SearchBrowseAboutContactDonate
Page Preview
Page 995
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર [ gીય (૧) પ્રાણાતિપાત-વિરમણ, (૨) અદત્તાદાન-વિરમણ, (૩) અબ્રહાચર્ય-વિરમણ, (૪) મૃષાવાદ-વિરમણ, (૫) સુરા–મેશ્ય-મધ-પ્રમાદ-વિરમણ, (૬) વિકાલભોજન-વિરમાણુ, (૭) નૃત્ય-ગીત-વારિત્ર-વિરમણ, (૮) માલા-ગશ્વ-વિલેપન-ધારણુ–મંડન-વિભૂષણવિરમણ, (૯) ઉચ્ચશયન-મહાશયન-વિરમણ, અને (૧૦) જાતરૂપ (સુવર્ણ)-૨જત (રુખ્ય)પરિગ્રહ-વિરમણ. અન્યત્ર આ સંબંધમાં નીચે મુજબને ઉલ્લેખ જોવાય છે – (૧) પ્રાણાતિપાત કર નહિ, (૨) અદત્તાદાનનું સેવન કરવું નહિ, (૩) બ્રહાચર્ય પાળવું (ગૃહસ્થ પિતાની પત્નીથી સતેષ માન), (૪) મૃષાવાદ ન સેવ, (૫) પશુન્ય યાને ચાલવું, નિદાનું સેવન ન કરવું, (૬) ઓદ્ધત્ય યાને અપમાન ન કરવું, (૭) વૃથા પ્રલાપ ન કર અર્થાત્ ફેગટને બકવાટ ન કરવો, (૮) લોભ ન કરે, (૯) હેલન રાખવે અને (૧૦) વિચિકિત્સા ન સેવવી યાને પરમાર્થ પરત્વે સંશયાત્મક નજરે ન જેવું. શત્રિજન-વિરમણ અહિંસારૂપ પ્રાથમિક અને અસાધારણ મહાવ્રતની પાંચ ભાવનાઓ પૈકી “ આલેકિતપાનજન' નામની ભાવનાથી રાત્રિભજનવિરમણનું જે સૂચન થાય છે તે સંબંધી અત્ર કેટલાક ઊહાપોહ કરવામાં આવે છે. રાત્રિ જનવિરમણ એ અહિંસા-તમાંથી નિષ્પન્ન થતાં અનેક તે પૈકી એક છે એટલે કે મળ વ્રતમાંથી નિષ્પન્ન થતું એ એક આવશ્યક વ્રત છે. આથી મૂળ વ્રતને નિર્દેશ કરતી વેળા તેને ઉલ્લેખ કર્યો નથી તે સમુચિત છે; કેમકે એવાં તે બીજી ઘણું એ વતે છે અને હોય કે જેનું ઉદગમસ્થાન કેઈ નહિ ને કેઈ મૂળ વ્રત હોય અને જે વળી આવશ્યક પણ હોય પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આવાં વતેને પૃથક્ ઉલલેખ ન કરાય છે તેથી તે વ્રતનું અસ્તિત્વ ઊડી જતું નથી કે તેનું ગૌરવ ભર્યું સ્થાન નષ્ટ થતું નથી. એનું અસ્તિત્વ તે મૂળ વતના વ્યાપક સ્વરૂપમાં આવી જ જાય છે. જૈન દર્શનમાં ક્ષત્રિભેજનવિરમણ એ પ્રાચીન કાળથી જુદા વ્રત તરીકે નિશાચેલું છે. દશવૈકલિક (અ. ૪)ના નિમ્નલિખિત આઠમા સૂત્રમાં કહ્યું પણ છે કે – મહાવરે ઇદે એતિ ! રાખવામો થેરા” અર્થાત હે ભદન્ત! છ વ્રતને વિષે રાત્રિભેજનથી વિરમણને અધિકાર છે. અથત રાત્રિને વિષ, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકી કઈ પણ જાતને આહાર હું જીવન પર્યત લઈશ નહિ, કેઈને એવો આહાર કરાવીશ નહિ કે કઈ કરતે હશે તે તેની અનુમોદના કરીશ નહિ એવી મુનિરાજ પ્રતિજ્ઞા લે છે. ૧ છાયા अथापरस्मिन् षष्ठे भदन्त ! ते रात्रिभोजमाद् विरमणम् । ૨ કેટલાક દિગંબર ગ્રંથમાં આ છ અણુવ્રત તરીકે ઉલ્લેખ છે. ૩ આના અર્થ વગેરે માટે જુઓ ૫ ૯૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy