________________
આમ્રવ-અધિકાર
[ તૃતીય
પાંચ પાંચ ભાવનાઓ ઉપયોગી છે તેમ બીજી પણ એવી કેટલીક ભાવનાઓ છે એમ તત્વાર્થ (અ. ૭, સૂ. ૪–૭) ઉપરથી જણાય છે. આને અત્ર ક્રમશઃ વિચાર કરવામાં આવે છે. જે વસ્તુને આપણે ત્યાગ કરે ઉચિત સમજીએ તે વસ્તુ હાનિકારક હેવી જોઈએ, નહિ તે તેને ત્યાગ કરવાથી શું લાભ ? વળી જેને ત્યાગ કરાય તેના દેનું ખરું દશન થવાથી જ તે ત્યાગ ટકી શકે. આથી કરીને અહિંસાદિ ત્રની સ્થિરતા સારૂ હિંસાદિમાં શા શા દે રહ્યા છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. આ દેવદર્શન બે રીતે સંભવે છે. એક તો આ લેક આશ્રીને અને બીજું પરલેક આશ્રીને. હિંસા વગેરે અનિષ્ટ પ્રવૃત્તિઓ આચરવાથી જે ઐહિક આપત્તિઓનાં વાદળાં પિતાના ઉપર કે અન્યના ઉપર ચઢી આવે છે તેને સદા ખ્યાલ રાખવે તે અહિક દેવદર્શનરૂપ પ્રથમ પ્રકાર છે. વળી હિંસાદિથી જે પારલૌકિક અનિષ્ટતાના અંકુરે ફટી નીકળે છે તેનું નિરંતર ભાન રાખવું તે પારલૌકિક દ્રષદશનરૂપ બીજો પ્રકાર છે. આ બંને જાતના સંસ્કારોની પુષ્ટિ કરવાથી અહિંસાદિ વ્રતનું પાલન વિશેષતઃ દઢ બને છે, વાસ્તે એ સંસ્કારને અત્ર ભાવનારૂપે નિર્દેશ કરાચે છે. હિંસાનાં ફળ–
પ્રત્યેક વ્રતને અંગે કેવી ભાવના ભાવવી હિતકર છે તે વાત તવાર્થ (અ. ૭, સૂ. ૪)ના ભાષ્યમાં સુંદર રીતે દર્શાવાયી છે. તેના આધારે પ્રસ્તુત ગ્રંથકાર કહે છે કે હિંસા કરનારને ચોવીસે કલાક ઉગ રહે છે. વળી તે સર્વદા વેર બાંધવામાં રોકાયેલા રહેવાથી તેને આ લોકમાં જ વધ, બંધન વગેરે સંકટો ભેગવવાં પડે છે. વળી પરલોકમાં અશુભ દેહ અને અશુભ અંગોપાંગની તેને પ્રાપ્તિ થાય છે તેમજ તે નિન્દનીય ગતિને ભાજન બને છે. આથી હિંસા ન કરવી તે શ્રેયસ્કર છે.
અસત્યનાં ફળે–
જૂઠું બોલનારાને કે વિશ્વાસ કરતું નથી, વળી આ દુનિયામાં જ તે જીભનું છેદન વગેરે કષ્ટને ભાગી બને છે. પલકમાં અશુભ અંગે પાંગ અને દુર્ગતિને તે ભાજન બને છે, માટે અસત્યને ત્યાગ કરે તેમાં કલ્યાણ રહેલું છે. સ્તેયનાં –
પારકાના દ્રવ્યનું હરણ કરનારા ઉપર કેઈને ભરોસો રહેતું નથી. ચોરી કરતા પકડાતાં અભિઘાત, વધ અને બંધન તથા હાથ, પગ, કાન અને નાકનાં છેદન અને ભેદન તેમજ તેની સઘળી માલમિલકતનું હરણ ઈત્યાદિ આફતે તેને આ લેકમાં વેઠવી પડે છે. વળી પરલોકમાં
* ૧ “જિંerffsags ચાવાકાના કુણા | મૈત્રીકોરવાઇgमाध्यस्थ्यानि सत्वगुणाधिकविश्यमानाविनेयेषु । जगत्कायस्वभावौ च संवेगवैराग्या
મા ”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org