SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ અન્ય વાત તો તમારાથી મનાય તેમ નથી, કેમકે તેમ કરવાથી તે અકિંચિકર બનતાં ગગનકુસુમની માફક તે અવિદ્યમાન ઠરે છે. પ્રથમની વાત પણ તમે અંગીકાર કરી શકે તેમ નથી, કારણ કે એમ સવાલ ઊભું થાય છે કે જે કાર્ય પરમાણુ કરે છે તે અસરૂપ, સદરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે ? અસદરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે એમ માનવું એ તો દેખીતી મMઈ છે. જે સદરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે એમ માનીએ તો એ વાંધો આવે છે કે “તું” નું કારણ કેમ હોઈ શકે અને કદી એમ માની પણ લઈએ તો સત્વ તે દરેક સ્થળે હેવાથી ક્રિયાની વિરતિ કદી પણ થશે નહિ. બાકીના બે પક્ષોમાં તે ઉપર્યુક્ત દે આવે છે એટલે તે સ્વીકારાય તેમ નથી. આથી પદાર્થ આણુરૂપ છે એ વાત તમે મૂકી દે. યૂલરૂપ પદાર્થને અસંભવ– શુન્યવાદી હવે એ સિદ્ધ કરવા તૈયાર થાય છે કે પદાર્થ—અર્થ સ્કૂલરૂપ પણ સંભવી શકે તેમ નથી. તે કહે છે કે જે પદાર્થને સ્કૂલરૂપ માનતા હે, તે તે નિત્ય છે કે અનિત્ય નિત્ય છે એમ કહેવાથી તે જે દૂષણે અણુરૂપ અર્થ નિત્ય છે એ સિદ્ધાંતનું ખંડન કરતાં દર્શાવ્યાં હતાં તે અત્ર પણ લાગુ પડે છે. હવે જે અનિત્ય કહેતા હે, તે સ્કૂલરૂપ પદાર્થ કેઈ પણ સમયે ઉત્પન્ન થયો છે એમ તમારો કહેવાને અર્થ થાય છે અને તેથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આવા સ્કૂલરૂપ પદાથની ઉત્પત્તિમાં શું કારણ છે અને જે પદાર્થ કારણરૂપ હોય તે પદાર્થ સ્કૂલરૂપ છે કે પરમાણુરૂપ પ્રથમ પક્ષ તે દોષ–યુક્ત છે, કેમકે સૂમની અપેક્ષાએ જ કઈ પણ વસ્તુ સ્થૂલ કહી શકાય એ નિયમ શું નથી ? જે બીજો પક્ષ તમને માન્ય હોય, તે અર્થ અણુરૂપ તેમ જ સ્કૂલરૂપ છે એ વાત અર્થાત્ પ્રથમ ગણાવેલા ચાર પક્ષેમાંના ત્રીજા પક્ષને તમારે સ્વીકાર કરે પડશે. તે છતાં પણ તમે તે વાત પણ અંગીકાર કરવા તૈયાર હો, તો અમને એ જણાવશો કે જે પરમાણુને તમે સ્કૂલરૂપ પદાર્થથી ઉત્પત્તિના કારણ તરીકે ઓળખાવે છે. તે પરમાણુ નિરતિશય છે કે સાતિશય અર્થાત્ તે કઈ શક્તિ-વિશેષથી રહિત છે કે કેમ? આમાંથી પ્રથમ માર્ગ સ્વીકારવાથી તે એ આપત્તિ આવી પડે છે કે ત્રણે લોકમાં રહેલા પરમાણુઓમાં દરેક પરમાણુ સ્કૂલ કાર્યના ઉત્પાદક માનવો પડશે અને તે કાર્ય પણ અહોનિશ ચાલુ રહેશે, કેમકે તમે તે ગમે તેવા પરમાણુને પણ કારણરૂપ માને છે. જે બીજો માર્ગ તમને ઇષ્ટ હોય, તે “અતિશય થી એકદેશાવરિથતિ ( એક જ દેશમાં રહેવું ), સંગ કે ક્રિયા સમજવી એ નિવેદન કરશે. જે અતિશયને અર્થ એકદેશાવસ્થિતિ કરશે, તો પૃથ્વીરૂપ એક દેશમાં રહેલા સર્વ પરમાણુઓને ભૂલ કાર્યના ઉત્પાદક માનવા પડશે, કેમકે પૃથ્વી પણ એક દેશ જ છે ને ? જો આના બચાવમાં તમે એમ કહેતા છે કે દેશ શબ્દને આ કંઈ વાસ્તવિક અર્થ નથી અને ખરો અર્થ તે એ છે કે જેટલા પરમાણુઓ વડે એક કાર્ય થઈ શકે તેટલા પરમાણુઓ જે પ્રદેશમાં રહેતા હોય તેને “દેશ” કહીએ છીએ, તે આથી તે પરસ્પરાશ્રય નામને દેષ આવે છે, કેમકે તમારું કહેવું એમ છે કે જ્યાં સ્કૂલ પદાર્થ ઉત્પન્ન થઈ શકે તે દેશ છે અને જે દેશમાં પરમાણુ કાર્ય કરી શકે ત્યાં ભૂલ પદાર્થની ઉત્પત્તિ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy