________________
ઉલ્લાસ ]
આહત દશન દીપિકા. કન્દપુરાણમાં રુદ્રપ્રણીત “કપાલમેચન' રતેત્રમાં પણ કહ્યું છે કે –
“ gણામોશનાન્નિત્ય-નોટર્સ (મ?)તા
अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं भजेत् ॥" અર્થાત જ એક વખત ભેજન કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે અને સૂર્યાસ્ત પહેલાં જે રોજ ભેજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ મળે છે.
આયુર્વેદ પણ રાત્રિભેજનની વિરુદ્ધ પિતાને મત દર્શાવે છે, કેમ કે ત્યાં કહ્યું છે કે--
अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥" અર્થાત સૂર્યના ગમન (અસ્ત) પછી હૃદય-કમળ અને નાભિ-કમળ સંકેચાઈ જાય છે વાતે તેમજ સૂક્ષ્મ જી ખવાઈ જવાય તેમ હોવાથી રાત્રે ભજન ન કરવું જોઈએ.
અંતમાં એટલું જ ઉમેરીશું કે પક્ષીઓ સાયંકાલે પિતાના માળા તરફ પાછાં ફરે છે અને કેટલાક પશુઓ પણ પિતાને સ્થાને આવી રાત્રિવાસ કરે છે અર્થાત કેટલાક પશુ પંખીઓ પણ પ્રાયઃ રાત્રે આહાર લેતાં નથી. આથી શું એમ સૂચવાતું નથી કે મનુષ્ય જેવા બુદ્ધિશાળી પ્રાણીઓ પણ રાત્રિભેજન ન કરવું જોઈએ? - હવે આપણે વતીનું લક્ષણ વિચારીએ કે જેથી હ૧૨ પૃષ્ટમાં કરેલી પ્રતિજ્ઞાનું પાલન થાય.
निःशल्ययुक्तत्वे सति प्राणातिपातादिविरतियुक्तत्वं वतिनो ક્ષાર્ા (૩૧) અર્થાત્ શલ્યથી રહિતપણે હિંસાદિકની અવિરતિને ત્યાગ કરનાર “વતી' કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે અહિંસાદિ વ્રત લેવા માત્રથી ખરા વતી બનાતું નથી, પરંતુ તે માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત પાળવાની છે તે એ છે કે શલ્યને ત્યાગ કરે જોઈએ. જેમ શરીરમાં કાંટે કા હોય કે અન્ય કોઈ તીક્ષણ ચીજ ભેંકાઈ હોય તે જીવ બેચેન રહે છે એટલે કે એ શરીર અને મનને અસ્વસ્થ બનાવી કોઈ પણ કાર્યમાં એકતાન થવામાં ખલેલ પહોંચાડે છે તેમ શલ્યરૂપ માનસિક દેષ પણ ચિત્તને અસ્વસ્થ બનાવે છે. વાસ્તે જ્યાં સુધી એ શલ્ય દૂર ન કરાય ત્યાં સુધી અહિંસાદિ વ્રતના પાલનમાં પૂરેપૂરું મન ચુંટતું નથી. આ શલ્યનું લક્ષણ એ છે કે
૧ આથી આરોગ્યમાં ખલેલ પહોંચે છે. જેમકે કીડી ખવાઈ જતી મતિ કંઠિત થાય છે. માખી પેટમાં જતાં ઉલટી થાય છે, જેને લઈને જલોદર થાય છે ઇત્યાદિ. જુઓ અથદીપિકાનું ૧૧૬ મું પત્ર. ૨. સરખાવો ૭૮૫માં પૃષ્ઠગત ૩૩૫મું લક્ષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org