________________
આસવ-અધિકાર.
- I તુતીય જેમ વધની પીડા મને અપ્રિય છે તેમ એ સર્વ જીવેને પણ અપ્રિય છે, વાસ્તે હિંસા કરવી નહિ. જેમ કડવાં વચને, અસત્ય આક્ષેપ ઈત્યાદિ સાંભળતાં મને ખેદ થાય છે તેમ અન્ય ને પણ થાય જ; વાતે જૂઠું બોલવું નહિ. વળી જેમ મને ઈષ્ટ દ્રવ્યને વિયેગ દુઃખદાયી છે તેમ અન્યને પણ છે, માટે કેઈની ચીજ લઈ લેવી નહિ. જેમ મારી પત્નીને પરાભવ થતે જોઈ મારા આત્મા કકળી ઊઠે તેમ બીજાને પણ તેની પત્નીની એવી દશા થતી જોઈ દુઃખ થાય જ, વાતે પરસ્ત્રીગમન ત્યાજ્ય છે. જેમ મને પરિગ્રહની અપ્રાપ્તિ, તે પ્રાપ્ત થયા પછી તેને વિનાશ વગેરે સાલે તેમ અન્યને પણ તે દુખદાયી છે; વાસ્તે પરિગ્રહવિરમણ ઉત્તમ છે. આ પ્રમાણે હિંસાદિને વિષે દુઃખનું ચિન્તન કરવું. અત્ર કેઈએમ પ્રશ્ન ઊઠાવે કે કેમલાંગીનાં મનહર અવયને સ્પર્શ સુખકારી છે, છતાં અહીં તેને દુઃખરૂપે કેમ ગણાવ્યો છે તે એને ઉત્તર એ છે કે એ વેદનાના પ્રતીકારરૂપ છે. જેમ એક ગુમડું થયું હોય અને તે ફટી જાય ત્યારે હાશ કહી સુખ અનુભવાય છે તેમ આ છે, પરંતુ તેમાં વાસ્તવિક સુખ નથી એમ મહર્ષિઓ ફરમાવે છે.
વળી ઉપર્યુક્ત અહિંસાદિ મહાવતેમાં સ્થિરતા સંપાદન કરવાને માટે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ પણ ભાવવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્ય
શ્ય યાને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ કઈ પણ સદગુણ કેળવવામાં અત્યંત સહાયક હેવાથી અત્ર અહિંસાદિ મહાવ્રતની સ્થિરતા સંપાદન કરવામાં તે ખાસ ઉપયોગી થઈ પડે તેમ છે એમ કહેવું તે અતિશક્તિ ગણાય ખરી કે ? આ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે
જુદે છે એટલા માટે તે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ યષ્ટ પરિણામ આવે વાસ્તુ એ ભાવનાઓ સાથે એને વિષય પણ જુદે જુદે દર્શાવાય છે. મૈત્રી ભાવનાનું લક્ષણ-
कृतकारितानुमतिविशिष्टयोगैरन्येषां बाधानुत्पत्तिविषयकचिन्तनरूपत्वं, 'केनापि पापं न कर्तव्यं, कोऽपि दुःखी मा भवतु, सर्वेषां च मुक्तिर्भवतु इत्याकारचिन्तनरूपत्वं वा मैत्रीभावनाया लक्षणम् । (જરૂરી)
અર્થાત્ કઈ પણ જીવને હું પીડા કરીશ નહિ, કરાવીશ નહિ અને કઈ વ્યક્તિ પીડા કરતી હોય તે હું તેની અનુમોદના કરીશ નહિ એ પ્રકારનું ચિન્તન તે “મૈત્રી–ભાવના જાણવી. અથવા તે કઈ પણ પાપ ન કરે, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, સર્વ જીવેને મુક્તિ મળે એ પ્રમાણેનું ચિન્તન તે “મૈત્રી–ભાવના ” સમજવી.
મંત્રીને વિષય પ્રાણિ –માત્ર છે એટલે કે આ ભાવનાને વિષય સમગ્ર પ્રાણિ-ગણુ છે. એ સર્વ જીવને આશ્રીને કેળવી હોય તો જ દરેક જીવ પ્રતિ અહિંસક, સત્યવાદી ઈત્યાદિ તરીકે
૧ જુઓ પૃ. ૯૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org