SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય સ્થવિરકલ્પિકને અંશે ઉપરોક્ત બારમાં માત્રક અને મોલપકક એ બે વધારે ઉમેરવા એટલે તેમને કુલે ચૌદ ઉપકરણ હેય. સાધવીનાં ર૫ ઉપકરણ જિનકલ્પિકના ઉપર કહેલાં બાર ઉપરાંત (૧) માત્રક, (૨) કમઠક, (૩) અવગ્રહાનંતક, (૪) પટ્ટક, (૫) અન્ધક, (૬) ચલનિકા, (૭) અભ્યન્તરનિવસની, (૮) બહિનિવસની, (૯) કંચુક, (૧૦) ઉપકક્ષિકા, (૧૧) વૈકક્ષિકા, (૧૨) સંઘાટિકા અને (૧૩) કંધકરણી એમ એકંદર સાધ્વીઓને પચીસ ઉપધિ હોય છે. જિનકલ્પિક સાધુ, વિરકલ્પિક સાધુ અને આર્યા યાને સાધ્વી આ ત્રણેનાં ઉપકરણે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં સંભવે છે. જિનકલ્પિકને ઉત્કૃષ્ટ ૪ ઉપધિ, મધ્યમ ૪ અને જઘન્ય ૪ હેાય છે; સ્થવિરકલ્પિક સાધુને ૪ જઘન્ય, ૬ મધ્યમ અને ૪ ઉત્કૃષ્ટ ઉપધિ હોય છે, અને આર્થીઓને જઘન્ય ૪, મધ્યમ ૧૩ અને ઉત્કૃષ્ટ ૮ ઉપધિ દરેક ઉપકરણનું પ્રમાણુ (૧) પાત્રક-ત્રણ વેંત અને ચાર આંગલની પરિધિવા અને એક વેંત જેટલા ચાડાવાળું અર્થાત્ પહેલું તેમજ આહાર પાણી લાવવા માટે ઉપયોગી એવું લાકડાનું, માટીનું કે તુંબનું પાત્રક રાખવું. દાળ વગેરે પ્રવાહી પદાર્થથી યુક્ત પદનાદિ ખાતાં સાધુ-સાધ્વીને ક્ષુધા શાંત કરવામાં સહાયક નીવડે તેટલા પ્રમાણનું પાત્ર મધ્યમ ગણાય છે. આથી હીન તે જઘન્ય જાણવું અને વિશેષ તે ઉત્કૃષ્ટ સમજવું. અન્ય રીતે વિચારતાં ઉનાળામાં બે ચાર ગાઉથી આવેલા સાધુની, જે પાત્ર ચાર આંગળ ઊનથી ભરેલું હોવા છતાં એટલે એટલું ઊણું હોવા છતાં તૃષા શમાવી શકે તે “મધ્યમ પાત્ર ગણાય છે. આથી હીન તે જઘન્ય અને વિશેષ તે ઉત્કૃષ્ટ સમજવું. દરેક સાધુએ તે પિતાના પ્રમાણુનાં જ પાત્રો રાખવાં, પરંતુ જે વૈયાવૃત્ય કરનાર (દરેકની ગોચરી લાવનાર) હેય તે યાચેલ, આચાર્યો આપેલ નંદીપાત્ર (માટું પાતરું) રાખે કે જેથી અટવી ઉતરતાં કે દુકાનમાં ઉપધ થતાં કામ લાગે. (૨) પાત્રબંધન–-જેને ગાંઠ વાળતાં પૂણ ચરસ થાય તેવી રીતે પાત્ર (ભાજન )ના કદ પ્રમાણે એ હેઈ શકે. ગાંઠના છેડા બને બાજુ ચાર ચાર આંગળ રહે તેવું આ હેવું જોઈએ, (૩) પાત્રકેશરિકા, (૪) ગુચ્છક અને (૫) પાવસ્થાપન–આ ત્રણેનું માપ એક વેંતને ચાર આંગળ હોય છે. વિશેષમાં પાત્રકસ્થાપન અને ગુચ્છક એ બે ઊનનાં હોય છે. (૬) પટલક–ત્રણ પડે એકઠાં કરાતાં જેમાંથી સૂર્યનાં કિરણે દેખાય નહીં તેવાં ઘટ, સૂતરાઉ વસ્ત્રનાં, મજબૂત તેમજ સુંવાળા બનાવવાં. તે પણ ઉનાળામાં ત્રણ, શિયાલામાં ચાર ૧ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ એઘનિર્યુક્તિ ( ગા. ૬૭ર-૬૭૩, ૬૭૮ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy