વ દ્વારા બીજાને ળ અને છાંયડો આપે છે. બસ, એ જ રીતે સાધક મહાપુરુષો પોતાની સાધના કરવા આ પૃથ્વી પર અવતાર લે છે, પણ એમના સાધનામય-જીવન દ્વારા ઘણા જીવો પર ઉપકાર કરતા જાય છે. વિક્રમની ૨૦મી સદીના ઉત્તરાર્ધ અને ૨૧મી સદીના પ્રારંભમાં આવા જ એક સાધક મહાપુરુષ થઈ ગયા જેમનું નામ હતું સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ચાલો, એમના જીવનની એક ઉડતી મુલાકાત લઈ લઈએ. રાજસ્થાનની શૌર્યભૂમિના પિંડવાડા નગરમાં શ્રેષ્ઠિવર્ય ભગવાનદાસભાઈ રહે. એમના શીલસંપન્ન ધર્મપત્ની કંકુબાઈએ પીયર નાંદિયામાં વિ.સં. ૧૯૪૦માં ફાગણ સુદ ૧૫ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો.એનું નામ પ્રેમચંદ રાખ્યું. ગામઠી શાળામાં છ-સાત ચોપડીનું શિક્ષણ લઈ વ્યવસાય માટે સુરત જિલ્લાના વ્યારા ગામમાં મામાને ત્યાં આવ્યા. ગામમાં વિહારમાં આવતા જતા મુનિઓની ભક્તિ કરતા પ્રેમચંદજીને સ્વયં દીક્ષા લેવાના ભાવ થયા. એકવાર ઘરે કહ્યા વિના સુરત જતા રહ્યા, પણ મોહાધીન સંબંધીઓ પાછા લઈ આવ્યા. થોડા દિવસોમાં તક મળતા ફરીથી વ્યારાથી સવારે ચાલવા માંડયું. ૩૬ માઈલ (લગભગ ૫૭ કિ.મી.) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. થાક ઉતારવા ઝાડ નીચે જ સુઈ ગયા. સવારે ગામમાં ઉપાશ્રયે પહોંચ્યા, ત્યાં બિરાજમાન મુનિના સૂચનથી પાલીતાણા પહોંચ્યા. ત્યાં પૂ. ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી દાનવિજયજીનો પરિચય થયો. સંયમયોગ્ય તાલીમ લીધી. ચાતુર્માસ પૂર્ણ થયે વિ.સં. ૧૯૫૭ના કા. વદ ૬ના શુભદિવસે ગિરિરાજની તળેટીમાં અન્ય ચાર મુમુક્ષુઓની સાથે પ્રવ્રજ્યા સ્વીકારી મુનિશ્રી દાનવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી બન્યા. સાધનાનો યજ્ઞ માંડ્યો. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પોતાની ઇચ્છા બનાવી. ગુરુ મહારાજના ગોચરી, પાણી, પડિલેહણ, વિહારમાં ઉપધિ ઉચકવી વગેરે સર્વે પ્રકારની ભક્તિ તેઓ અત્યંત આનંદપૂર્વક કરતા હતા. અન્ય મુનિઓની ભક્તિ પણ તેઓ ચૂકતા નહીં. દરરોજ બે વાર ગોચરી જતા. બિમારી મુનિઓની સેવામાં તેઓ સદા તત્પર રહેતા. લઘુપર્યાયમાં પોતે જાતે જ સેવા કરતા. વૃદ્ધપર્યાયમાં શિષ્ય-પ્રશિષ્ય વગેરે દ્વારા સેવા કરાવતા. મૃતઆરાધનામાં પણ તેઓ પાછળ ન હતા. ગુરુનિશ્રામાં રહીને તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, પદર્શન, પ્રકરણ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, આગમો અને વિશેષ કરીને છેદસૂત્રોનું અદ્ભુત જ્ઞાન મેળવ્યું. કર્મસાહિત્યના તેઓ નિષ્ણાત હતા. કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ તેઓ પુસ્તક વિના મોઢે જ ભણાવતા. કર્મસિદ્ધિ, માર્ગણાધારવિવરણ તથા સંક્રમકરણનું નિર્માણ તેઓએ કર્યું, અનેક સાધુઓ-શ્રાવકોને ભણાવ્યા. સાધુઓ પાસે વિશાળકાય કર્મસાહિત્યની રચના કરાવી. પૂજ્યશ્રી શુદ્ધ સંયમના અત્યંત ખપી હતી. તેથી શાસ્ત્રોમાં જે જે વાતો સંયમને લગતી વાંચતા તે બધી વાતોને તુરત જ અમલમાં મૂકતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy