SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ હ ઉજાસ ] આત ને દીપિકા. રાત્રિભેજનના વિવિધ પ્રકારે– ત્રિભેજનના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર અપેક્ષાએ ચાર ભેદે પડે છે. તેમાં અશનાદિ એ દ્રવ્યથી, અઢી દ્વીપ અને બે સમુદ્ર યાને મનુષ્યલેક એ ક્ષેત્રથી, રાત્રિ વગેરે એ કાળથી અને રાગ-દ્વેષ એ ભાવથી ભેદ સમજવા. વળી આ રાત્રિભેજનના સ્વરૂપની દષ્ટિએ પણ ચાર ભેદ પડે છે. જેમકે (૧) રાત્રિએ આહાર ગ્રહણ કરે તેમજ રાત્રે જ તેને ઉપગ કરે, (૨) રાત્રિએ આહાર ગ્રહણ કરી દિવસે તેને ઉપયોગ કર, (૩) દિવસે આહાર લાવી રાત્રે ખા, અને (૪) દિવસે આહાર લાવી દિવસે ખા. આમાં છેલ્લા ભેદ સિવાયના બાકીના ત્યાજ્ય સમજવા. વળી રાત્રિભોજનને અંગે નીચે મુજબની ચતુર્ભગી પણ સંભવે છે. આ ચતુભગી સંનિધિના પરિભેગ આશ્રીને છે. જેમકે સૂર્ય ઉગીને આથમી ગયા હોય ત્યારે અથવા આથમ્યા પછી ઉો ન હોય ત્યારે અર્થાત રાત્રિને વિષે, રાગ અને દ્વેષથી રહિતપણે કારણવશાત કે ભજન કરે છે તે દ્રવ્યથી રાત્રિભેજન સમજવું, પરંતુ ભાવથી નહિ. હું રાત્રે જમું એવી અભિલાષાવાળે ભોજન ન જ મળવાથી રાત્રે ન જમે તે દ્રવ્યથી રાત્રિભોજન નથી, કિન્તુ એ ભાવથી છે. જે એવાને ભેજન મળે અને તે જમે તે એ રાત્રિભેજન દ્રવ્યથી અને ભાવથી એમ ઉભયથી છે. દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ એવે ચેથે ભંગ શૂન્ય છે, કેમકે ભજન કહેવાય તે માટે કયાં છે તે દ્રવ્યથી કે ભાવથી હાવું જ જોઈએ; બેમાંથી એક રીતે ન હોય તે ભેજન જ ન કહેવાય એટલે આ ભંગ શૂન્ય છે. પ્રથમ તીર્થકરના તીર્થમાં ત્રાજી અને જડ તેમજ ચરમ તીર્થકરના તીર્થમાં વક અને જડ જ હોવાથી તેમની અપેક્ષાએ પાંચ મહાવ્રતના ઉપર આ રાત્રિભેજનવિરમણને નિરેશ કરાય છે અને તેમ કરવાને હેતુ એ છે કે એ મૂળ ગુણરૂપે ગણવાનું છે. બાકીના તીર્થકરેના તીર્થમાં ત્રીજુ અને પ્રજ્ઞ જને હેવાથી તેમની અપેક્ષાએ વ્રતને ઉત્તર ગુણ તરીકે વર્ણવવામાં આવે છે. અંધારામાં આહાર પાણી બરાબર ન જઈ શકાવાથી જીવ જંતુને નાશ થાય તે માટે તેમજ હી કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભેને લઈને જૈન દર્શનમાં રાત્રિભજનવિરમણ વ્રત યોજાયું હોય તે એ પ્રશ્ન ઉદભવે છે કે જ્યાં અંધારું પણ ન હોય અને દીવામાંથી નિષ્પન્ન થતા આરંભ માટે પણ અવકાશ ન હોય અર્થાત વિજળીના દીવા વગેરેની જ્યાં સગવડ હોય તો રાત્રિભૂજન કરવામાં વાંધે ખરે? આને ઉત્તર એમ સૂચવાય છે કે જે દેશમાં ઉષ્ણુતાની પ્રધાનતા હોય અને જ્યાં પ્રાચીન ઢબના દીવા વગેરેની સગવડ હોય ત્યાં દેખાતી સ્પષ્ટ હિંસાની દષ્ટિએ જ રાત્રિભોજનને દિવસભોજન કરતાં વિશેષ હિંસાવાળું ગયું છે. વિવાદની ખાતર આ વાત સ્વીકારવા ઉપરાંત એમ પણ માની લઈએ કે કઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ ભજન કરવામાં વિશેષ હિંસાને પ્રસંગે ઉપસ્થિત થતું હોય તે પણ એકંદર સામુદાયિક દ્રષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી છવનને અનુલક્ષીને તે કહેવું જ પડશે કે રાત્રિભેજન કરતાં દિવસભેજન વધારે લાભદાયક અને પ્રશંસાપાત્ર છે કે રાત્રિભેજન હાનિકારક જ છે, ૧ આ દીવાની આસપાસ અનેક સૂક્ષ્મ જંતુઓ એકત્રિત થાય છે એ હકીકત સુપ્રસિદ્ધ છે. વળ આના પ્રકાશથી કંથ વગેરે યક્ષ્મ જીવોને બચાવ મુશ્કેલ છે. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy