________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૯૦૯ ___“ मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् " અથત સુખ, દુઃખ, પુણ્ય, અને અપુણ્ય (પાપ) વિષયક, એવી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ક્રમે કરીને ભાવના ભાવવાથી ‘ચિત્તપ્રસાદ પ્રાપ્ત થાય છે -નિમેળ આનંદ મળે છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સુખી જીવેમાં આ સર્વ સુખ તે મારાં જ છે એ પ્રકારની મૈત્રી ભાવના ઉદ્ભવતાં રાગની નિવૃત્તિ થાય છે અને રાગની નિવૃત્તિ થઈ એટલે વર્ષા ઋતુ ગયા પછી શરદ્દ ઋતુની નદી જેમ નિર્મળ થાય છે તેમ ચિત્ત નિર્મળ થાય છે. વળી દુઃખને અનુભવ થતાં અને થયા બાદ આવું દુઃખ મને કદી ન હેજે એવી દુખવિષયક જે વૃત્તિ ઉત્પન્ન થાય છે તેનું નામ “શ્રેષ' છે, કારણ કે શ્રીપતંજલિ સૂચવે છે કે “સુતા;ાથી સેક: *, જ્યાં સુધી દુશમન, વાઘ વગેરે છે ત્યાં સુધી દુઃખને સશે દૂર કરવું અશક્ય છે. - જ કારણથી દુઃખ ઉત્પન્ન થાય છે તે સર્વને નાશ થવે શક્ય નથી, તેથી એ હેષ સદા હૃદયને બાળે છે. પરંતુ મારી માફક અન્યને પણ દુઃખ ન થાઓ એ પ્રકારે દુઃખી છ પ્રતિ જે કરુણાની ભાવના ૨ખાય તે વૈર્યાદિ દ્વેષની નિવૃત્તિ થાય અને તેમ થતાં ચિત્ત પ્રસન્ન થાય. આ
૧ સુખી, દુઃખી એમ ન કહેતાં સુખ, દુઃખ એ જે અત્રે ઉલ્લેખ કરાયો છે તે પદાર્થની બહુલતા સૂચવવા ઉપરાંત વ્યક્તિની ગૌણતા દર્શાવવા માટે છે.
ચિત્તપ્રસાદથી આનંદ તેમજ એના કારણરૂપ નિર્મળતા એ ઉભય અત્ર વિવક્ષિત છે; કેમકે પ્રસાદના નિર્મળતા અને આનંદ એ બંને અર્થો સંસ્કૃતમાં સ્વીકારાયેલા છે. આ ચિત્તપ્રસાદ જે સાધે તે “ યોગી ' છે.
૩ આના સ્પષ્ટીકરણ તરીકે શ્રીવ્યાસ ભાષ્યરૂપે નીચે મુજબ નિર્દેશ કરે છે–
“ as crઉનડુ ગુણvrg મે માન, સુતેવુ જળાં, guથાન : મુદિતાં, અgશpક્ષાનું ! ” અર્થાત સુખ અને સંભોગને પ્રાપ્ત થયેલા સર્વ જેને વિષે મિત્રી નામની ભાવના, દુખીઓને વિષે કરૂણા, પુણ્યશાળીઓને વિષે મુદિતા અને પાપીઓને આશ્રીને ઉપેક્ષા ભાવના રાખવી.
૪ મૈત્રી ભાવનાથી અસૂયા, ઈર્યા વગેરે દોષની પણ નિવૃત્તિ થાય છે. મિત્રીને લીધે પારકાનું સુખ પણ પોતાનું જ થઈ રહે છે તે એવી પરિસ્થિતિમાં અસૂયાદિને સંભવ જ શી ?
૫ આનું કારણ એ છે કે ચિત્તને મલિન કરનારા જે ચાર પદાર્થો છે તેમાં રાગ તે એક છે; દેષ, પુણ્ય અને પાપ એ બાકીના ત્રણ છે.
૬ અન્ય દુઃખી છે, હું કેવો સુખી છું એવા ભાવમાંથી ઉદભવતા અહંકારની પણ કહ્યું ભાવનાથી નિવૃત્તિ થાય છે. અત્ર અહંકારથી શું સમજવું તે સંબંધમાં ભગવદ્દગીતા ( અ. ૧૬ )ગત નિમ્નલિખિત શ્લોક રજુ કરીશું–
ईश्वरोऽहमहं भोगी, सिद्धोऽहं बलवान् मुखी । २४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org