________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા જ્યાં જગતનું ભલું જોવાની જ બુદ્ધિ નથી ત્યાં આ ભાવનાની હૈયાતી જ સંભવતી નથી. ' અન્યને ઘણી વાર પોતાનાથી ચઢિયાતો અને જનને અદેખાઈ ઉત્પન થાય છે. આવી અધમ, વૃત્તિને જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી અહિંસાદિ ટકી શકે જ નહિ તેમજ ગુણના પક્ષપાતી બની શકાય જ નહિ; વાતે અદેખાઈને લેપ કરવા માટે આત્મ-ક્ષેત્રમાં પ્રમોદ-ભાવના રાપવી જોઈએ, આ ભાવનાને વિષચ સમસ્ત જગત્ નથી, કિન્તુ અધિક ગુણવાનું જ છે, કેમકે તેના પ્રત્યે જ અસૂયા, ઈષ્ય, મત્સર વગેરે દુવૃત્તિઓ થવાને સંભવ છે.
પ્રમોદ ભાવનાને પ્રભાવ જે તે નથી. એ કેળવાય તે ધારેલું કામ પાર પડે જ. જેમકે અમુક વ્યક્તિ જ્ઞાન, ગુણ, કે કળામાં આપણા કરતાં વધારે આગળ વધેલ હોય, વધારે પ્રવીણ હોય તે તેને જોતાં આપણા ઉત્સાહમાં વધારે થાય છે, કેમકે કાળા માથાને માનવી શું ન કરી શકે એ કહેવત તેને વિષે ચરિતાર્થ થતી જોવાય છે. આ પ્રમાણે એના દ્વારા આપણે ઉત્સાહ વધે એટલે અંશે આપણે એના ત્રણ ગણાઈએ. આવી પરિસ્થિતિમાં એ ઉપકારકની ઈર્ષ્યા કરાય તે માણસાઈ રહી જ ક્યાં ખરી રીતે તે જે પદે એ આરૂઢ થયેલ હોય તે પદ પ્રાપ્ત કરવાની આપણામાં આપણે વૃત્તિ કેળવવી જોઈએ, જે માગે તે ચઢ હોય તેનું અવલંબન લેવું જોઈએ. અને તેમ કરી તેના સમાન થવા પ્રયાસ કર જોઈએ; નહિ કે કઈ પણ રીતે તેને ઉતારી પાડવા માટે અદેખાઈ કે દ્વેષને આશ્રય લે જઈએ, કેમકે એથી તે સામાનું અધ:પતન થાય કે ન પણ થાય, પરંતુ આવી મલિન વૃત્તિને વશ થનારનું તો થાય જ, કારણ કે આ વૃત્તિઓ આત અને રૌદ્ર ધ્યાનની પિષક હોઈ કર્મબંધનું કારણ બને છે અને દુર્ગતિને આમંત્રણ આપે છે. આથી સાર એ નીકળે છે કે જેને માણસ તરીકે ખપવું હોય તેને તે બીજાને, ઉચ્ચ પદે વિભ=", ષિત થયેલ જોઈ આનંદ જ માનવ ઘટે,
કાસણ્ય-ભાવનાનું લક્ષણ
क्लिश्यमानेषु अनुग्रहात्मकपरिणामरूपत्वं कारुण्यभावनाया હૃક્ષણમ્ (શરૂ). અર્થાત ફલેશ પામતા એટલે કે દુઃખી થતા છ ઉપર અનુગ્રહ કરવાને પરિણામ તે “કાયભાવના” છે, કેઈને પીડાતે જોઈ હૃદયમાં દયા ન જાગે તે અહિંસાદિ તે ટકી જ ન શકે,
૧ આ આત્મિક શાંતિને સંહાર કરનારું એક અસાધારણ શસ્ત્ર છે. જે જીવ પારકાનું સુખ જેવાની તાકાત ધરાવતા નથી તેને શાંતિ કયાંથી મળે ? વિચાર કરીશું તે . સમજાશે કે જગતમાં ચાલી રહેલા ઉપદ્રવાની જડ “ ઈષ્યો ' છે, બીજાને સુખી જોઈ જે બળે તેની અશાંતિની હદ કયાં રહી? બીજાની શાંતિ જોઈને મુંઝાતે જીવ શાંતિ ન જ મેળવી શકે. જે જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા અને તેમાં સ્થિર રહેવા પ્રયાસ કરે તે તેને સ્વતઃ શાંતિ મળી જાય; કેમકે શાંતિ એ કંઇ ખરીદવી પડે કે ઓછીતી લાવવી પડે તેવી વસ્તુ નથી. એ માટે કેઈને પૂછવું પડે તેમ પણ નથી. એ તે પિતાની પાસે જ છે. એનો અખૂટ ખજાનો આત્મામાં મોજુદ જ છે.
- ૨ પારકાના ગુણોને સ્થાને દોષ દેખાડવા તે “ અસૂયા ' છે, જ્યારે પારકાના ગુણે સહન ન કરવા તે “ ઈર્ષ્યા ' છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org