SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપૂર્ણ ચારિત્રપર્યાય દરમ્યાન પૂજ્યશ્રીએ પ્રાયઃ એકાસણા કર્યા હતા. લગભગ પાંચ-સાત મિનિટમાં એમનું એકાસણું પૂર્ણ થઈ જતું. મિષ્ટાન, મેવો અને ળાદિનો પૂજ્યશ્રીએ માવજીવ ત્યાગ કરેલો. સંપૂર્ણ સંયમજીવનમાં એક જ વાર કેરી વાપરી હતી બાકી જીવનભર કેરીનો ત્યાગ કર્યો હતો. તેઓ શિષ્યાદિના સ્વાધ્યાયાદિને પ્રોત્સાહિત કરવા પણ ત્યાગ કરતા. પાટણમાં અને પુનામાં ચોમાસામાં પૂજ્યશ્રીએ માત્ર બે દ્રવ્યના એકાસણા કરેલા. અવારનવાર આયંબિલ પણ કરતા. નવપદજીની ઓળી છેલ્લે સુધી ચાલુ હતી. જ્ઞાનપંચમી, સંવત્સરી અને મૌન એકાદશીના ઉપવાસમાં કયારેય ખાડો પડ્યો ન હતો. ફરતા વાનો દુઃખાવો તેમને લગભગ ૫૦ વર્ષ રહ્યો. દુઃખાવા વખતે તીવ્ર વેદના થતી. માત્ર ગરમ પાણીની કોથળીના શેકથી થોડી રહાત થતી. પણ તેના માટે પણ હોટલમાંથી નિર્દોષ પાણી મંગાવીને તેનો જ ઉપયોગ કરતા, દોષિત પાણી ન કરાવતા. વેદનાને સમભાવે સહન કરતા. માનસિક સહનશીલતા પણ અદ્ભુત હતી. અપમાનોના ઘૂંટડા પણ પૂજયશ્રીએ હસતા હસતા પીધા. કોઈની ઉપર કયારેય અસદ્ભાવ કર્યો ન હતો. વિશ્વના પ્રથમ પંકિતના આ વિદ્વાન પાસે પોતાની માલિકીનું એક પણ પુસ્તક કે નોટ કે પેન કે પેન્સિલ ન હતા. પહેરેલા વસ્ત્રોથી વધુ એક જોડી પણ કપડા રાખતા નથી. વ્યાખ્યાનની પણ તેમને સ્પૃહા ન હતી. એટલું જ નહી. વ્યાખ્યાન પોતાના શિષ્યોને સોંપી દીધું હતું. શિષ્યોની સ્પૃહા પણ તેમને ન હતી. પોતે પ્રતિબોધ કરી તૈયાર કરેલ અનેક મુમુક્ષુઓને પણ દીક્ષા વખતે બીજાના શિષ્ય બનાવતા. નછૂટકે જ પોતાના શિષ્ય બનાવતા. તેથી જ 300 પ્રશિષ્યાદિનો મોટો સમૂહ હોવા છતાં તેમના પોતાના માત્ર ૧૭ જ શિષ્ય હતા. પદવીથી તો તેઓ હંમેશા દૂર રહેતા. વડિલોના ભારે દબાણથી ન છૂટકે જ તેમણે પદવી ગ્રહણ કરેલી. એમના હાથે ઘણા અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થયા છતાં કયાંય પોતાના નામની તકતી મરાવી નથી. યશ, કીર્તિ અને નામનાથી તેઓ દૂર હતા. તેમના સ્વર્ગવાસ પછી તેમના માત્ર બે-ત્રણ આસનો, એક-બે જોડી કપડા, ઓઘો અને જાપ માટેનો સૂરિમંત્રનો પટ-આના સિવાય વારસદારોને બીજી કોઈ વસ્તુ મળી ન હતી. આઠ પ્રવચનમાતાનું સુંદર પાલન તેમના જીવનમાં હતું. રસ્તે ચાલતા સદા નીચી દૃષ્ટિ રાખી જોઈને ચાલતા, બોલતી વખતે સદા મુહપત્તિનો ઉપયોગ રાખતા. નિર્દોષ આહાર-પાણીથી જ નિર્વાહ કરવો એવો એમનો સિદ્ધાંત હતો. પંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ પણ સતત રહેતો. એકાસણુ કર્યા પછી ભરબપોરે દૂર દૂર સુધી સ્થડિલભૂમિએ જતા. ઇન્દ્રિયદમન અને કષાયનિગ્રહ પણ અપૂર્વ કોટીના હતા. વાપરતા આહારનો સ્વાદ ન આવે. માટે સીધો જ ઉતારી જતા. કોળીયો મોઢામાં એક બાજુથી બીજી બાજુ ફેરવતા ન હતા. એકવાર બાળમુનિએ આગ્રહ કરી પીપરમીંટ વાપરવા કહ્યું તો દવાની જેમ ઉતારી ગયા. સંથારામાં પણ બે આસનોથી વધુ નહી વાપરવાની પ્રતિજ્ઞા હતી. અહમદનગરમાં પૂજ્યશ્રીની દીક્ષાતિથિ પ્રસંગે સાધુઓએ તેઓના ગુણાનુવાદ કરતાં તેઓની આંખમાં આંસુ આવી ગયા. પગથી મસ્તક સુધી સર્વથા પવિત્ર આ પરમબ્રહ્મના સ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. શરીરના એક રૂંવાડામાં પણ એમણે કયારેય વિકારનો ક્ષણિક ઝબકારો પણ અનુભવ્યો ન હતો. બ્રહ્મચર્યના પ્રભાવથી તેમના મનમાં ઉઠતા શાસનના કાર્યોના બધા જ મનોરથો સળ થતા. પૂજ્યશ્રીના અતિ ઉગ્ર બ્રહ્મચર્યનો પ્રભાવ એવો હતો કે તેમની પાસે બેસવા માત્રથી જ નહીં પરંતુ તેમના નામ સ્મરણમાત્રથી વિકારો અને વાસનાઓ શાંત પડી જવાનું અનેક સાધુઓ અને શ્રાવકોએ અનુભવ્યું હતું. અંશી વર્ષની પાકટવયે પણ આ બ્રહ્મનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે દૃષ્ટિ કરીને વાત કરી ન હતી. એમની જન્મકુંડલી જોઈને એક જ્યોતિષીએ કહેલું કે આ કોઈ સંપૂર્ણ બ્રહ્મચારીની કુંડલી છે. નિશ્રાવર્તી સાધુઓ જે દોષ સેવે તે માટે આચાર્ય જો બેદરકાર રહે તો આચાર્યને આઠ ગુણો કર્મબંધ થાય. આવું શાસ્ત્રમાં વાંચ્યું એટલે તેઓ પોતાના સાધુઓની સંયમની રક્ષા માટે સતત કાળજી રાખતા. આ બતાવે છે કે તેઓ અત્યંત ભવભીરુ હતા.ational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy