SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશાકીય વિત્ર વહ્યર્થગુર્ત પુનિવૃuધંધfક્ત વૃદ્ધિHિ: જિનાગમો એ વિશ્વની અજોડ અજાયબી છે. જગતમાં શાસ્ત્રોનો તોટો નથી. પણ ‘સા વિદ્યા યા વિમુક્તયે' એ ન્યાયે જૈન શાસ્ત્રોની સર્વોપરિતા સિદ્ધ થાય છે. રાગદ્વેષના હાસનું અનન્ય સાધન જિનવાણી છે. અનેક ચમત્કૃતિઓ ધરાવતા શાસ્ત્રો પૈકી આ એક ભક્તિરસ સાથે વિસ્મય પમાડતો ગ્રંથ આપના હાથમાં શોભી રહ્યો છે. પ્રસ્તુત શ્રી ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગનું પુનર્મુદ્રણ કરી ચતુર્વિધ શ્રીસંઘને ચરણે ભેટ ધરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્રે પાદપૂર્તિરૂપ યાને ભક્તામર સ્તોત્રની દરેક ગાથાની ૧-૧ પંક્તિ લઈ અન્ય ૩ નવી પંક્તિઓ રચી બનાવેલ કાવ્ય ઉપર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિકત વીર ભક્તામર તથા શ્રી ભાવપ્રભસૂરિકૃત નેમિભક્તામર આ બે કાવ્યો મુખ્યતયા છે. તથા પરિશિષ્ટમાં શ્રી ગિરનાર-ગિરીશ્વર કલ્પ પણ છે. પૂજ્યપાદ પ્રવર્તક શ્રીમાનું ૧૦૮ કાંતિવિજયજી મ. લીંબડી પોતાના સંગ્રહિત પુસ્તક ભંડારમાંથી હસ્તલિખિત ગ્રંથોની અમૂલ્ય .... સંશોધન-સંપાદન માટે આગમોદય સમિતિને મોકલતા. જેઓ દ્વારા વિવિધ વિદ્વાન મહાત્માઓ તથા પ્રોફેસરો પાસે તેના સંશોધન-સંપાદન થઈ નવા જ અદ્ભુત આશ્ચર્યકારી, આલ્હાદક ગ્રંથરત્નો આપણને મળ્યા. પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપૂર્ણ સંપાદન, ગુર્જરાનુવાદ, વિવેચન પ્રોક્સર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીયા એ કરેલ છે. આ ઉપરાંત કાવ્યસંગ્રહ ભાગ-૨, શોભનસ્તુતિ ઈત્યાદિ ખૂબ જ સુંદર તથા અર્થગાંભીર્યવાળા કાવ્યો પણ તેમણે સંશોધન-સંપાદન કર્યા છે. જે પણ અમારી સંસ્થા તરફથી પુનર્મુદ્રિત થયા છે. પ્રો. હીરાલાલભાઈએ ખૂબ જ પરિશ્રમ લઈ આ બધા સંશોધનો કર્યા છે. સમગ્ર જીવન આ શ્રુતની આરાધનામાં જ વ્યતીત થયું છે. તેમના ઉપોદ્ધાતને પ્રસ્તાવના જોતાં તેમનો શ્રમ સહેજે જણાઈ આવે છે. વિદ્વત્તાસભર પ્રસ્તાવના તથા ચોકસાઈપૂર્વકની રજૂઆત એ તેમની ખૂબી હતી. પ્રસ્તુત પુનર્મુદ્રણમાં એ પણ છે જ એટલે આ ગ્રંથરત્નની ગરિમા વિષે તથા તેના કર્તાદિ વિષે અમારે વધુ વિવેચન કરવાનું રહેતું નથી. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. આ અને આવા અનેક સુંદરતમ પ્રકાશનો એ વખતે શ્રી આરામોદયસમિતિ સેક્રેટરી શ્રી જીવણલાલ સાકરચંદ ઝવેરી મુંબઈ હસ્તક થયા ને શ્રી સંઘને સુંદર વારસો મળ્યો. આવા ગ્રંથરત્ન કાળની થપાટમાં કયાંય આવરાઈ ન જાય એ હેતુથી અમે તેનું પુનઃ પ્રકાશન આદર્યું છે. આજથી ૭૮ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ ને આજે મળવો દુર્લભપ્રાયઃ થયેલ આ ગ્રંથના પુનર્મુદ્રણ વખતે પૂર્વ સંપાદક તથા પ્રકાશકનો કૃતજ્ઞતાપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. કલિકાલે માણ્વનું ભવન પતતાં નાનામ્ II ભક્તામરની આ પંક્તિ બોલતાં જ સ્મૃતિપટ પર “જિનબિંબ ઓર જિનાગમ ભવિયણ કુ આધાર’ વચન છવાઈ જાય છે. એ આ કળિકાળમાં મોટો આધાર છે. મહો. યશોવિજયજીના આ વચનના એંદપર્યને સમજાવતી પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની વાણીથી અમે જાણ્યું કે - કદાચ નષ્ટ થતા દેરાસરો આપણે નવા બાંધી દઈશું પણ નષ્ટ પ્રાયઃ થતા આ ગ્રંથોનું શું? એના સર્જક કયાંથી લાવશું? આ શ્રુતરક્ષાએ આપણું અગત્યનું કાર્ય બની રહે છે. પૂજ્યપાદશ્રીની દયગતવાણીને ઝીલીને અમે આ શ્રુતરક્ષાનું કાર્ય ઉપાડયું. અનેક સંઘોના સહકારથી આજ સુધીમાં આવા 300 શ્રી પણ અધિક ગ્રંથરત્નોને પુનર્જીવન દેવામાં અમને સફળતા મળી છે. છપાતાં દરેક ગ્રંથો ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ અપાય છે. હજી પણ આ કાર્ય ચાલુ જ છે. શ્રુતાધિષ્ઠાયિકા મા સરસ્વતી અમને સહાયતા બક્ષે એજ.. લિ . શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ. ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી For Private & Personsfeschis GIICICI QIIE Jain Education International www.jainey02
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy